SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તિનાથચરિત્ર-ચિત્રપટ્ટિકા ૫૧ આ અણધારી ઘટનાથી દમિતારિ ચાંકી ઊઠયા. તત્કાળ લશ્કર સજ્જ કરીને પહેલાં લશ્કર અને પછી તે પાતે, એ બન્નેની પાછળ પડયા; અને બન્નેને વચમાં જ આંતરીને યુદ્ધ આયું. એ વખતે લડાયેલા ટૂંકા પણ દારુણ યુદ્ધના અંતે દમિતાએ મૂકેલા સુશન ચક્ર વડે, અનન્તવીર્ય, એના જ વધ કર્યાં. આમ, પ્રતિવાસુદેવ દમિતારના વધ કરીને, અનન્તવીય, વિધિસર, ત્રણ ખંડના સ્વામી વાસુદેવ અન્યા. જૈન પરંપરાની આગવી વિશ્વવ્યવસ્થાના એક ભાગરૂપે દરેક પ્રતિવાસુદેવ તથા વાસુદેવ મરીને નરકે જ જાય છે, અને તદનુસાર, અનન્તથી વાસુદેવ પણ, પેાતાનું જીવન સમાપ્ત થતાં, સાત નરકભૂમિઓ પૈકી, પહેલી નકભૂમિમાં નારકી તરીકે ઉત્પન્ન થયા. હવે, અનન્તવીયના પિતા સ્તિમિતસાગર રાજા મરીને ચમરેન્દ્ર નામના દેવાના ઇન્દ્ર થયા હતા અને પેાતાના પુત્રને દુર્ગંતિમાં ( નરકમાં ) ગયેલા જોઈ, એને તેના પ્રત્યે, પુત્રસ્નેહને કારણે, કરુણા જાગી. એટલે નરકભૂમિમાં જઇને તેણે અનન્તવીર્ય ના જીવને નરકમાં પડતી ધાર યાતનાઓને, તે સહન કરી શકે તેવી હળવી કરાવી આપી. અનન્તવીય તા નરકે ગયા, પર ંતુ આપણે એ જાણવું છે કે, આપણી ચિત્રકથાના નાયક અપરાજિત ( એટલે કે શ્રીષેણ ) ત્યાંથી કયાં ગયા ? અનન્તીના મરણ પછી તેનું શું થયું ? આના ખુલાસો આમ છે; વાસુદેવના મરણના આઘાત જ્યારે હળવા પડ્યો ત્યારે સંસારને અસાર્ સમજીને અપરાજિતે દીક્ષા લીધી અને તે પછી ચારિત્રજીવનમાં એમણે કઠોર આત્મસાધના કરી. કાપટ્ટિકામાં દેખાડાયેલી એમની કાયાત્સગ મુદ્રા એ એમની આત્મસાધનાના જ એક ભાગ હતી. કાચેાત્સગ એટલે કાયાનું વિસર્જન અથવા તે। દેહાત્મભાવના વિસર્જનની પ્રક્રિયા. આ મુદ્રાએ, ગમે તેવાં વિઘ્ના આવે તા પણ, લેશ પણ હલનચલન કર્યા વિના, દિવસે। અને મહિનાઓ સુધી ઊભા રહીને, મનને શુભ ધ્યાનમાં તન્મય બનાવવું, એ એમના સાધના–મા હતા. આયુષ્ય પૂરું′ થયે અહીથી મરીને તેઓ ખારમા ધ્રુવલાકના અધિપતિ અચ્યુતેન્દ્ર બન્યા. શ્રીપેણના ભવથી આ આત્માએ ઉત્ક્રાન્તિની જે ઝુંબેશ આદરી હતી, તેનું આ આળ હતું, એમ નિ:શંક માની શકાય. સારું કરવાનું ગમવા માંડે અને અશુભ પ્રત્યે અરુચિ જાગે, એને ઉત્ક્રાન્તિનુ કે ઉન્નતિનું પહેલું પગથિયું સમજવાનું છે, શ્રીષેણના ભવમાં એમને પાતાના પુત્રોની દુષ્પ્રવૃત્તિ ન ગમી, એ જ ઉન્નતિ પ્રતિ એમની ગતિની શરૂઆત હતી, એવું સૂચન કરે છે. દેવ અનવું કે વધુ સુખ મળવુ, એને ઉન્નતિ ગણવાની જરૂર નથી. આમ છતાં, એટલું તેા ચાક્કસ છે કે ઉન્નતિગામી જીવને જ એ અધું મળી શકે છે. અને ઉન્નતિગામી જીવ વળી, એ મળેલા સુખાદિના ઉપયાગ પણ, પેાતાની ઉન્નતિ પ્રતિની ગતિને અડપી બનાવવા માટે જ કરી લે છે. એટલે જ તેા પ્રત્યેક ભવમાં, રાજત્વ મળવા છતાં, છેવટે તા શ્રીષણના જીવ, કઠોર આત્મ-સાધનાના મા-ત્યાગમાગ જ સ્વીકારતા ઢેખાય છે, સાધના એ સકમ છે, જેને સારું ગમ્યું હોય તે જ સાધના કરી શકે; તે જ સાધનાના કઠોર માગે સંચરી શકે. અને, જૈન તત્ત્વજ્ઞાન પ્રમાણે, શુદ્ધબુદ્ધિથી થતી આત્મસાધનાનું પરામ, આત્માને વળગેલાં કર્મોના નાશરૂપે જ મળે છે. એ કર્માંના ભારથી આત્મા જેમ-જેમ હળવા બનતા જાય, તેમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy