SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિનાથચરિત્ર-ચિત્રપટ્ટિકા દર્શાવવા દ્વારા તેઓ બને શાખ-પડોશી જેવા હોવાનું નિરૂપ્યું છે. એ ઉપરાંત, એ બન્ને દેવોમાં કેણ અમિતતેજ (આપણી ચિત્રકથાને નાયક) અને કેણુ શ્રીવિજય, તેની ઓળખ ચિત્રકારે, બને દેવમાંના એકને માથે મુગટ પહેરાવીને અને બીજાને તે ન પહેરાવીને આપી છે. દેવમાત્રને માથે મુગટ તો હોય જ; તેમ છતાં અહીં એકને જ માથે મુગટ દેખાડે છે, તેનું ચિત્રકારનું મનોગત કારણ આ જ છે. જેણે મુગટ પહેર્યો છે. તે ભૂતપૂર્વ અમિતતેજ છે; કથાને મુખ્ય નાયક તે હેવાથી તેને સર્વત્ર વિશિષ્ટ અને વિલક્ષણ સ્વરૂપે નિરૂપ, એ ચિત્રકારની ફરજ છે, ને એ અહીં એણે બરાબર અદા કરી છે. આ પછી મુગટ વગરને દેવ તે ભૂતપૂર્વ શ્રીવિજય છે એમ કહેવાની હવે ભાગ્યે જ જરૂર છે. - આ બે દેવવિમાન પછી, અ,પણી નજરે પાંચ આંકૃતિ પડે છે: ૧, સ્વિમિતસાગર રાજા; ૨, તેની સામે અપરાજિત નામના બાળકને ખેાળામાં લઈને બેઠેલી પટરાણી વસુન્ધરા; ૩, તેની પાછળ અનન્તવીર્ય નામના બાળકને ખોળામાં લઈને બેઠેલી રાણી અનુદ્ધરા, આ કાષ્ઠપટિકાના ચિત્રકલાકારે એક નિયમ સર્વત્ર જાળવ્યો છે કે, એકસરખા માનમોભાવાળી બે કે તેથી અધિક ) વ્યક્તિઓનું જ્યાં ચિત્રણ કરવાનું આવે, ત્યાં જે વ્યક્તિ, કઈ પણ કારણે, મોટી હોય, તેની આકૃતિની પૃષ્ઠભૂમિને, સામાન્ય પૃષ્ઠભૂમિ કરતાં જુદી પાડી દેવી. સમગ્ર કાષ્ઠપટ્ટિકામાં, સામાન્ય રીતે, પૃષ્ઠભૂમિના ચિતરામણમાં, મુખ્યત્વે લાલ રંગ પ્રયોજાયો છે; જ્યારે, ઉપર કહ્યું તેમ, વ્યક્તિવિશેષને અન્યોથી અલગ દેખાડવા માટે અને તે રીતે તેની મુખ્યતા દર્શાવવા માટે, તેની પૃષ્ઠભૂમિમાં લીલા રંગને ઉપયોગ કરાયો છે. જેમ કે અહીં સ્તિમિતસાગર રાજાની બે રાણીઓમાં વસુધરાની મુખ્યતા, તેની આકૃતિની પૃષ્ઠભૂમિ લીલા રંગની બનાવીને સિદ્ધ કરાઈ છે. અગાઉ પણ, બે વખત ( ચિત્ર નં. ૮ માં અને ૯ માં) આવેલા બબ્બે મુનિઓનાં ચિત્રોમાં, બે પૈકી એક મુનિની મુખ્યતા જણાવવા માટે, અને ઈન્દુષણ અને બિન્દુષણ એ બે ભાઈઓમાં (ચિત્ર નં-૨ માં ) મોટો ઈન્દુષણ હોવાનું જણાવવા માટે, ચિત્રકારે આ જ પદ્ધતિ અપનાવી છે, અને આગળ પણ, આ જ પદ્ધતિને તે અનુસરતા રહ્યા છે. જેન નિયમાનુસાર, વાસુદેવના શરીરને રંગ નીલ અને બળદેવના શરીરનો રંગ ઉજજવળ કે પીળો સોના જેવો હોય છે. તદનુસાર, ચિત્રકારે, અહીં બાળ-બળદેવ અપરાજિતને વેત રંગમાં અને બાળ-વાસુદેવ અનન્તવીર્યને લીલા રંગમાં આલેખ્યા છે. અપરાજિત અને અનન્તવીર્ય બન્નેનાં માં એકમેકની સન્મુખ દર્શાવવા પાછળ, વાસુદેવ અને બળદેવનો સ્નેહ અલૌકિક હોય છે એ શાશ્વપ્રસિદ્ધ બીનાનું નિરૂપણ કરવાનું, ચિત્રકારના મનમાં હશે, એમ જણાય છે. તીર્થરાજો, રાત્રાન્ચ, નીરવ =ા वासुदेवबलस्नेहा, सर्वेभ्योऽधिककं मतम् ॥ -તીર્થકરેનું સામ્રાજ્ય, બે શકયનું વેર અને વાસુદેવ તથા બળદેવને સ્નેહભાવ એ ત્રણ સર્વાધિક-સર્વથી ચડિયાતાં હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy