SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ No શાંતિનાથચરિત્ર-ચિત્રપાદક વાસુદેવની જેમ બળદેવનાં પણ આગવાં હથિયારે હોય છે. તે છે: હળ અને મૂસળ, આ બને હથિયાર બળદેવનાં રન કહેવાય છે. અપરાજિત અને અનન્તવીર્યની જુવાની હજી પાંગરતી હતી ત્યારે, પૃથ્વી ઉપર, તે વખતના પ્રતિવાસુદેવ દમિતારિનું શાસન પ્રવર્તતું હતું. આ બન્ને ભાઈઓએ પણ પોતાના પિતાનું રાજ્ય સંભાળી લીધું હતું. દરમ્યાનમાં, એક એ પ્રસંગ બન્યો કે આખી પરિસ્થિતિ પલટાઈ ગઈ. બન્યું એવું કે, આ બે ભાઈઓની પાસે નૃત્યકુશળ બે નર્તકીઓ હતી : બર્બરી અને કિરાતી. એકવાર તેઓ આ નર્તકીઓનું નૃત્ય નિહાળવામાં તકલીન હતા અને તેમને મળવા નારદમુનિ આવી પહોંચ્યા. આ બન્નેનું તે તરફ ધ્યાન ન ગયું એટલે આદર ન મળવાથી નારદમુનિ, રિસાઈને બદલો લેવાની ગાંઠ બાંધીને, પાછા ફરી ગયા, ત્યાંથી એ લાગેલા જ દમિતારિ પાસે પહોંચ્યા. એમણે એને છંછેડયો કે “ આ બે નર્તકીઓ રન જેવી છે, આ જગતમાં જે ઉત્તમ હોય તે તારી પાસે જ હોવું જોઈએ, ને આ બે તો પેલા છોકરડાઓ પાસે છે ! આવું તે કાંઈ શેભે ? આ તો તારું દેખીતું અપમાન છે! ને પેલે ઉશ્કેરાયો. એણે તરત જ પોતાના દૂતને રવાના કર્યો–પેલી બે નર્તકીઓને લઈ આવવાની આશા સાથે. દૂત શુભાપુરી પહોંચો. એની વાત સાંભળીને પેલા બેયને રેષ તો ઘણે ચડયો, પણ સમય વર્તે સાવધાન ની નીતિ અપનાવીને, થોડા જ દિવસમાં નર્તકીઓને મોકલવાનું કહીને, દૂતને વિદાય કર્યો. દરમ્યાનમાં એમને, એમના એક મિત્ર વિદ્યારે કેટલીક વિદ્યાઓ આપેલી, તે યાદ આવી. એમને થયું કે આ વિદ્યા સાધી લઈએ તો દમિતારિને પરાસ્ત કરી શકાય. પરંતુ એ બને હજી આટલો વિચાર જ કરે છે ત્યાં જ, એ વિદ્યાઓની અધિષ્ઠાયિકા દેવીઓ એમની સમક્ષ પ્રગટ થઈ અને કહેવા લાગી: “તમારે જે કાર્ય કરવું હોય તે કરે, અમે તમારી સહાયમાં હાજર જ છીએ. » બન્નેએ વિદ્યાઓની પૂજા કરી. આ પછી તેઓ, પિતે પેલા દૂતને કહેલ વાતને અમલ કરવાની બાબતમાં બેફિકર બનીને, લાંબા વખત સુધી ચૂપકીદી સેવતા રહ્યા. એટલે દમિતારિએ પુન: પિતાનો દૂત મોકલ્યો. એ આવીને કહે, તમે નાહક શા માટે રાજાને ગુસ્સે કરાવે છે? ઝટ મોકલવાનું વચન આપીને ય તમે નતંકીઓને હજી કેમ નથી મોકલી ? ? અનન્તવીયે ગુસો દાબીને જવાબ આપ્યો: બે નટડીથી જ જો એ રાજી થતું હોય તે તું કાલે એમને લઈને જ જજે.” પેલે રાજી થયા. બીજે દહાડે, એ બન્નેએ, રાયભાર મંત્રીઓને ભળાવીને, વિદ્યાની મદદથી, બર્બરી અને કિરાતીનાં રૂપ લઈ લીધાં. પછી દૂત સાથે દમિતારિ પાસે પહોંચ્યા અને ઉત્તમ નૃત્ય કરીને એને રાજી રાજી કરી દીધો. એમના નૃત્યકૌશલથી સંતુષ્ટ થયેલા દમિતારિએ, એ બન્નેની નિયુક્તિ, પોતાની પુત્રી કનકશ્રીની નૃત્યશિક્ષિકા તરીકે કરી. નૃત્યશિક્ષણ દરમ્યાન, એક વખત એ બન્નેએ કનકશ્રીને પિતાનું ખરું સ્વરૂપ દેખાડયું, તો કનકશ્રી અનન્તવીર્ય ઉપર મોહી પડી. એટલે, તેની સંમતિથી, પોતાના સાચા રૂપમાં જ, અપરાજિતની મદદ લઈને, અનન્તવી તેનું અપહરણ કર્યું, અને વિમાનમાં બેસી, આકાશમાં જઈને દમિતારિ તેમ જ નગરજનોને જાહેર કર્યું કે “ આ રાજપુત્રીનું હું અનન્તવીર્ય અપહરણ કરી જઉં છું. કોઇની તાકાત હોય તો તેને છોડાવવા આવે." અને તત્કાળ તેઓ ત્યાંથી નાસી છૂટયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy