SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિનારિત્ર-ચિત્રપદ્મિકા ( ચિત્ર–૩૦ ) એ વૃક્ષની નીચે, સેાહામણા બાજઠ ઉપર બેસીને, શ્વેત અધાવધારી શાન્તિનાથ, ખુલ્લા ડીલે, પાતાના હાથવતી, મસ્તકના કેશના લાચ કરી રહ્યા છે. તેમની સામે ઊભેલી મુગટ વગેરે આભૂષણાથી અલંકૃત વ્યક્તિ તે ઈન્દ્ર છે. શાન્તિનાથના કેશને ઝીલી લેવા માટે, બે હાથની અંજલિ ચીને તે ઊભા છે, અને તેના હાથમાં થાડાક કેશ (શ્યામ રંગના ) પણ જોઈ શકાય છે. શાન્તિનાથ તથા એમની પાછળના વૃક્ષની વચ્ચે મેાતીના હાર અને શાન્તિનાથ તથા ઈન્દ્રની વચમાં એક કુંડળ અને તેની નીચે, સહેજ દૂર, એક મુગઢ—આ બધું પડયું છે, તે શાન્તિનાથના અલંકારો છે. દીક્ષા લેનાર તી કરના શરીર પર, દીક્ષા લેતી વખતે, એક પણ વજ્ર હેાતુ' નથી, આમ છતાં, અહીં શાન્તિનાથ ભગવાનના શરીર પર જે અધાવસ્ર પહેરેલુ' જોવા મળે છે, તેનું કારણ ચિત્રકારના ઔચિત્યપ્રેમ જ છે. કલાને લાગે વળગે છે ત્યાં સુધી, નગ્નતા એ ઔચિત્યભગનું કે અનૌચિત્યનું લક્ષણ છે. એને ટાળવા માટે ચિત્રકારે અહી વાસ્તવિકતાનું પણ, પૂરી સભાનતાથી ઉલ્લંઘન કર્યુ છે, અને એ આપણને પણ ઉચિત જ લાગે છે.૨૨ ઇન્દ્રની પાછળ એ વૃક્ષો છે તેમાં નાનું તે કેળનું વૃક્ષ હાય તેવું લાગે છે અને માઢે. તે આમ્રવૃક્ષ છે. ( ચિત્ર–૩૧ ) આ ચિત્રખંડ આપણે ઊલટા ક્રમે જોવાના છે. આ ચિત્રમાં સૌથી છેલ્લે, લાંબા તાણ અને એ ધ્વજાએ વડે સુશાભિત સુંદર રાજમહાલયમાં બેઠેલી મુગટધારી વ્યક્તિ ઢેખાય છે. તે છે રાજા સુમિત્ર લીલી પૃષ્ઠભૂમિકા દ્વારા તેની વિશિષ્ટતા સૂચવાય છે, તેનું માં ચિત્રની શરૂઆતમાં સુનિવેષ પહેરીને ઊભેલા ભગવાન શાન્તિનાથ તરફે છે—જાણે કે તે ભગવાનની રાહ જ જોતા ન હોય ! મહેલની બહાર, હાથમાં સૂપડા જેવું લાગતુ. સુવણ પાત્ર લઇને સુમિત્ર ઊભા છે, અને તે એ પાત્રને નમાવીને, પાતાની સામે કપાત્ર રચીને ઊભેલા ભગવાનને ખીર વ્હારાવી રહ્યો છે. તીર્થંકરની આહારક્રિયા, ચ ચક્ષુવાળા મનુષ્યા જોઈ ન શકે એવા નિયમ છે, અને તે નિયમને ચિરતા કરવા માટે જ, પ્રસ્તુત દૃશ્યમાં ભગવાનના હાથમાં પડતી ને પડેલી ખીરને ચિત્રકારે અદશ્ય રાખી હશે, એવી કલ્પના થાય છે. ભગવાન અને સુમિત્રની વચ્ચે, ઉપરના ભાગમાં, બે વા નૃત્ય કરીને ભગવાને પારણું કર્યું. તેના આનંદ વ્યક્ત કરી રહ્યા છે, અને, સાથે સાથે, સુમિત્રના ઘરઆંગણામાં પાંચ દિવ્ય પદાર્થની વૃષ્ટિ પણ કરી રહ્યા છે. એ પાંચ દિવ્ય પદાર્થોં પૈકી એક, સ્વર્ણમુદ્રાઓની વૃષ્ટિના પ્રતીક સમી ચાર પીળા રંગની ગાળ મુદ્રાઓ સુમિત્રના પગ પાસે પડેલી જોઈ શકાય છે. ((212-32) સુમિત્રના રાજમહાલય પછી, બન્ને બાજુએ રહેલા એક-એક વૃક્ષની મધ્યમાં, પદ્માસને બિરાજેલી આકૃતિ તીર્થંકર શાન્તિનાથની છે. આ મુદ્રા તેમને પ્રાપ્ત થઈ રહેલા કેવળજ્ઞાનની-તેમના કેવળજ્ઞાનકલ્યાણકના સમયની મુદ્રા છે. પદ્માસનમાં મિરાજેલી તેમની દેહમુદ્રા શિથિલ-અકડાઈ વગરની છે. Jain Education International For Personal & Private Use Only www.jainelllbrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy