SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિનાથચરિત્ર-ચિત્રપટિકા ૧૩ નહોતા બેસી રહેતા, પણ જાતે પણ યુદ્ધમાં સામેલ થતા હતા, તે દર્શાવવા માટે જ હોય તેમ, ચિત્રકારે આ ત્રણેયના હાથમાં તલવાર પણ આપી છે. લટકતી આંખ અથવા દાઢ આંખ એ જેન કળાશૈલીની અનન્ય. કહેવાય તેવી વિશિષ્ટતા છે. ૧૦ આ શૈલીની આંખોમાં ચિત્રાંકિત આકૃતિને જીવંતતા બક્ષવાનું સામર્થ્ય છે. આવી આંખોના માધ્યમ દ્વારા ચિત્રકાર, ચિત્રાકૃતિઓમાં, પ્રસંગને અનુરૂપ, ધારે તેવો ભાવ આણી શકે છે. આખી કાષ્ઠપટ્ટિકાની તમામ આકૃતિઓમાં આવી દોઢ આંખ હોવા છતાં, લડાઈની આ ઘટનામાં પ્રયોજાયેલી આકૃતિઓની આંખમાં રોદ્રરસ છલકાતો હોવાની પ્રતીતિ અણ પ્રેક્ષકને પણ થયા વિના નથી રહેતી; અને એમાં જ ચિત્રકારની અનન્ય સફળતાનું અને જૈન શૈલીની આગવી વિલક્ષણતાનું ઘોતન થાય છે. (ચિત્ર-૮) વિમાનમાં રહીને લડી રહેલા અશનિઘોષની અડોઅડ ગોઠવવામાં આવેલા વિમાનમાં રહેલી વ્યક્તિ તે વિદ્યા સાધીને આવી પહોંચેલ અમિતતેજ છે. તેનું માં, લડાઈ જે તરફ ચાલી રહી છે. તેથી ઉલટી બાજુએ દર્શાવીને, ચિત્રકારે, ઘટનાચક્રમાં એકવાકયતા જળવાય અને લેશ પણ રસક્ષતિ ન આવે તે રીતે, સંક્ષેપ સાથે છે. અમિતતેજનું વિદ્યા સાધીને રણમેદાનમાં આવવું; અશનિષ ઉપર વિદ્યા પ્રયોજવી; ને પછી વિમાન દ્વારા તેની પાછળ દોડવું, આ બધીય ઘટનાઓને, ચિત્રકારે, માત્ર વિમાનસ્થિત અમિતતેજને રણમેદાનથી ઉલટી દિશામાં ગતિ કરતોડતો દેખાડીને જ, ચિત્રમાં અન્તનિહિત કરી લીધી છે. અમિતતેજનું વિમાન જે દિશામાં ગતિ કરી રહ્યું છે તે દિશામાં આપણે આગળ નજર ફેરવીશું તો, એક ઊભેલા અને બીજા બેઠેલા એમ બે મુનિરાજે દૃષ્ટિગોચર થાય છે. બેઠેલા મુનિ તે અચલ મુનિ છે અને ઊભેલા મુનિ તે તેમની પરિચર્યા કરી રહેલા તેમના શિષ્ય છે. અચલ મુનિના ચરણે પકડીને વંદન કરતી વ્યક્તિ તે અશનિઘોષ છે. મહાજવાલાથી છૂટકારો મેળવવાનો અને જીવતા રહેવાને એક માત્ર અને આખરી ઉપાય, મુનિરાજનું શરણું સ્વીકારવું એ જ હોઈ શકે, એ આને ભાવ છે. મુનિનું શરણ લેનારાને વાળ પણ કઈ વાંકો નથી કરી શકતો, એ જૈન ધર્મનીતિને નિયમ, આ ચિત્ર પ્રસંગમાં વ્યક્ત થયો છે. અશનિઘોષની પછીની આકૃતિઓનો પરિચય આ પ્રમાણે છે: હાથ જોડીને ઊભેલી બે વ્યક્તિઓ તે ક્રમશ: અમિતતેજ અને શ્રીવિજય છે. તેમની પછવાડે બેઠેલી બે સ્ત્રીઓ તે સુતારા અને અશનિઘોષની માતા છે. અને તે પછી ઊભેલી આકૃતિ, અમિતતેજના સેવક મારીચિ વિદ્યાધરની છે, અચલમુનિને ચિત્રકારે જે સ્વરૂપે ચીતર્યા છે, તે સ્વરૂપ જૈન મુનિનું છે. કાષ્ઠકલક-લાકડાના ફલક–ઉપર બેઠેલા મુનિએ શરીર ઉપર વેત વસ્ત્રો–લપટ્ટ અને કપડા–પહેરેલાં છે. તેમના જમણા પડખે સાધુજીવનના પ્રતીકસમું રજોહરણ-ઘો- છે, અને તેમના ડાબા હાથમાં મુખવારિકા-મુહપત્તિ છે. અને ડાબા હાથ વરદમુદ્રામાં છે. વરદમુદ્રા એટલે આશીર્વાદની મુદ્રા અથવા તો અભયની મુદ્રા, એ મુદ્રા જોઈને જ આગંતુક કે શરણાગત જીવ આશ્વસ્ત અને નિર્ભય બની જાય. મુનિનો જમણે હાથ Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy