SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તિનાથ ચરિત્ર-ચિત્રપટ્ટિકા મહત્ત્વ ધરાવતી વ્યક્તિઓ, પોતાનું મહત્ત્વ દર્શાવવા માટે, જાહેર સમારંભોમાં કે સભાસ્થાનમાં બેસે ત્યારે પોતાની તર્જની આંગળી આ રીતે—અલબત્ત, યોગ્ય અવસરે અને જરૂર જણાય ત્યારે ઊંચી કરીને, પિતાનું મહત્ત્વ પ્રદર્શિત કરતી હશે, એ પ્રથાને જ શ્રી હેમચન્દ્રાચાર્યે પોતાના ઉપર્યુક્ત પદ્યમાં આલંકારિક રીતે વણી લીધી હોય અને એ પ્રથા જ અહીં, કાષ્ઠપટ્ટિકાની આકૃતિઓની ઊંચી કરાયેલી તજની દ્વારા ચિત્રબદ્ધ થઈ હોય, એમ ક૯પના કરવાનું મન લલચાય છે. અમ્યુકેન્દ્રનું અને અન્ય તમામ પુરુષાકૃતિઓનું પણ ઉપરનું પહેરણ અધ બાંયનું છે. બાકીના ખુલા હાથના મણિબંધ ઉપર પહેરેલાં કડાં, પાતળી રેખાના રૂપમાં દેખાય છે. પહેરણમાં ગાજ-બટન નાખવાની પ્રથા કયારથી આરંભાઈ, તે તે સ્વતંત્ર સંશોધનનો વિષય છે. આમ છતાં, એ પ્રથા બહુ જુની હાય એમ તો નથી લાગતું; કદાચ અંગ્રેજો દ્વારા એ આ દેશમાં દાખલ થઈ હોય. એટલે આ ચિત્રાંકનના કાળમાં ગાજ-બટનની કે તેવી કેઈ બીજી પદ્ધતિનું અસ્તિત્વ નહોતું, એમ આ ચિત્રોમાં દેખાતાં, બટન-વિહાણ કે બુશશ જેવાં, ખુલેલાં પહેરણ જોવાથી સમજી શકાય છે. વીરતાનું પ્રદર્શન કરવા માટે છાતીને પ્રદેશ ખુલ્લો રાખવાની-છાતી કાઢીને બેસવાની પ્રથા આ દ્વારા સૂચવાતી હશે. અયુતેજના અંગ પર એક લાંબો ખેસ છે. (દરેક પુરુષે પોતાના અંગ પર ખેસ ધારણ કરે જોઈએ, એવી શાસ્ત્રીય મર્યાદાનું આ રીતે સૂચન થતું હોય એમ લાગે છે.) ખેસ માટેનો પારિભાષિક શબ્દ ઉત્તરસંગ છે. એ ઉત્તરાસંગનો એક છેડો એના અર્ધાન્નત જમણા પગ તરફના ખોળામાં થઈને બહાર નીકળી આવ્યો છે, તે તેને બીજો છેડો, તેના ઊંચા કરેલા ડાબા હાથની બાંય ઉપરથી પસાર થઈને નીચે-છેક ડાબા પગની ય આગળ સુધી ફેલાયો છે. જમણા પગ તરફના છેડાની કિનાર આછી લાલ છે અને ડાબા પગ તરફના છેડાની કિનારને રંગ પણ લાલ જ છે. પણ સરખામણીમાં એ વધુ ઘેરે કહી શકાય તેવું લાલ છે. ઘેરા લાલ લાગતા છેડાવાળો ભાગ તે ચત્તો અને આછી લાલાશવાળો છેડો તે ખેસનો ઊધો ભાગ હોવાનું ક૯પી શકાય, લગભગ મોટા ભાગની પુરુષાકૃતિઓના અંગ પર આ પ્રકારને ખેસ છે, એ હકીક્ત પણ અહીં જ બેંધવી જોઈએ, આગળ ચાલીએ, અમ્યુકેન્દ્રના વિમાનને અડીને જ ઊભેલા છત્રધર સેવક તરફ પીઠ કરીને બેલી મુગટધારી વ્યક્તિ, તે છે રાજા મેઘનાદ એટલે કે ભૂતકાલીન અનન્તવીર્ય. એના ઊંચા થયેલા હાથને અડીને ઊભે કરાયેલો પાતળે દંડ એ પ્રસ્તુત પ્રસંગની સમાપ્તિનું ચિહ્ન-ભીંત છે. દૃશ્ય બદલાય છે. હવે આપણી નજરે પડતી બે આકૃતિઓ પૈકી પહેલી મુગટધારી વ્યક્તિ તે અમ્યુકેન્દ્ર છે. અને તેની સામે બેઠેલ મુગટ વિનાની વ્યક્તિ, મેઘનાદ છે. અય્યતેન્દ્ર હાથ ઊંચો કરીને ધર્મબોધ આપી રહ્યા છે. અને મેઘનાદ બે હાથ જોડીને તે સાંભળી રહ્યો છે. અમ્યુકેન્દ્રની વાતો મેઘનાદને પ્રસન્ન કરી રહી હોવાનું સૂચક સ્મિત તેના હૈ પર કળી શકાય છે. જો કે અમ્યુટેન્દ્રના માં પર પણ સ્મિતની ઝલક તો છે જ. અહીં પણ, અય્યતેન્દ્રની મહત્તા જાળવવાના હેતુઓ અને મેઘનાદને શિષ્યભાવ બતાવવા માટે, ચિત્રકારે, મેઘનાદ રાજા હોવા છતાં તેના મસ્તક પર મુગટ નથી દર્શાવ્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy