SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિનાથચરિત્ર-ચિત્રપદિકા ૧૫ સુસજજ જોઈને, કલાકારની કલામાં હકીકતદોષને સંભવ જોવામાં ઔચિત્ય નહિ ગણાય. કેમ કે કલાના ક્ષેત્રમાં ચિત્રકાર નિરંકુશ છે, કે જેન મુનિની પાસે જનારે પોતાનાં મુગટ વગેરે રાજચિહનોને દૂર-એક બાજુ છોડીને જ જવાનો ધાર્મિક નિયમ છે. અને એ નિયમને પોતે જાણ હોય જ, છતાં આ વખતે, એ, એનું સ્મરણ કે પાલન નથી કરી શકો એવું, એને મુગટ વગેરે પહેરાવીને ચિત્રકા દર્શાવ્યું છે, અને એ દ્વારા જ, એના મનમાં વ્યાપેલી ભયગ્રસ્તતાને અહીં સહજતાથી પ્રગટ કરી આપી છે, એ વાત જો ઊંડાણથી વિચારીએ તે ચિત્રકારની કલ્પકતાને દાદ આપ્યા વિના નહિ રહેવાય. અશનિષ પછીની મારીચિ વિદ્યાર સુધીની પાંચ આકૃતિઓની લગોલગ જ, એક સુંદર વૃક્ષ ગાઠવવામાં આવ્યું છે. આ વૃક્ષ એટલે અમિતતેજ અને શ્રીવિજયના જીવનના એક મોટો વ્યાપ ધરાવતા તબક્કાની સમાપ્તિ. પણ એ સાથે જ એમના જીવનના અંતિમ અને મહત્વના તબક્કાની શરૂઆત પણ થાય છે. (ચિત્ર-૨) વૃક્ષની પેલી તરફ, સૌ પ્રથમ, બે મુનિરાજે બિરાજેલા દેખાય છે તે, ક્રમશ: મહામતિ અને લીલી પૃષ્ઠભૂમિવાળા વિપુલમતિ નામના ચારણમુનિઓ છે. પદ્માસન વાળીને બેઠેલા બને મુનિઓ ધર્મના આપવાની મુદ્રામાં છે. તેમની સામે બેઠેલી બે વ્યક્તિઓ તે અનુક્રમે અમિતતેજ અને શ્રીવિજય છે. બને ધર્મવિધિ અનુસાર હાથ જોડીને ધર્મબોધ શ્રવણ કરે છે. આ બે આકૃતિઓમાં અમિતતેજને દાઢી છે અને શ્રીવિજયને નથી, એ ઉપરથી અમિતતેજની સરખામણીમાં શ્રીવિજયની ઉંમર નાની હોવાનું બતાવવાને ચિત્રકારનો આશય છતે થાય છે. એ પછી તરત જ કાષ્ઠફલક પર બિરાજેલા એક મુનિ દેખાય છે તે અભિનન્દન મુનિ છે. અને તેમની સન્મુખ હાથ જોડીને સાધુવેશે ઊભેલી બે વ્યક્તિઓ, તે અમિતતેજ અને શ્રી વિજય છે. તેઓ બને ત મુનિવેષમાં છે, અને અભિનન્દનમુનિની સમીપ દીક્ષા ગ્રહણ કરી રહ્યા છે. અભિનન્દનમુનિ પદ્માસન વાળીને બેઠા હોઈ, તેમના અધોવસનો છેડો (સંચલિકા ) તેમના બે પગની નીચે થઈને બહાર નીકળી આવ્યો છે, અને તે જોતાં અનાયાસે જ અંચલિકાવાળી વેતાંબર સંપ્રદાયની જિનપ્રતિમાનું સ્વરૂપ યાદ આવી જાય છે. પદ્માસને બેઠેલા દરેક મુનિના ચિત્રમાં આવે છે? દેખાય છે જ, અહીં પહેલી કાષ્ઠપટ્ટિકાના પૃષ્ઠભાગના પૂર્વાર્ધને પરિચય પૂરો થાય છે. (ચિત્ર-૧૦) (૪) પ્રથમ કાષ્ઠપત્રિકાના પૃષ્ઠભાગના ઉત્તરાર્ધના પ્રારંભમાં જ, બે નાના વિમાનમાં બિરાજેલા બે કે ખાય છે. આ બે દેવે તે દિવ્યચૂલ અને મણિચૂલ નામના દે છે. બન્નેને એકમેકની સન્મુખ–ા વાને કરતા હોય તેમ બેઠેલા દર્શાવીને ચિત્રકારે, તે બને પૂર્વની જેમ અહીં દેવલોકમાં પણ ગાઢ સ્નેહવાળા મિત્ર હોવાનું અને તેમના રહેઠાણ સમાં વિમાને પણ એકદમ નજીક નજીકમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy