SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ શાન્તિનાથચરિત્ર-ચિત્રપટ્ટિકા જોઈને શ્રીવિજય વસ્તુત: સુતારાને મરેલી માની લે અને તેથી, તે જીવતી છે એમ માનીને, જેવી શધ રામે સીતાની ચલાવી હતી, તેવી શોધ કરવાનું માંડી વાળે. સુવર્ણમૃગ દ્વારા રાણીના અપહરણને પ્રસંગ, રામાયણ અને આ કથાનક બનેમાં થોડાક ફેરફારને બાદ કરતાં, એટલો બધો સમાન છે કે, તે અભ્યાસીઓને રસપ્રદ સામગ્રી પૂરી પાડે છે. સપ વડે દંશ પામતી સુતારા, કથાનકમાં ભલે કૃત્રિમ હોય, આપણું સામે તો એનું ચિત્ર છે. ચિત્રમાં એને થતો સર્પદંશ, આપણે માટે તો બીજાં બધાં ચિત્રાંકને જેટલો જ વાસ્તવિક અને જીવંત છે. એટલે સર્પદંશ થતાં જ, સુતારાના દેહમાં જે મરણચિહૂનો-તરફડાટ અને વિચિત્ર પ્રકારની બેચેની જેને આપણે અભાન અવસ્થા કહી શકીએ તે-ચિત્રકારે પ્રગટાવ્યાં છે, તે આપણા હૈયામાં સુતારા માટે સહજપણે જ શોકની લાગણી જન્માવી જાય છે, અને એ જ ચિત્રકારની સિદ્ધિ છે. સુતારા માટે રચેલી ચિતાને અણસાર, તેની ભભૂકતી લાલ અગ્નિજવાળાઓ આપે છે; તો એ ચિતાની મધ્યમાં દેખાતો આછો વાદળી રંગ, ઘણે ભાગે, અમિતતેજના અનુચરે રેડેલા મંત્રિત જળના પ્રતાપે, ચિતા ઠરી ગઈ હોવાનો સંકેત કરે છે. એ સિવાય, ચિતાનું પ્રજવળવું અને ઠરી જવું, એ બને ભાવે એકી સાથે ચિત્રકાર બીજી કઈ રીતે દર્શાવી શકે? ચિતામાં ગોઠવાયેલ સુતારાના મૃતદેહને ચત્તોપાટ અને સીધો સૂવડાવવામાં આવ્યો છે, તે ઉપરથી તે સમયમાં મૃત મનુષ્યના દેહની મરણોત્તર વ્યવસ્થા કઈ રીતે થતી હશે, તેનો ખ્યાલ આવી શકે છે. ચિતામાં પડવા જતા શ્રીવિજયે હાથ જોડેલા છે. જાણે કે હાથ જોડીને “નવા અવતારમાં પણ મને સુતારા મળજે ? એવી પ્રાર્થના એ કરતો હોય ! ભૂતકાળમાં માત્ર મૃત પતિને જન્માંતરમાં પાછા મેળવવાની ઈચ્છાવાળી સ્ત્રીઓ જ પોતાના પતિની પાછળ બળી મરતી હતી એવું નહિ, પણ સ્ત્રી ઉપર અતિપ્રેમ ધરાવનાર અને એ સ્ત્રી જન્માંતરમાં પોતાને મળી જાય એવી કામનાવાળા પુરુષો પણ, પિતાની સ્ત્રી પાછળ બળી મરતા હોવાનાં ઉદાહરણ મળે છે. સુતારાની ચિંતામાં પડીને બળી મરવા તૈયાર થયેલા શ્રીવિજયની આ ઘટનાને આવું જ એક ઉદાહરણ ગણી શકાય. ચિતાને ઠારતા બે માણસોનાં મોં ચિતા તરફ છે; તે બે પૈકી આગળ ઊભેલા અને મોટા જણાતા પુરુષના જમણા હાથમાં નાળચાવાળા-ચાની કીટલી જેવો લાગતો-કળશ છે ને તેમાં રહેલા મંત્રજળ વડે તે ચિતાને ઠારી રહ્યો છે. (ચિત્ર-૭). આ બે પુરુષોની પીઠ પાછળ દોરાયું છે યુદ્ધનું દશ્ય. શ્રીવિજય અને અશનિષ વચ્ચે ખેલાતા સંગ્રામનું એમાં અંકન છે. બન્ને પક્ષે હાથી, ઘોડા વગેરે વાહન છે, તેમજ તલવાર, ઢાલ અને ભાલા વડે લડતા યોદ્ધાઓ છે. શરૂઆતમાં વિમાનમાં ઊભેલા બે યોદ્ધાઓ, તે પછી એક હાથી અને બે ઘોડા અને તે ત્રણે ઉપર એકેક યોદ્ધો અને તે પછી બે પદાતિઓ છે. આમાં વિમાનમાં ઉભેલા બે યોદ્ધાઓના હાથમાં શત્ર સામે ઉગામાયેલી તલવાર છે; હાથી પર આરૂઢ થયેલ યોદ્ધો નિશાન લઈને બાણ ફેકતા જણાય છે; બે ઘોડેસવાર પૈકી પહેલાના હાથમાં ખુલ્લી તલવાર, અને બીજાના હાથમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy