SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તિનાથચરિત્ર-ચિત્રપટ્ટિકા ભાલો છે; અને મોખરો સંભાળતા બે પદાતિઓના એક હાથમાં હાલ અને બીજા હાથમાં તલવાર છે. આટલું તે શ્રીવિજયના પક્ષે છે. અને સામે અશનિઘોષના પક્ષે, ઊલટા ક્રમે, ખુલ્લી તલવાર અને ઢાલવાળા બે પદાતિઓ; તે પછી તલવાર ઉગામતા બે ઘોડેસવાર યોદ્ધાઓ; તે પછી બાણનું નિશાન લેતો એક હાથીસવાર અને તેની હરોળમાં જ, હાથીને અડીને ઊભેલા બાણનું નિશાન લેતા એક પદાતિ; હાથીની અંબાડીની પછવાડે, એની અડોઅડ એક પદાતિનું કપાયેલું મસ્તક પણ દેખી શકાય છે; અને તેની પછવાડે છેવટે વિમાનારૂઢ અને ખુલી તલવારે લડી રહેલો એક યોદ્ધો–આ યુદ્ધને બૃહક્રમ છે. અહી ઘણા મોટા વિસ્તારવાળી રણભૂમિને અને તેના પર છવાયેલા બે પક્ષના વિશાળ લશકરને, આશરે ૮૪૧૧/૪ ઇંચ જેટલા અત્યંત મર્યાદિત અવકાશમાં, સુરેખ અને સાગપાંગ ચિત્રાંકનરૂપે નિરૂપવામાં ચિત્રકારે પિતાની વિશિષ્ટ કલાશક્તિના દર્શન કરાવ્યાં છે. યુદ્ધનું આ દશ્ય આપણને બે વસ્તુ સમજાવે છે. એક તો આજથી ૭૦૦ વર્ષ પૂર્વે થતાં યુદ્ધોમાં કેવી વ્યુહરચના રહેતી તે; અને બીજું, તે વખતના યુદ્ધમાં વપરાતા સજીવ- નિર્જીવ સાધનાનાં સ્વરૂપ. બને પક્ષે ગોઠવાયેલા સૈન્યને કમ જોતાં સમજાય છે કે પાયદળની સામે પાયદળ, અશ્વદળની સામે અશ્વદળ, ગાજદળની સામે ગજદળ ને વાયુયાનની સામે વાયુયાન–આ રીતે એ વખતે મરચા રચાતા હશે, અને સામસામે લડનારનાં હથિયારે પણ સમાન જ રહેતાં હશે, એ પણ અહીં જોઈ શકાય છે, લડવૈયાઓના હાથમાં ધનુષ્ય-બાણ, ભાલા અને ઢાલ-તલવાર જેવાં વિવિધ હથિયારે ચિત્રમાં જોઈ શકાય છે, પણ એ બધામાં લડાઈનાં મુખ્ય હથિયાર સમી તલવારનો ઘાટ નોંધપાત્ર છે. અત્યારે અથવા રજપૂતાના કાળમાં વપરાતી તલવાર, મધ્યભાગમાં વળેલી-વળાંકવાળી રહેતી; જ્યારે અહીં દોરેલી તલવારનું સ્વરૂપ એવું નથી. શરૂઆતમાં પહોળા અને પછી ધીમે-ધીમે સંકેચાતા જતા દળવાળી, સીધી અને લાંબી એવી આ બેધારી તલવારના મધ્યભાગમાં કાળી રેખા આંકેલી ચિત્રમાં જોઈ શકાય છે. * તલવાર જ્યારે વીઝાય ત્યારે વીજળી જે ઝબકારે થાય એવી અલંકારોક્તિને મનમાં રાખીને જ જાણીને ચિત્રકારે તલવારનું આ સ્વરૂપ ચીતર્યું હશે; કેમ કે, જો વીજળી ચમકે છે, તેના તીવ્ર પ્રકાશમાં, આકાશમાં જામેલી કાળી વાદળીઓ દેખાયા વિના ન જ રહે તે રીતે તલવાર વીંઝાય અને એને ઝબકારો થાય, એ જ વખતે શત્રુને કાળી વાદળી જેવી પેલી કાળી રેખા દેખાય, અને તેથી તલવાર પિતાના ઉપર પડતી હોવાને તેને આભાસ થાય. વળી ઢાલને દોરવામાં પણ ચિત્રકારે ભારે કુશળતાથી કામ લીધું છે. ગોળ હાલનું વચલું ચકતું સફેદ, કયાંક કયાંક તેને ફરતી લીલા કે તેવા અન્ય રંગની કેર ને લગભગ દરેક હાલની વચમાં લાલરંગની ઊભી બે ત્રણ રેખાઓ-આ રીતે હાલ દોરવામાં આવી છે. એ લાલ રેખાઓ, હણાયેલા દુશ્મન યોદ્ધાના લોહીથી ખરડાયેલી પ્રતિસ્પધીની તલવારના ઘા ઝીલવા માટે, બીજા યોદ્ધા દ્વારા આડી ધરાયેલી ઢાલ, પેલી તલવાર પર લાગેલા લોહી વડે લાલ બની હોવાનું સૂચવતી હોય તો ના નહિ. યોદ્ધાઓના પહેરવેશ પણ, જરા ઝીણવટથી જોઈએ તે, સિકંદરના સમયના ગ્રીક સૈનિકેના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy