SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ २० શાંતિનાથચરિત્ર-ચિત્રપટ્ટિકા આપે છે. નૃત્યની સાથે કંઠય સંગીત હોય કે ન પણ હોય, પણ વાઘસંગીત અને તાલના મેળ વગરનું તો નૃત્ય ન જ હોઈ શકે, એ વાતની પ્રતીતિ આ ત્રણ વાદ્યો દ્વારા આપણને મળે છે. શરણાઈવાળા પુરુષે ઉપરણું નથી પહેર્યું . એના કાનમાં કુંડળ પણ નથી. તેના પગ એવી રીતે ગોઠવાયા છે કે જાણે તે દોડી જતો હોય એવું લાગે. પણ શરણાઈ વગાડવામાં શ્વાસને ભર તેમ જ રોકી રાખવો પડતો હેઇ, તેમ કરવામાં તેને પડતા પરિશ્રમનું સૂચન, તેની આવી મુદ્રા દ્વારા થતું હોય તો ના નહ; અથવા તેને ચડેલી નૃત્યની મસ્તીને પણ કદાચ આ આવિર્ભાવ હોઈ શકે. એક બાબત ધ્યાન દેવા પાત્ર છે: બને નતંકીઓનાં વસ્ત્રો સુશોભિત, બહુરંગી અને તેથી જ બહુમૂલ્યવાળાં હોય એવું જોતાંવેંત સમજી શકાય છે. એથી ઊલટું, તેમના પણ સાથીદારો-સાજિંદાઓનાં વસ્ત્રો અ૫રંગી ને તેથી વિશિષ્ટ સુશોભન વગરનાં હોવાથી અપમૂલ્યવાળાં લાગે છે. અલંકારનું પણ આવું જ છે. નર્તકીઓએ તો વિશિષ્ટ કોટિના વિવિધ અલંકારો પહેર્યા છે. પણ સાજિંદાઓનાં ડીલ પર વધુમાં વધુ ફક્ત બે આભૂષણે-અને તે પણ સામાન્ય પ્રકારનાં–જોવા મળે છે. કુંડળ અને બાજુબંધ. પહેલા ને છેલા પુરુષના કાનમાં સાદાં, રત્નાદિ નંગ વગરનાં, કેરી ચાંદી કે સેનાનાં કુંડળ છે, તો વચ્ચેના પુરુષના હાથમાં ફકત બાજુબંધ જ જોવા મળે છે, બીજી નોંધપાત્ર વાત એ છે કે, દમિતારિ સહિતની છયે આકૃતિઓના-અને કાષ્ઠપટકાની લગભગ તમામ આકૃતિઓના–માથે વાળના અંબોડા વાળેલા છે. સ્ત્રી અને પુરુષ બન્નેએ. કેશપાશના અંબોડા વાળવાની, બારમા-તેરમા સૈકામાં પ્રચલિત પ્રથાનું આ અનુસરણ છે. છેક છેલ્લે, નૃત્યના આ પ્રસંગની સમાપ્તિનો સૂચક ઊભો દંડ છે. (ચિત્ર–૧૩) તે પછી, કનકશ્રીને પિતાનું મૂળ રૂપ દેખાડી રહેલા અનન્તવીર્ય અને અપરાજિત દગોચર થાય છે, અને ત્યારપછી તરત જ, તેઓ બને, વિમાનમાં રાજપુત્રીનું અપહરણ કરી રહેલા દેખાય છે. ચિત્રક્રમ આ પ્રમાણે છે: પહેલી ત્રિપુટી અનુક્રમે અનન્તવીર્ય, અપરાજિત, કનકશ્રી. અને બીજી ત્રિપુટી ક્રમશ: અપરાજિત, અનન્તવીર્ય અને કનકશ્રી. પિતાનાં અસલ સ્વરૂપ દેખાડતી વેળાએ, કનકશ્રીની સન્મુખ એ બન્નેને બેસાડવામાં, અપરાજિતને આગળ-કનકશ્રીની સમીપમાં–અને અનન્તવીર્યને તેની પાછળ બેસાડીને ચિત્રકારે ઔચિત્ય જાળવ્યું છે. કેમ કે, હજી આ બન્ને કેણુ છે તેની કનકશ્રીને પિછાણુ નથી; અને પિતાનું સ્વરૂપે પ્રગટ કરવા પાછળનો બન્નેનો આશય તો એક જ હતો કે આપણા બેમાંથી ગમે તે એકને કનકશ્રી પસંદ કરે ને વરે તે દમિતારિને વેરનો બદલો મળી રહે. પરંતુ એ કેને પસંદ કરશે એ નક્કી ન હતું, અને તેથી જ અનન્તવીર્ય વાસુદેવ હોવા છતાં, પોતાના મોટાભાઈને જ તેણે આગળ બેસાડયા, એમાં તેનો મોટાભાઈ પ્રત્યેનો વિનય જ મુખ્ય કારણ છે, અને એના એ વિનયને, ચિત્રકારે, એને પાછળ બેસાડીને અભિવ્યક્તિ આપી છે. ચિત્રકારનું આ ઔચિત્યચાતુર્ય અહીં જ સમાપ્ત નથી થતું. વિમાનમાં આ બન્ને ભાઈઓ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy