SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિનાચરિત્રચિત્રકા હાથ ઢાબા ઢીંચણ ઉપર ટેકવ્યા છે. અને જમણા હાથે તેઓ હાર આપી રહ્યા છે. દ્વાર મેળવનાર ગ્યા વ્યક્તિની પાછળ દાન લેવા માટે બીજો એક પુરુષ ખાબો ધરીને ઊભા છે. શાન્તિનાથની પાછળ એક મુગઢધારી આકૃતિ ઊભી છે, તે કાં તો તેમની અંગરક્ષા માટે અને કાં તા દાનરૂપે આપવાના પદાર્થો પૂરા પાડવા માટે ઊભી હોવાનુ લાગે છે. દાન લેવા માટે ઊભેલી બે વ્યક્તિઓએ પહેલા ધાવસની રંગા અત્યંત મનેાહર અને માહક છે. બન્નેએ ત્રણ તારવાળી જનાઈ પહેરી છે. ( ચિત્ર-૨૯ ) આ પ્રસંગ પછી અંકાયેલું દીક્ષાયાત્રાનું સમગ્ર દૃશ્ય અદ્દભુત કહી શકાય તેવું, ભવ્ય અને અનામ છે. ચાર પુરુષા ( તે ચાર ઇન્ડો હોવા જોઈએ ), બે હાથ અહર કરીને, માથા ઉપર પાલખી ઉપાડીને જઈ રહ્યા છે. એમની ગતિમાં લયબદ્ધ વરા છે. પાલખી પણ નકશીકામથી સભર છે. સપાટ ŕળયું; તે પર મંડાયેલી ઘાટદાર પીઠ ( પ્લીન્થ ) ઉપર, બહાર નીકળી આવેલા એ ખુલ્લા ઝરૂખા ( પાલખીની બન્ને તરફ એક-એક ); એ ઝરૂખાની સ્તંભ જેવી લાગતી ડીવાલાના આધારે ગાઢવાયેલી ઘાટીલી અને નાનકડા કળાથી ચાભતી તમા પાલખીના સ્થૂલ પશ્ચિમ છે. પાલખીમાં લાલરગની ગાદી ઉપર બેઠેલા શાન્તિનાથ ઢાબા હાથ વતી કાકાનુ અભિવાદન ઝીલી રહ્યા છે. તેમના જમણા હાથની તર્જની અને 'ગૂઠાનું મિલન, પ્રવચનમુદ્રાના ભાસ કરાવે છે. અથવા જે પ્રસંગ બની રહ્યો છે—ઊજવાઈ રહ્યો છે, તે અત્યુત્તમ છે, એવું પણ તેઓ આવી મુદ્રા દ્વારા સૂચવતા હોય. આજે પણ કાંઈક ઉત્તમ થયું કે થતું હાય ! આવી મુદ્રા કરીને તેની પ્રાસા કરવાની પ્રથા છે. પાલખીમાં તે બેઠા છે. તેટલા ભાગની પૃષ્ઠભૂમિ લીલી છે, પણ તેમની પછવાડે તેમના માથે છત્ર ધરવા માટે ઊભેલા છત્રધર પુરુષની પાછળની પૃષ્ઠભૂમિ ના લાલ થણની જ છે. ચિત્રકાર આવી સુક્ષ્મ બાબત અંગે પણ કેટલા સજાગ રહ્યા હો ! પાલખીના અને ઝરૂખાઓમાં એક-એક ચવતી બેઠી છે. તેમાં આગળના ઝરૂખે બેઠેલી સ્ત્રીના હાથમાં ચામર છે. પાલખીની આગળ દીક્ષાયાત્રામાં ભાગ લઇ રહેલુ` સાજન-મહાજન-વૃંદ છે. અહી એના પ્રતીકરૂપે, ઉપલી હરોળમાં બે અને નીચલી હરોળમાં ત્રણ એમ કુલ પાંચ વ્યક્તિઓ દેખાય છે. ઉપલી હરોળ ડી પહેલી આકૃતિના એક હાથમાં હમરુ જેવુ' હસ્તવાદ્ય છે. અને તેના બીજા હાથમાં તે વાઘને વગાડવા માટેનું નાની લાકડી જેવુ' કાંઈક સાધન છે. મા બીજો હાય તેણે એવી રીતે ઊંચા કર્યાં છે કે તેણે આ વાદ્ય વગાડવા માટે જ ામ કર્યુ હ્રય એવુડ લાગે છે. તેની આગળની ખાકૃતિ બે હાથ પકડી રાખેલ ભૂંગળ નામનું વાજિંત્ર મેાં વતી વગાડી રહી છે. નીચલી હરોળમાં, પહેલી વ્યક્તિના એક હાથમાં ઝાલર અને બીજા-ઊંચા કરેલા હાથમાં તે વગાડવાની હાંડી છે. ત્રીજી વ્યક્તિના એક હાથમાં ઢોલક અને બીજા હ્રાથમાં તે વગાડવા માટેની દાંડી દેખાય છે. અને ત્રીજી વ્યક્તિ ભૂગળ વગાડી રહી છે. આ પાંચ પૈકી ઝાલરવાળી આકૃતિના મસ્તક પર મુગટ નથી, બાકી સૌએ મુગઢ પહેલા છે. આખીયે દીક્ષાથાવા વસ્તુગાંત ઢાડી રહી છે. બન્ને હાળામાં માખરે ચાલતા ભૂંગળવાદકોની સામે જ એક વૃક્ષ દેખાય છે. શાન્તિનાથની દીક્ષાયાત્રા સહસ્રામ્રવન, નામના ઉપવનમાં ઊતરી હેાવાથી, તે વનનુ સૂચન મા પ્રવૃક્ષ દ્વારા થયું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy