SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તિનાથચરિત્ર-ચિત્રપદ્રિકા ધમધનું શ્રવણ કરતી મેઘનાદની આકૃતિની પછીની આકૃતિ પણ મેઘનાદની જ છે. અયુદ્ધના ઉપદેશનો સ્થળ પર જ અમલ કરતો હોય તેમ તે, સંસારનો ત્યાગ કરીને, દીક્ષા અંગીકાર કરી રહ્યો છે. તેના શરીર પર હવે માત્ર એક અધોવસ જ અને તે પણ મહંદશે વેતવર્ણનું જોવા મળે છે. ડાબા હાથવતી તે પોતાના મસ્તકને કેશલોચ કરી રહ્યો છે. જેનધર્મની દીક્ષા લેનારે પોતાના વાળ પોતાના હાથે ચૂંટીને ખેંચી કાઢવાનો નિયમ છે, એ નિયમને જ કેશલોચ કહે છે, તેની બંધ થયેલી મૂઠીમાં તેણે સ્વહસ્તે તોડેલા વાળ પણ જોઈ શકાય છે. તેની સામે જ તેને દીક્ષા પ્રદાન કરનાર ગુરુ અમર મુનિ બિરાજ્યા છે. તેમણે ત મુનિવેષ પહેર્યો છે. તેમના જમણુ-ઊંચા કરાયેલા-હાથમાં મુખત્રિકા (મુહપત્તિ, જૈન સાધુનું એક ઉપકરણવ ) દેખાય છે. તેઓ મેઘનાદ તરફ માં કરીને પદાસને બેઠા છે. ગુરુ તરીકેનું તેમનું વૈશિષ્ટય, તેમની પાછળની લીલી પૃષ્ઠભૂમિકા દ્વારા સૂચિત થાય છે. | મુનિની પછી તરત જ એક વિમાન અને તેમાં બેઠેલી એક મુગટધારી વ્યક્તિ નજરે પડે છે. આ વ્યક્તિ તે ભૂતપૂર્વ મેઘનાદ મુનિ અને હવે અમ્યુલેન્દ્રને સાથી દેવ, ( ચિત્ર-૧૭) એ પછી આપણી નજરે બે વ્યક્તિ-ત્રિપુટી પડે છે. તેનો પરિચય આ પ્રમાણે છે: પહેલી ત્રિપુટી (અનુક્રમે) ક્ષેમકર રાજા, વિજયકુમાર અને રત્નમાલા રાણું છે. અને બીજી ત્રિપુટી (ક્રમશ:) વયુધરાજા, સહસાયુધ કુમાર અને લક્ષ્મીવતી રાણી છે. બને ત્રિપુટીઓની વચમાં ઊભી કરાયેલી દીવાલ, પિતા (ક્ષેમંકર) અને પુત્ર (વશ્વયુધ)ને જીવનકાળ તથા રાજ્યકાળને ક્રમબદ્ધ વિભાજિત કરી આપે છે. સિનેમામાં એક દશ્ય પછી થોડી જ સેકડેમાં બીજુ, પહેલાથી ઘણી રીતે જુદું પડતું દશ્ય રજૂ થાય છે, તે રીતે અહીં પણ, ક્ષેમંકર અને રત્નમાલાની વચ્ચે બેઠેલો વિશ્વયુધ, હજી તો સાવ નાના બાળકરૂપે જોવામાં આવે છે; અને ત્યાંથી આંખે ઉપાડીને દીવાલની બીજી તરફ માંડીએ ત્યાં તો તે જ વયુધ મુગટધારી રાજાના અને અને સહસ્ત્રાયુધના પિતાના રૂપમાં જોવા મળે છે. બાળક વજયુધ અને પિતા વિશ્વયુધ એ બે વચ્ચેનો આ સમયખંડ, આ બે ત્રિપુટીઓની વચમાં ઊભા કરાયેલા દંડથી સૂચિત થાય છે. બને ત્રિપુટીઓ મળીને છ આકૃતિઓ, સામસામો હાથ ઊંચા કરીને, અરસપરસ અભિવાદન કરી રહી છે. અને ત્રિપુટીઓમાંનાં બાળક અને રાણી રાજાની સન્મુખ બેઠાં છે; અને બન્ને રાજાઓ તેઓની સામે બેઠા છે. બાળક વિશ્વયુધના માથા ઉપર છેક ઊંચે છતમાં, ગોળ ચંદરે લટકે છે. એક વિશેષતા ધ્યાન ખેંચે તેવી છે. બન્ને વ્યક્તિ-ત્રિપુટીઓમાં વચ્ચે એક એક બાળક છે. અને બાળક રાજકુમાર છે, છતાં, પહેલા બાળક વાયુધના માથે મુગટ છે, જ્યારે બાળક સહસ્ત્રાયુધનું માથું ઉઘાડુંમુગટ વિનાનું છે. આમાં, વાયુધનું ભાવી ચક્રવર્તીપણું સૂચવવાને ચિત્રકારને ઈરાદો હોય એમ લાગે છે. રાજા વિશ્વયુધના ઊંચા કરેલા ડાબા હાથને અડીને ગોઠવાયેલો લટકતા છેડાવાળો ગાળ પહાથ તે ચક છે, Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy