SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તિનાથચરિત્ર-ચિત્રપદ્રિકા તેમનામાં અને પાષાણની પ્રતિમામાં કઈ જ તફાવત ન રહે. બે વૃક્ષોની વચમાં, કાત્સર્ગમુદ્રા ધરીને ઊભેલા દેખાતા મુનિની સ્થિર આંખો તથા હાથ અને પગની સ્ટાર સ્થિતિ દ્વારા રચાતું તેમનું સપ્રમાણ દેહસંસ્થાન છે કે તે “પ્રતિમા હવાને આભાસ ઊભો કરે છે ખરું, પણ છતાં, મુનિને જોતાવેંત, આપણને, “આ તે કાસગયાને ઊભેલા મુનિ છે” એવું ભાન થઈ જાય છે, તે પાષાણપ્રતિમાની આસપાસ હોય તેવા વાતાવરણની ગેરહાજરીને લીધે જ, નાભિથી ઢીચણ સુધીનું અધવચ બાદ કરતાં બીજા કોઈ વસ્ત્ર કે વસ્તુ વગરનું શરીર, મુનિની અપરિગ્રહ દશાને અને ઊંડું ઉતરી ગયેલું પેટ, મુનિના કઠોર તપને સૂચવે છે. બીજા વૃક્ષની પછી તરત જ, એકમેકની વિરુદ્ધ દિશાઓમાં ફરકતી બે વિજાઓથી અલંકૃત શિખરયુકત અને અત્યાર સુધીમાં આવી ગયેલા તમામ વિમાન કરતાં કાંઈક જુદું તરી આવે તેવા ભરાવદાર ઘાટવાળા વિમાનમાં, લીલી પૃષ્ઠભૂમિકા ઉપર, લાલ ઉપરિવસ્ત્ર અને મુગટ પહેરીને, સુશોભિત મખમલી ગાદી ઉપર બેઠેલી રેખાતી આકૃતિ તે અમ્યુકેન્દ્ર (અપરાજિત બળદેવ મુનિને નવો અવતાર ) છે. પિશાસ્ત્રમાં વવાતાં અને દેવાલયોમાં હોતાં વિવિધ થેરે સમેતની બે બાજુની બે પીઠ, તેની ઉપર બને તરફ બહાર નીકળતાં ટોડલાં, તેના પર બે થાંભલીઓ અને તેના આલંબને ગોઠવાયેલી, દેવાલયમાં હોય તેવી નાનકડી ઘૂમટીવાળી છતથી નકદાર દીસતાં પીળા વર્ણના આ વિમાન પર લાલ અને કાળી, બબ્બે ને ત્રણ ત્રણ રેખાઓ ઉચિત અંતરે આંકીને ચિત્રકારે કરેલું સુંદર અને અતિબારીક એવા નકશીકામનું અંકન, અમૃતેજના મોભાને અનુરૂપ જ તેનો પરિવેષ હા જોઈ એ એવા ચિત્રકારના આગ્રહનું તેમ જ ઔચિત્ય પણ એક વિશિષ્ટ કલાઅંગ છે, એવી તેની કેઠાસૂઝનું ઘાતક છે, અહી દોરાયેલી આકૃતિઓના હાથ અને પગના આંગળાઓનું અજંતા વગેરેનાં ગુફા-ચિત્રોમાંની આકૃતિઓમાં હોય છે તેવું સ્પષ્ટ ચિત્રણ કયાંય જોવા મળતું નથી. આમ છતાં, સમગ્ર કાષ્ઠ૫ટિકામાં, જ્યાં જ્યાં આસન ઉપર બેઠેલી આકૃતિ દોરવામાં આવી છે, ત્યાં ત્યાં મહદંશે, તે આકૃતિના કેઈપણ એક હાથની તર્જની આંગળી, ઊંચી કરેલી હોય છે. તર્જનીને ઊંચી કરવા જતાં, શેષ આંગળીઓની મઠી વળે, એ સહજ છે. અહીં, અમૃતેન્દ્રની આકૃતિમાં, અને કાઠપટ્ટિકાગત બીજી ઘણી આકૃતિઓમાં પણ, જાણે કશુંક ચીંધતી હોય તેવી મુદ્રાએ ઊંચી કરાયેલી તર્જની આંગળી જોઈ શકાય છે. આ જોઈને એક સંસ્કૃત પદ્ય સાંભરે છે : एकोऽयमेव जगति स्वामीत्याख्यातमुच्छ्रिता । કરિન્નાદાગળ્યાનાં-ની કાદિષા છે આ શ્લોક શ્રી હેમચન્દ્રાચાર્યે પોતાના વીતરાગ સ્તોત્ર માં વીતરાગની સ્તુતિના રૂપમાં મકયો છે. આમાં તીર્થકરની આગળ રહેતા ઈન્દ્રવજને ઇન્દ્રની તર્જની આંગળીનું રૂપક અપાયું છે. એને અર્થ આ પ્રમાણે છે : “આ ઇન્દ્રવજરૂપી તર્જની ઊંચી કરીને જાણે કે ઇન્દ્ર જાહેર કરે છે કે, આ જગતના સ્વામી એકમાત્ર આ તીર્થકર જ છે.” આ તે એક સ્તુતિ છે, રૂપક છે. પણ આનું રહસ્ય વિચારતાં લાગે છે કે એ કાળમાં, ઊંચું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy