SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તિનાથચરિત્ર-ચિત્રપટ્ટિકા (૩). હવે આપણું સામે પહેલી કાષ્ઠપટ્ટિકાનો પૃષ્ઠભાગ છે. એ પૃષ્ઠભાગનું ચિત્રાંકન બે વિભાગમાં વહેંચાયેલું છે. એ બે વિભાગને આપણે, પરિચય મેળવવાની દૃષ્ટિએ, પૂર્વાધ અને ઉત્તરાર્ધ એવા નામે ઓળખીશું. ( ચિત્ર-૬ ) પૂર્વાર્ધના પ્રારંભ, છઠ્ઠા ચિત્રખંડમાં, સૌ પ્રથમ બેઠેલા દેખાય છે તે રાજા શ્રી વિજય અને રાણી સુતારા છે. તે પછી સોનેરી ટપકાંવાળું એક હરણ છે, જેના પર સુતારાની નજર મંડાયેલી છે ત્યાર પછી ક્રમશઃ, તે ભાગતાં હરણને પકડવા દોડતો શ્રીવિજય; તેની પીઠ પાછળ સુતારાનું અપહરણ કરીને તેને વિમાનમાં લઈ જતે વિદ્યાધર રાજા અશનિષ; સુતારાને થતો સર્પદંશ; મૃત સુતારાની સાથે ચિતામાં પ્રવેશવા જતો શ્રીવિજય અને ચિતાને કળશજળ વડે ઠારતા બે મનુષ્યો ચીતરેલા છે. સુવર્ણમૃગનો પ્રસંગ, રાવણ દ્વારા થયેલા સીતાના અપહરણની ઘટનાનું સ્મરણ કરાવે છે. પુરાણકથાઓમાં આવી રોમાંચક ઘટનાઓ ખૂબ સહજ રીતે રજુ થતી હોય છે. અહીં, ચિત્રકારે રાણી અને હરણની મધ્યમાં એક વૃક્ષ દર્શાવીને, ખૂબ થોડાક જ સ્થળ-રોકાણમાં, ઉપવનને ખ્યાલ આપી દીધો છે. અને હરણને એવી તો વિલક્ષણ અદામાં ઊભું રાખ્યું છે કે જાણે આજના કાપડ બજારની કઈક દુકાનમાં, રસ્તે જતાં ગ્રાહકોને આકર્ષવા માટે અદ્યતન ફેશનથી સજજ મોડેલ ગોઠવ્યું ન હોય! અને એ કૃત્રિમ અદાને પિતાનું ધ્યેય સાધવામાં મળેલી સફળતાનું સૂચન, સુતારા રાણુની હરણ તરફ મંડાયેલી સાકક્ષ નજર દ્વારા, ચિત્રકારે કેવી સહજતાથી કરી બતાવ્યું છે ! પણ ચિત્રકારની કલા નિપુણતા તો ત્યારે અનુભવાય છે, જ્યારે હરણ અને તેની પાછળ પડેલા શ્રવિજયને જોઈને, દર્શક, તે બને હરણગે દોડી રહ્યા હોવાનું માનવા લાગે છે. અને તેમાં પણ, હરણના પગ આગળ નાનાં મોટાં વૃક્ષો આલેખવાનો આશય “હરણને ઈરાદો રાજાને ઊંડા જંગલમાં ઉપવનથી દૂર દૂર, લઈ જવાનો છે ? એ હોવાનો સમજાતાં જ, ચિત્રકારના અભિવ્યક્તિનૈપુણ્યને અથવા તો ખૂબ જ ડામાં-લગભગ પ્રતીકેનાં કે સંકેતોનાં માધ્યમથી જ–ઘણું બધું કહી દેવાની આવડતને દાદ આપવાનું મન નથી રોકી શકાતું. સુતારાને અપહરી જતા અશનિષના વિમાનને ભૂમિથી અધર દેખાડીને વિમાનની વેગીલી ગતિને પણ જાણે કે ચિત્રકારે વાચા આપી છે. | લીલે ઊડતો પક્ષિસ યા કુકકુટસપ એ પુરાણકથાઓનું એક વિશિષ્ટ પ્રાણી-પાત્ર છે. એના શરીરનો આગળનો ભાગ કૂકડે કે એવા કઇક પંખી જે અને પાછળના ભાગ સર્પાકાર હોય છે. એ કુકડાની જેમ ઊડી શકે, અને એને દંશ તતક્ષણ પ્રાણ હરી લે. હવે, અહી તો સ ય કૃત્રિમ હતો અને તેના દંશથી મરણ પામનાર સુતારાય કૃત્રિમ હતી, સાચી સુતારા તો ક્યાંની કયાં હતી,- આ તો શ્રીવિજયને છેતરવાને માત્ર કીમિયો જ હતો. રામાયણમાં, રાવણે તે, માત્ર સોનેરી હરણ રચવા પૂરતો જ વિદ્યાપ્રયોગ કર્યો. પણ અહીં તો, એથી આગળ વધીને, અશનિદેશે સુતારાનું બીજું સ્વરૂપ પણ રચી દીધું ને તેને સર્પદંશ પણ કરાવી દીધો, કે જે Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy