SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તિનાથચરિત્ર-ચિત્રપટ્ટિકા લીલો રંગ તે મણિ, અને તેની ફરતો નકશીદાર ગોળ પરિવેષ તે વીંટી અથવા મણિને મૂકવાના પાત્ર જે કઈક પદાર્થ હોય એવું લાગે છે. કાકિણુનનો આકાર શ્રીવત્સ જેવો લાગે છે. ખગરન (તલવાર) ના પાનાનો વચલો ભાગ શ્યામ અને તેની ધાર (કિનારી)ત છે. છેક છેલ્લે ગોળાકાર ઘાટીલી લાકડી જેવું દંડરન છે, અને તેની બાજુમાં જ ઊભી દીવાલ છે. એ દીવાલની પછી, ઉપરનીચે બે વિભાગમાં, અનુક્રમે પાંચ અને ચાર-એમ કુલ નવ નિધાન-કળશે છે. ઉપરની હરોળમાં પાંચ નિધાન-કુંભ સમાવવાના હોઈ તે કુંભનું કદ સરખામણીમાં નાનું છે. એ કુંની પૃષ્ઠભૂમિ લાલ હોઈ, તેમના કંઠપ્રદેશ પાસે, આછા લાલ રંગનું ચિતરામણ છે; જ્યારે નીચલી હરોળમાં ચાર જ કુંભ સમાવવાના હોઈ, તેમનું કદ જરા મોટું છે. વળી, એ કુંભની પૃષ્ઠભૂમિ લીલા વણની હાઈ તેમના કંઠભાગની સમીપે ઘેરા લાલ રંગ વડે સુશોભન દોરવામાં આવ્યું છે. અને હરોળની વચમાં લાકડાની અભરાઈ જેવો આડો પડ્યો છે. બીજી કાષ્ઠપફ્રિકાના અગ્રભાગનો ઉત્તરાર્ધ અહીં પૂર્ણ થાય છે. એ સાથે જ શાન્તિનાથના જીવનનું અને ચરિત્રનું ચક્રવર્તી તરીકેનું એક પાસું પણ પૂરું થાય છે, (ચિત્ર-૨૭) બીજી કાષ્ઠપટિકાના પૃષ્ઠભાગના પ્રારંભમાં, લાલ ગાદી ઉપર, ઊભા કરાયેલા ડાબા ઢીંચણ અને કમરને કરતું લાંબા પટ્ટા જેવું વસ્ત્ર વીંટાળીને બેઠેલી મુગટધારી ભવ્ય વ્યક્તિ, ચક્રવતી" અવસ્થામાં રહેલ તીર્થકર શાન્તિનાથ છે, તેમની પાછળ છત્રધર સેવક ઊભે છે, અને તેમની સામે, બે હાથ જોડીને બે મુગટધારી આકૃતિઓ ઊભી છે. એ બે આકૃતિઓ નવલોકાંતિક દેવોનું પ્રતિનિધિત્વ કરતા બે ટેવ છે. શાન્તિનાથને તેમનો દીક્ષાકાળ નજીક આવી ચૂકયો હોવાનું અને તેથી સંસારને ત્યજીને સંયમ ગ્રહણ કરવા માટેની વિનતિરૂપ નિવેદન તેઓ કરી રહ્યા છે, એ સમજવું અઘરું નથી. શાન્તિનાથના મસ્તક ઉપર મુગટ ઉપરાંત તેમના અંબોડાને ઢાંકતુ, લટકતા છેડાવાળું ફેટા જેવું વસ્ત્ર પણ દેખાય છે. તેમણે કમરે વીંટાળેલું, બને બાજ લીલી કિનારીવાળું ને મધ્યભાગમાં આછી પાતળી લાલ રેખાઓવાળું લાંબું વસ્ત્ર અને તે વસ્ત્રના બન્ને છેડા મેળવીને ડાબા પગની પાછળ વાળવામાં આવેલી સહકા ગાંઠ (દાઢ ગાંઠ) શાન્તિનાથની ભવ્યતાને વિશેષ સૌન્દર્યમંડિત બનાવે છે. તેમનો જમણે હાથ વિનતિને સ્વીકાર કરવાની મુદ્રામાં છે, તો તેમના ઊંચા થઈને પોતાની તરફ જ વળેલા ડાબા હાથની આંગળીઓની કલાત્મક ગોઠવણી, એ હાથમાં સુંદર અને તાજા ખીલેલા કમળપુષ્પને આભાસ કરાવે છે. આમ તો, પટ્ટિકાની સર્વ પુરુષાકૃતિઓએ પગે તેડા પહેરેલા છે જ, પણ આ (શાન્તિનાથની) આકૃતિમાં તે એકદમ સ્પષ્ટ દેખાય છે. બે પૈકી પહેલા દેવને લીલી પૃષ્ઠભૂમિ પર ઊભો રાખ્યો છે. અને તે બન્ને દેવોએ પણ અધોવસ્ત્ર ઉપર વીંટાળેલા કટિવની સહકાગાંઠ અને તે વજના લટકતા છેડા ખૂબ રળિયામણા લાગે છે. (ચિત્ર-૨૮). લેકાંતિક દેવની આકૃતિઓ પછી તરત જ, લીલી ગાદી બિછાવેલા બાજઠ ઉપર બેઠેલા શાન્તિનાથ, સામે બે હાથ ધરીને ઊભેલી વ્યક્તિને સુંદર હારનું દાન આપી રહ્યા છે. તેમણે ડાબો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy