SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તિનાથચરિત્ર-ચિત્રપટ્ટિકા ગણવેશનું સ્મરણ કરાવે એવા છે, માથે ટોપા, રાજકુલીન વ્યક્તિને માથે મુગટ; શરીરના ઉપરના ભાગ પર વિવિધ ઘાટ ને રંગથી સુશોભિત કવચ અને એ કવચની નીચે લટકતી ઝૂલવાળાં ને અત્યારના યુગમાં છોકરીઓ ક્રોક પહેરે છે તેના જેવા પહેરણ, આવાં વસ્ત્રો પહેરાવવાને આશય, એ યોદ્ધાઓને દોડી જવામાં ને ઘોડા વગેરે ઉપર સવાર થવામાં કે કૂદવામાં પૂરી સ્મૃતિ જળવાય ને વસ્ત્રો અવરોધરૂપ બનીને એમના પરાજયનું કારણ ન બને, તે છે, અને તે સમજાવવામાં ચિત્રકારે સફળતા હાંસલ કરી ગણાય. આ યોદ્ધાઓના પગ-ઠેઠ સાથળ સુધી–ખુલ્લા છે. લડાઈમાં ઉપયોગમાં લેવાતા હાથી-ઘોડા પણ કેવા જાતવંત હોય, તેને ખ્યાલ એ ઘોડાઓના દેહના રંગ-કેઇક લાલ, કઈક લીલો તો કઈક સફેદ છે તે–ઉપરથી તેમ જ ઘોડાઓની ઊંચાઈ, તંગ મુદ્રાઓ અને કેશવાળી દ્વારા પણ આવી શકે છે. એ પ્રાણીઓ પણ કેટલાં ઉપયોગી હતાં ને તેની માવજત કેટલી બધી ચીવટથી થતી તેનો ખ્યાલ, ચિત્રકારે, ઘોડાઓ અને હાથીઓનાં સુવાંગ શરીરને સુશોભિત અને રંગબેરંગી ઝલ જેવા દેખાતાં મોટામેટાં બખ્તરે પહેરાવીને આપ્યો છે. યોદ્ધો જે હાથી કે ઘોડાને આવા બખ્તરથી ન ઢાંકે તો તે પ્રાણું વહેલું ખતમ થઈ જાય, એ વાત મનમાં રાખીને, ચિત્રકારે પ્રાણીઓને આ બખરે પહેરાવ્યાં જરૂર છે, પરંતુ એ બખ્તર પણ લોખંડના નર્યા પતરાં વહેતાં; ને કદાચ નર્યા પતરાં હોય તોય ને એ જેવાં હોય તેવાં જ અહીં-ચિત્રમાં રજૂ કરી દે, તો ચિત્રકારની કલા ઘવાયા વિના ન રહે, એટલે અહીં ચિત્રકારે, એ પ્રાણીઓનાં શરીર ઉપરની બખ્તરરૂપી ઝૂલોને, વિવિધ, સપ્રમાણ અને નયનરમ્ય સુશોભનોથી શણગારી છે; અને એ રીતે લડાઈના ભીષણ તેમ જ માનવસભ્યતાની વિકૃતિમાં પ્રસંગને પણ કલામય અને અંશત: સૌમ્ય પણ બનાવ્યો છે. હાથી અને ઘોડાનું મધ્યકાળના યુદ્ધમાં આગવું અને મહત્વનું સ્થાન હતું, એ ઐતિહાસિક તથ્ય છે. અને એ તથ્યને જ અહીં ચિત્રકારે, બન્ને પક્ષે એક-એક હાથી અને બબ્બે અને પ્રતીકરૂપે ચીતરીને પ્રરૂપ્યું છે. હાથી એક એક અને અશ્વો બળે, એ ગજદળની સરખામણીમાં અશ્વદળનું સંખ્યાબળ વધુ રહેતુ હોવાનો નિર્દેશ કરે છે. બીજા બધા યોદ્ધાઓએ બખ્તર વગેરે રૂપ યુદ્ધપોષાક પહેર્યો હોવા છતાં, બન્ને પક્ષે વિમાનોમાં ઊભેલા યોદ્ધાઓએ માત્ર અધોવસ્ત્ર જ પહેરેલું છે અને તેનો પણ કછોટો વાળ્યો છે; તેમના માથે નથી મુગટ કે શરીર પર નથી બીજું એકેય વસ્ત્ર, માત્ર વીરવલય પહેરેલા હાથમાં સામસામે ઉગામાયેલી તલવારે છે. અને ગળામાં હાર-સંભવત: સ્કૂલના–છે. એક પક્ષે વિમાનમાં બે અને બીજા પક્ષે એક એમ કુલ બે વિમાનના મળીને ત્રણ યોદ્ધાઓ છે. ત્રણેય વિરમુદ્રામાં છે. બે છે તેમાં સંભવત: એક શ્રીવિજ્ય અને બીજો અમિતતેજને પુત્ર છે; અને સામે પક્ષે એક છે તે અશનિઘોષ છે. તેઓ ત્રણેય વિદ્યાધર રાજાઓ હેઈને, તેમને બીજા યોદ્ધાઓની જેમ તલવાર, ભાલા વગેરે વડે કે બાથંબાથ લડવાનું ન હતાં માત્ર વિદ્યાઓ દ્વારા જ લડવાનું રહેતું હશે, એ સુચવવા માટે જ ચિત્રકારે તેમનાં ડીલ ખુલ્લાં રાખ્યાં જણાય છે. કેમ કે, જ્યાં સામસામાં વિદ્યાઅો ફેંકાતાં હોય, ત્યાં બખ્તર ને ટોપાઓ, જે માત્ર તલવાર, ભાલા વગેરે લોહાસ્સો સામે જ ઝીંક લઈ શકે છે તે, સાવ નિરર્થક અને બોજારૂપ થઈ પડે છે. અને આમ છતાં, તેઓ-રાજાઓ, લશ્કરને જ લડવાનું ભળાવીને, પોતે નિષ્ક્રિય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy