SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિનાથચરિત્ર-ચિત્રપદ્રિકા આ કથનને ચિત્રકારે કેટલી સહજ રીતે અહીં ચિત્રાંકત કરી આપ્યું છે ! અપરાજિતકુમારના મસ્તક ઉપર, માંડવાની ઝલ જે લીલાશ પડતો ચંદરવો અથવા તો તોરણ બાંધવામાં આવ્યું છે. અને અનન્તવીર્યકુમારના મસ્તક ઉપર, પેલો, આપણે પરિચિત ગોળાકાર ચંદરવો ગોઠવાયો છે. આ આખી કાષ્ઠપટ્ટિકામાં ચીતરવામાં આવેલાં પાત્રોની બેસવાની પદ્ધતિ સમજવા જેવી છે. કેઈપણ પાત્ર જ્યારે બેઠેલું એટલે કે આસનસ્થ હોય છે, ત્યારે તેણે પૂરી પલાંઠી વાળેલી નથી હોતી. જો એ પાત્ર ઊંચા કાષ્ઠફલક કે તકિયા પર બેઠેલું હોય, તો તેણે એક પગે-અધી પલાંઠી વાળેલી હશે ને તેને બીજો પગ, ભયને અડે તે રીતે લટકતો હશે. અને જે તે પાત્ર ઊંચે આસને બેઠેલું નહિ હોય તે તેણે પણ અધી-એક પગે તે પલાંઠી વાળેલી જ હશે ને તેને બીજો ઢીંચણ ઊભું કરેલ હશે. આપણી સમક્ષ અત્યારે તિમિતસાગર અને તેની રાણીઓની આકૃતિઓ છે. સ્તિમિતસાગર તકિયા જેવા ઊંચા આસન પર બેઠેલ હોઈ તેની બેસવાની રીતમાં એક પગ લટકતો ને બીજા પગે પલાંઠી વાળેલી દેખાય છે. અને તેની રાણીઓનું આસન ઊંચુ ન હોઈ તે દોઢ પલાંઠી વાળીને બેઠેલી જણાય છે. આ પાટલી જ્યારે સર્જાઈ તે કાળમાં, સભ્ય-સમાજની વચમાં બેસવાની સભ્ય રીતે આ પ્રકારની પ્રચલિત હશે, એમ આ ઉપરથી માનવાને મન પ્રેરાય છે. અલબત્ત, આ માત્ર અનુમાન જ છે. આ પાંચ આકૃતિઓને છેવાડે, વાસુદેવ-બળદેવના જીવનના, બાલ્યાવસ્થાના પ્રથમ અંકની સમાપ્તિના ચિહુનરૂપ ઊભો પટ્ટો કે દંડ મૂકવામાં આવ્યો છે. એ પટ્ટો પણ આછા લાલ, આછો પીળો અને પાતળી શ્યામ રંગની રેખા–આ રીતે ત્રણ રંગનાં મિશ્રણનો બનેલો હોઈ, તે, આંખને રૂચિકર લાગે છે. (ચિત્ર ૧૧) હવે દશ્ય બદલાય છે. હવે આપણે પોતપોતાનાં રનોને પોતાની પાસે લઈને બેઠેલા અનન્તવીર્ય અને અપરાજિતને જોવા પામીએ છીએ. બન્ને એકબીજાની સન્મુખ દિશામાં, ચિત્રને છેડે બેઠા છે અને વચમાં તેમનાં રત્નો છે. નીલવર્ણના અનન્તવીર્યના ડાબા હાથમાં કમળપુષ્પ દેખાય છે. તેની સામે ગોઠવાયેલાં સાત રનોની ઓળખ આ પ્રમાણે છે: પહેલી હરોળમાં ઉપર ચક્રરત્ન, નીચે માળા; બીજી હરોળમાં ઉપર ગદારન, નીચે છત્રરત્ન; ત્રીજી હરળમાં શંખરત્ન; તે પછી છઠ્ઠ ખડગ (તલવાર) રન અને પછી સાતમું ધનુષ્ય રત્ન છે. સ્થળ-સંકેચને કારણે આ સાત રત્નને તેના તેના પૂરા કદમાં રજૂ ન કર્યા હોવા છતાં, તે સાતેયનાં પોતીકાં સ્વરૂપોને, સ્પષ્ટ રીતે, અને કલાના તત્વને લેશ પણ ઘવાવા દીધા વિના નિરૂપીને ચિત્રકારની પીછીએ પિતાની નિપુણતા અનાયાસે જ પ્રગટ કરી દીધી છે. બે રત્નો વચ્ચે સપ્રમાણ અંતર, માત્ર એ રત્નના સ્વતંત્ર અને નિર્ભેળ અસ્તિત્વનું જ પ્રદર્શક નથી, પણ એમાં તો ચિત્રકારના ચિત્રકર્મની સુઘડતાનું પણ ઘતન છે. રત્નોની શ્રેણિ પૂરી થતાં જ, આયુધાગારમાં પડેલાં શસ્ત્રરત્નાને સાચવવા માટેના લેહદ્વારમે એક ઊભે દંડ દોરેલે છે. અને તે પછી તરત જ અપરાજિત બળદેવ આપણી નજરે પડે છે. જમણા હાથની તર્જની આંગળી ઊંચી કરીને કશુંક ચીધી રહ્યા હોય એવી મુદ્રામાં તેઓ બેઠા છે. જમણા Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy