SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તિનાથચરિત્ર-ચિત્રપટ્ટિકા ઉપદેશ આપનાર વિધિપક્ષ (ખરતર ) ગરછીય આચાર્યો ચૈત્યવાસના ૮ પ્રતિપક્ષી હોવાને ભાવ વ્યક્ત કર્યો હોય તો ના નહિ, એ પૌષધભવનની બહાર નીકળતાં જ, સિંહાસન પર બિરાજમાન યક્ષમૃતિ ઉપર પડી રહેલી વીજળી જોઈ શકાય છે. વીજળીને વજ જેવો આકાર અને તેનું પીંગળું–અગ્નિમય સ્વરૂપ રેખાબદ્ધ કરવામાં કલાકારે ભારે કૌશલ્ય દાખવ્યું છે. યક્ષમૂર્તિની પછી, એક સિંહાસન ઉપર, અમિતતેજ અને શ્રીવિજય અને તેમની સામે રાણી સુતારા બેઠાં છે. સતારાના મસ્તક ઉપરની શ્રી વિજય તરફની છતમાં લટકતો ગોળાકાર ચંદરે એ ચિત્રકારનું મનગમતું સુશોભન હોય એમ લાગે છે. એ ચંદરવા વગરની આટલી લાંબી કેરી છત કેવી અડવી અડવી લાગત ! અને અમુક ચોક્કસ અંતરે, ભલે એકાદ જ, પણ, આવા સુશોભનનું આલેખન, સમગ્ર ચિત્રાંકનને કેવું ભર્યું ભર્યું બનાવી મૂકે છે! સુતારાની પાછળ, ઉપર-નીચે દેખાતી, બે નાની આકૃતિઓમાં સંભવત: એક (ઉપર) નૈમિત્તિકની અને બીજી નીચે રાજમંત્રીની હોઈ શકે. એ પછીની પાંચ આકૃતિઓમાં કલાકારે શ્રીવિજયને મળેલા જીવતદાન કે પુનર્જીવનના આનંદમાં મગ્ન બનીને ઉત્સવ ઉજવતા નગરજનોને, પ્રતીકરૂપે નિરૂપ્યાં છે. નગરજન, આનંદોત્સવ મનાવવા માટે, સૌ પ્રથમ, નગરને શણગારે છે, વજા-પતાકા ને તોરણે વગેરે દ્વારા, એ નગર-શણગાર, અહીં ફક્ત બે જ ધ્વજાઓ આલેખીને પણ, ચિત્રકાર સુચારુરૂપે ઉપસાવી શકયા છે. એક દવા છે રાણી સુતારાના મસ્તકના લગભગ ઉપરના ભાગમાં. એને દંડ લગાર નાનો છે અને વિજાનું મુખ રાજા-રાણી તરફ ફરકતું છે. અને બીજી દવા છે, ઉપર-નીચે જે બે આકૃતિઓ છે, તે પૈકી ઉપરની-સંભવત: નૈમિત્તિકની-આકૃતિના મસ્તકની એકદમ સમીપમાં. એનો દંડ પાતળો અને લાંબો છે અને આગલી ધ્વજાની વિપરીત દશામાં એ ધ્વજા ફરકી રહી છે. બહુ ઝીણવટથી જોઈશું તો લાગશે કે એ વજા (નો દંડ), ભૂંગળ પ્રકારનું વાજિંત્ર વગાડી રહેલા નગરજનના મસ્તક સાથે સંબદ્ધ છે. આનંદને અતિરેક પ્રગટ કરવા માટે, નગરમાં તો સર્વત્ર ધ્વજાઓ બંધાઈ હતી જ, પણ, એ ઉપરાંત, નગરજનોએ પિતાનાં મસ્તકને પણ દવજામંડિત કર્યા હતાં, એ કંઈક ભાવ આ ઉપરથી તારવી શકાય. જે નગરજન, ભૂંગળ વગાડી રહ્યો છે, તેની સામે જ, બીજે નગરજન પણ, એવું જ કાંઈક વાંજિત્ર વગાડી રહ્યો છે. એકની ભૂંગળ લાંબી અને પાતળી તો બીજાની ટૂંકી અને જાડી-જાડાં દળવાળી છે. બન્ને જુદા જુદા વાઘપ્રકારોય (ભૂંગળ અને શહનાઈ) હોઈ શકે. અથવા ભૂંગળનાં જ અલગ અલગ સ્વરૂપો પણ હોઈ શકે. ભૂંગળ વગાડનારાઓની નીચે ત્રણ આકૃતિઓ છે. વચ્ચે એક નર્તકી નૃત્ય કરી રહી છે અને તેની બને પડખે બે નર્તકે નૃત્ય કરતા જાય છે. અને ઢોલક વગાડીને તાલ પૂરાવતા જાય છે. ત્રણેની મુદ્રાઓમાંથી એક વિશિષ્ટ લયબદ્ધતા નીતરી રહી હોવા ઉપરાંત, નર્તકીની અંગભંગીઓ, ચિત્રકારના નૃત્યશાસ-વિષયક વિજ્ઞાનને વિશદ રીતે પ્રતિબિંબિત કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy