SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ શાંહિતાવરચિત્રપતિ પિતાના માં ભણી વળેલો છે. બોલતી વખતે મોં આડે મુખશ્વિકા ધરીને જ બોલી શકાય એ જન મનિઓ માટેનો નિયમ છે. અહીં મુખત્રિકા વરદ મુકાંકિત ડાબા હાથમાં રોકાયેલી છે. અને વંદન કરી રહેલા અશનિઘોષને “ધર્મલાભ નો આશીર્વાદ તો આપ જ જોઈએ, એટલે એ માટે મુખવાચિકાના સ્થાને મુનિરાજે જમણા હાથનો ઉપયોગ કર્યો જણાય છે. અચલમુનિ બાજોઠ જેવા કાષ્ઠાસન પર બેઠા છે, છતાં, તેમના બન્ને પગ ભૂમિ ઉપર ટેકવ્યા છે. બેઠેલા તથા ઊભા રહેલા-બને મુનિઓને જોવાથી, આજથી સાતસો વર્ષ પૂર્વે, જેનમુનિની વસ્ત્રપરિધાનની પદ્ધતિ કેવી હતી, તેનો ખ્યાલ આવી શકે છે. ખાસ કરીને “ચલપટ્ટ' નામક અધોવસ્ત્રને, ધોતિયાંની જેમ કછાટ મારીને પહેરવાની પદ્ધતિ, ખાસ ધ્યાન ખેંચે છે. વળી, જૈન ધર્મગ્રંથોમાં જૈન મુનિના ‘વિનયગુણને સર્વશ્રેષ્ઠ ગણાવાય છે; અહીં ગુરુ-મુનિની પરિચર્યા કરવા માટે શિષ્ય-મુનિને ખડે પગે ઊભા રહેલા દર્શાવીને, ચિત્રકારે આ વાતને જ જાણે સાકાર કરી બતાવી છે. અચલમુનિ અને અશનિષ, એ બંનેનાં માં પર પ્રસન્નતા નીપજાવીને, ચિત્રકારે, પિતાના રેખાંકન-સામર્થની પ્રતીતિ કરાવી છે. ચિત્રાંકનમાં સૌથી અગત્યની અને વધુમાં વધુ કઠિન કઈ બાબત હોય તો તે ભાવની અભિવ્યક્તિની છે. ચિત્રકારની પીંછીનો એક લસરકે સમગ્ર ચિત્રને વખાણવાલાયક કે વડવાલાયક બનાવી શકે. એક લસરકે એટલે એકાદી પાતળી–નાનકડી રેખા, અને એવી એક રેખા, ચિત્રને, ચિત્રગત વ્યક્તિઆકૃતિને, હસતી પણ દર્શાવી શકે ને રડતી પણ દર્શાવી શકે; સિદ્ધહસ્ત ચિત્રકાર ધારે તે ભાવને રેખા દ્વારા અભિવ્યક્ત કરી શકે. અહીં જ જોઈએ તો, અચલમુનિની અને અશનિષની પ્રસન્નતા વચ્ચે પણ, બન્નેનાં મુખ ઉપર વિભિન્ન રેખાઓની ગુંથણું દ્વારા, ચિત્રકારે એક સૂક્ષ્મ તફાવત બતાવ્યો છે. મુનિનો ધર્મ એ છે કે નિર્ભય આવે કે ભયભીત, સજજન આવે કે દુર્જન, બધા પ્રતિ એક સરખે સદૂભાવભર્યો વર્તાવ કરવો. એમની મુદ્રામાં અને એમના મોં પરના મલકાટમાં, અશનિષ પ્રત્યે પણ, આ સદભાવ જ પ્રગટ થતો હોવાનું કળી શકાય છે. અને અશનિઘોષની ઢળેલી આંખે દ્વારા પ્રગટ થતું સ્મિત, એના મનને, યોગ્ય શરણની પ્રાપ્તિ અને તેથી ટળી ગયેલા મૃત્યુભયને કારણે, મળેલા આશ્વાસનનું વાહક બન્યું છે. એક હાસ્યરેખામાં વાસય વ્યક્ત થાય છે, તો બીજી હાસ્યરેખામાં ચિંતા અને ફફડાટથી છૂટયાનો “હાશ - કારે પ્રતિબિંબિત થાય છે. અને આ બધી કરામત માત્ર અમુક રેખાની અર્થાત અકાદા લસરકાની જ છે, એમ કહેવામાં કઈ અતિશયોક્તિ નથી લાગતી. ચિત્રકારનું આવું રેખાનિપુણ્ય, ચિત્રકળાના આચાર્યોને પણ તેની પ્રશસ્તિ કરવા પ્રેરે, તેમાં આશ્ચર્ય શું? રેતાં પ્રસારાર્યા! ' સાહિત્યના ક્ષેત્રમાં કવિઓ નિરંકુશ ગણાય છે. (નિરસુરા: વય:), તેમ કલાના ક્ષેત્રમાં ચિત્રકારને માટે પણ કહી શકાય ખરું, એ સિવાય, હજી જરાક જ આઘે દોરાયેલી અશનિઘોષની યુદ્ધમાન આકૃતિએ કોટ મારેલા ધોતિયા સિવાયનું એક પણ વસ્ત્ર નથી પહેર્યું; ને યુદ્ધમેદાનમાંથી જ ભાગી છૂટેલે અશનિઘોષ, મુનિને શરણે બેઠો છે ત્યારે, તેણે સંપૂર્ણ રાજપોષાક સજેલો છે, એ શી રીતે સંગત બની શકે? “ ભાગતા અશનિઘોષને શ્વાસ લેવાની કુરસદ નથી મળી, ત્યાં એ કપડાં ને અલંકારો શી રીતે સજી શકે ? ” એ પ્રશ્ન આપણને અવશ્ય ઉઠે; અને છતાં એને અલંકારાદિથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy