SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિનાથચરિત્ર–ચિત્રપટ્ટિકા ફર સ્થિર-અતરલ અને સૌમ્ય એવી આંખામાંથી પ્રશમ-રસ ધ્રુવી રહ્યો છે. હવે ત્યાં હ` કે શાક અથવા આન કે ઉદ્વેગની એકાદ રેખા પણ રહી નથી, એ જોઈ શકાય છે, તીથંકરનું દેહસ’સ્થાન ( શીરાકૃતિ અથવા શરીરરચના ) · સમચતુસ્ર સ’સ્થાન ” નામે ઓળખાય છે, જે આકૃતિમાં ચાર ખૂણા સરખા હાય, તે સમચતુભ્ર સસ્થાન. તે આ રીતે; પદ્માસને બેઠેલ મનુષ્યના ૧. ડાભા ઢીંચણથી જમણા ખભેા; ૨. જમણા ઢીંચણથી ડાા ખભ્ભા; ૩. એ ઢીંચણુ વચ્ચેનુ' અંતર, ૪. આસનના મધ્યથી લલાટ સુધી; આ ચારેય અંતર જો ફ્રૂટપટ્ટીથી માપીએ ને એકસરખાં-જરાપણ ઓછાં-વધતાં નહિ એવાં—હાય, તે તે આકૃતિ સમચતુસ્ર ગણાય. તીર્થંકર, શાન્તિનાથનું શરીરસંસ્થાન ના સમચતુસ્ર હતું જ, પરંતુ અહી”, આ એમની ચિત્રાકૃતિમાં પણ ચિત્રકારે એ સંસ્થાન ઊતાર્યું`` છે. ભગવાનની આ ચિત્રાકૃતિના ઉપર ગણાવેલાં ચાર અંતર જો ફ્રૂટપટ્ટીથી માપીશું, તા તે ચારેય અંતર એકસરખાં નીકળશે. આ અંતર એક ઇંચમાં લગભગ એક દ્વારા આછું, એટલુ છે. સારાંશ એ કે ચિત્રકારે ભગવાનની આ પ્રતિમાસમી આકૃતિ એવી અદ્દભુત રીતે આલેખી છે કે એ જોતાં જ આપણી આંખ ઠરે છે, અને એકીટશે એની સામે નિખ્યા કરવાનું મન થયા કરે છે. બારમા-તેરમા શતકની નયનાહૂલાદક ને ચિત્તસતક જિનપ્રતિમાઓનું સ્મરણ, આ ચિત્રાકૃતિને જોતાં, અનાથાસે જ, થઇ આવે છે. ભગવાનની આ આકૃતિની ડાબી બાજુ એટલે કે આગળ, ઉપર-નીચે એક એક એમ બે આકૃતિઓ છે. ઉપરની આકૃતિ એક સાધુની અને નીચેની આકૃતિ એક શ્રાવકની છે. ભગવાન શાન્તિનાથે સ્થાપેલા સાધુસંઘ અને શ્રાવકસઘના પ્રતીકરૂપે આ બે આકૃતિઓ અહી આલેખાઈ છે. સાધુ તે બીજું કાઈ નહિ, પણ ચક્રાયુધ ગણધર છે. તેઓ પદ્માસન વાળીને પ્રવચન કરતા હેાય તેવી મુદ્રાએ બેઠા છે, તેમના ડાબા હાથમાં મુખવસ્ત્રકા છે, અને તેમના શ્વેત આસન પર જમણી તરફ રજોહરણ દેખાય છે. નીચે લીલી પૃષ્ઠભૂમિ પર બેઠેલા શ્રાવક ઉત્તરાસંગના છેડા પકડેલા બે હાથ જોડીને ચૈત્યવંદન-મુદ્રાએ બેઠા છે. એ પછી, આ બન્ને આકૃતિઓ જેની સન્મુખ માં કરીને બેઠી છે તે, સમવસરણ છે. તેની મધ્યમાં તીર્થંકર ભગવાન શાન્તિનાથ બિરાજેલા ષ્ટિાચર થાય છે. ભગવાનના દેહના પીળા વણ તે કંચનવર્ણા હોવાનું સૂચવે છે. સમવસરણ પછી તરત જ એ ઉપર્ અને એ નીચે-કુલ ચાર આકૃતિઓ આલેખાઈ છે, તેમાં ઉપરની શ્વેતવસ્ત્રાચ્છાતિ એ આકૃતિ તે ભગવાનના સાધ્વીસ ધનુ પ્રતિનિધિત્વ કરતી એ સાધ્વીએ છે, અને કાષ્ઠના અલગ અલગ ફલક પર તેઓ બેઠી છે, બન્નેના જમણા હાથમાં મુખવસ્ત્રકા છે. માઢું, બન્ને હાથના આગળના થાડાક ભાગ અને ઢીંચણ સુધીના પગ-આટલાં અંગેા બાદ કરતાં બન્નેનાં આખાં શરીરને લાલ કિનારીવાળા શ્વેતવસની ઊભી પેટીમાં ગાઠવ્યું હોય તેવું લાગે છે, એ કાળમાં ( તેરમા શતકમાં ) સાધ્વીઓના પહેરવેશ કેવા હશે તેના કંઈક ખ્યાલ આ ચિત્ર જોતાં આવી શકે છે, અહીં નોંધપાત્ર બાબત તા એ છે કે સાધ્વી છતાં બન્નેનાં માથાં ખુલ્લાં–વસ્ર ઢાંકયા વિનાનાં-છે. નીચે દેખાતી એ આકૃતિએ, એ શ્રાવિકાઓની છે, અને ચૈત્યવંદનની મુદ્રાએ, ડાખો ઢીચણ ઊભા કરી, હાથ જોડીને બેઠી છે. બન્નેએ સાડી જેવા વજ્રવર્ડ પોતાનાં માથાં ઢાંકયાં છે. આમ છતાં, તેમના અોડા તા ઢેખાય છે, એટલે કાં તે એ માથે ઓઢેલુ' વજ્ર આરપાર રખાય તેવુ' બારીક હશે અને કાં તો માથે આઢવા છતાં અંબોડો બહાર ખુલ્લા રહી શકે તેવી કાંઈક વ્યવસ્થા હશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy