SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિનાથચરિત્ર-ચિત્રપટ્ટિકા ૪૯ ઘેર પાછા આવ્યા અને, રાજયાદિકની ચાગ્ય વ્યવસ્થા કરીને, ઉત્સવપૂર્વક, બન્નેએ, અભિનન્દન નામના ચારણમુનિ પાસે દીક્ષા લીધી. -01 (૧૦) આપણે ભૂલવું ન જોઈએ કે, અમિતતેજ એ શ્રીષેણનું જ રૂપાંતર છે. શ્રીણમાંથી યુગલિક મનુષ્ય, તેમાંથી દેવ અને તેમાંથી અમિતતેજ. આમ, શ્રીણના ઉન્નતિગામી આત્માના જીવનચક્રનુ આ મધુરાંત ચાથું જીવન હતું. એ સમાપ્ત થયે, તે તેમ જ શ્રીવિજય, દસમા દેવલાકમાં, નન્દિતાવત્ત અને સુસ્થિતાવત્ત નામનાં વિમાનાના સ્વામી તરીકે, ક્રમરાઃ, દિવ્યચલ અને મણિચૂલ નામના વા થયા. આ દેવભવ પૂરો કરીને તે મને. શુભાનગરીના સ્તિમિતસાગર રાજાની વસુન્ધરા અને અનુદ્ધરા નામક રાણીના પુત્રા તરીકે ઉત્પન્ન થયા. તેમાં અમિતતેજના આત્મા, વસુન્ધરાના અપરાજિત નામના પુત્ર તરીકે, મળદેવરૂપે જન્મ્યા. અને શ્રીવિજયના આત્મા, અનુન્દ્વરાનેા અનન્તવીર્ય નામના વાસુદેવ-પુત્ર થયા. જૈન પરંપરામાં ઇતિહાસપુરુષા ત્રેસઠ છે, તેઓ ત્રેસઠ ( ત્રિષષ્ટિ) શલાકાપુરુષ તરીકે ઓળખાય છે. તેમાં ર૪ તીથકો, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવા, ૯ પ્રતિવાસુદેવા અને ૯ મળદેવાના સમાવેશ થાય છે. ચક્રવર્તી રાજા છ ખંડ પૃથ્વીના સ્વામી-સમ્રાટ અને છે, જ્યારે વાસુદેવ ત્રણ ખંડ પૃથ્વીના માલિક-અધચક્રી અને છે, વાસુદેવના એમાન મેઢાભાઇ તે અળદેવ, પણ વાસુદેવ અને બળદેવના સ્નેહુ અલૌકિક હોય છે, વાસુદેવનેા સમાવડિયા પ્રતિસ્પર્ધી તે પ્રતિવાસુદેવ, ક્રમ એવા છે કે પ્રતિવાસુદેવ મહેનત કરી કરીને અને યુદ્ધો લડી લડીને ત્રણ ખંડનુ સામ્રાજ્ય મેળવે. પછી, એના સામ્રાજ્યકાળમાં, કોઈપણ સમયે, અને એના સામ્રાજ્યના જ કોઇક ભાગમાં, કાઇક રાજાને ત્યાં બળદેવ અને વાસુદેવ જન્મે, તે માટા થઈને એવા અળિયા થાય કે પ્રતિવાસુદેવને પણ તેમના ભય લાગવા માંડે અને તેથી તે, તેમને, ઊગતાં જ ડામવા પ્રેરાય. આ અથવા આવા કોઈપણ કારણે, વાસુદેવ અને પ્રતિવાસુદેવ વચ્ચે ધાર યુદ્ધ ખેલાય, જેના અંત વાસુદેવની તરફેણમાં જ આવે. આપણે ત્યાં થઈ ગયેલા પ્રસિદ્ધ ઇતિહાસપુરુષામાં રામ બળદેવ, લક્ષ્મણ વાસુદેવ, અને રાવણ પ્રતિવાસુદેવ હતા. એ જ રીતે મહાભારતના બળભદ્ર તે મળદેવ, કૃષ્ણ તે વાસુદેવ અને જરાસન્ધ તે પ્રતિવાસુદેવ હતા. યાદ રહે કે આ જૈન માન્યતાના ઇતિહાસ છે. ચક્રવર્તી રાજાની પાસે ચૌદ રત્ના હાય છે, અને વાસુદેવ પાસે સાત રત્ના હોય છે. રત્ના એટલે રત્ન જેવી અમૂલ્ય-અપૂર્વ વસ્તુ. વાસુદેવનાં સાત રત્નાનાં નામ આ પ્રમાણે છે : ૧. ચક્રરત્ન, ૨. માળારત, ૩. ગદારન, ૪. છત્રરત્ન, પ. તલવારરત્ન, ૬ શખરન, ૭. ધનુષ્યરત્ન, આ બધી વસ્તુઓ રત્ન એટલા માટે કહેવાય છે કે (૧) તે બધી દેવતાિિષ્ઠત હેાય છે; (૨) વાસુદેવ સિવાય બીજી કાઈ, તેના ઉપયોગ કરવા તા દૂર રહ્યો પણ, તેની પાસે પણ જઈ શકતું નથી; (૩) તે રહ્ના અપ્રતિહત હોય છે, એટલે કે તેના ઉપયોગ વાસુદેવે કર્યાં પછી તેને અવરોધવાની કે નિષ્ફળ બનાવવાની, ત્રણ ખંડમાં કોઈનીય તાકાત નથી, અને આ રત્ના પણ ચાક્કસ સમયે જ વાસુદેવને પ્રાપ્ત થતાં હાય છે. આ રત્નાની વિશિષ્ટતા અને તેની ઉપયોગિતા તેમ જ તેના ઉપયાગ કરવાથી નીપજતાં પિરણામા વગેરેની ચર્ચા જૈન પ્રથામાં વિસ્તારપૂર્વક કરાયેલી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy