SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાન્તિનાથચરિત્ર-ચિત્રપટ્ટિકા દાયકાઓ પહેલાં, પરમપૂજ્ય તપાગચ્છાધિપતિ જૈનાચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને સમર્પિત કરેલાં, અને “શ્રાવક મંડળ” ની પ્રતિ પણ તે ગ્રંથોમાંની જ એક છે. આ ગ્રંથ જૈન શ્રાવકના આચાર અને વ્રતનિયમોની વિશદ છણાવટ કરતો અને હજી સુધી પ્રસિદ્ધિ નહિ પામેલો ગ્રંથ છે. આ ગ્રંથના પ્રણેતા, ખરતરગચ્છીય જૈનાચાર્ય શ્રીજિનેશ્વરસૂરિજી છે. થોડીક પ્રાકૃત ગાથાઓ-સ્વરૂપ આ મૂળગ્રંથ ઉપર, ગ્રંથકારના જ શિષ્ય, ઉપાધ્યાય શ્રીલક્ષ્મીતિલકગણીએ, લગભગ પંદર હજાર શ્લોક પ્રમાણુ બૃહદવૃત્તિ રચી છે. મૂળ ગ્રંથકારની અને ટીકાકારની પ્રશસ્તિઓના શ્લોકે ૯ વાંચવાથી સમજાય છે કે, આ મૂળ ગ્રંથની રચના, વિ. સં. ૧૩૧૩માં, દશેરાના દિવસે, પાલણપુરમાં, શ્રીચન્દ્રપ્રભુસ્વામીના પ્રભાવથી પરિપૂર્ણ થઈ હતી, અને વિ. સં. ૧૩૭ ના માહ શુદિ ૧૪ ના દિવસે, જાવાલિપુર (જાલેર) માં, શ્રી વીરપ્રભુના મુખ્ય ચૈત્ય સહિત ચાવીરે તીર્થકરોનાં ચૈત્યો ઉપર, સ્વર્ણ કળશ તથા વજ-દંડની પ્રતિષ્ઠાને ઉત્સવ, શ્રી જિનેશ્વરસૂરિએ કરાવ્યો હતો, અને તે જ દિવસે, શ્રી લક્ષ્મીતિલકપાધ્યાયે આ ગ્રંથની ટીકા પણ પૂરી કરી હતી. ટીકા-પ્રશસ્તિમાં ઉલ્લેખેલા ઉસવને અંગે “રતરાજીનૂર્વાવસ્કી ”૨ માં આ પ્રમાણે નોંધ છે: "सं, १३१७, माघ सुदि १२ लक्ष्मीतिलकगणेरुपाध्यायपदम् , महा पद्माकरस्य दीक्षा च । माघ सुदि १४ श्रीजावालिपुरालङ्कार श्रीमहावीरजिनेन्द्रप्रासादचतुर्विशतिदेवगृहिकासु स्वर्णकलश-स्वर्णदण्डध्वजानामारोपणं સમુદાયેન જારિત ” આ ઉપરથી નક્કી થાય છે કે જાલેર શહેરમાં (સ્વણગિરિની ટેકરી ઉપર નહિ) આવેલા, શ્રી મહાવીરસ્વામીના ચોવીશ જિનાલય (ચોવીશ જનની ર૪ દેરીઓવાળાં) ચૈત્યનાં શિખર ઉપર, દવજ-દંડ-કલશની પ્રતિષ્ઠાને ઉત્સવ, સં. ૧૩૧૭ના મહા સુદ ૧૪ના દિને ઉજવાયો હતો અને તે ઉત્સવ દરમિયાન જ, “કાવઘર્મકરજા”ના ટીકાકાર શ્રી લક્ષ્મીતિલકગણુને ઉપાધ્યાય પદ મળ્યું હતું. લક્ષ્મીતિલકપાધ્યાયની દીક્ષા પણ જાલોરમાં જ (સં. ૧૨૮૮)૨૫ થયેલી, અને તેથી લાગે છે કે તેમનું જન્મસ્થાન કે વતન પણ જલાર જ હશે. ઉપર ઉલેખેલી, અમદાવાદના ભંડારની “શ્રાવણમંત્રરજ-વત્તિની તાડપત્રીય પ્રતિ, તે ગ્રંથની રચના થઈ તે જ વર્ષે એટલે કે ૧૩૧૭ના જ વર્ષે, અને તે પણ જાલોરમાં જ લખાઈ છે એવું, તે પતિના પ્રશસ્તિવાળા ભાગના, ત્રુટિત પાનાંઓમાં વંચાતા ગુટક શબ્દો ઉપરથી જાણી શકાય છે. શ્રી અગરચંદ નાહટાએ પોતાના એક લેખમાં જણાવ્યું છે તે પ્રમાણે, “શ્રાવણમંજરન-વૃત્તિ” ની સં. ૧૩૧૭માં લખાયેલી એક તાડપત્રીય પ્રતિ, જેસલમેરના ગ્રંથભંડારમાં પણ હતી; અને વિ. સં. ૧૫૩માં પ. પૂ. મુનિરાજ શ્રીહંસવિજયજી મહારાજે, તે ગ્રંથની સાવંત-સંપૂર્ણ પ્રતિલિપિ (નકલ) પણ કરાવી લીધી હતી; જે પ્રતિલિપિ, હાલ, વડોદરાની શ્રીહંસવિજયજી જૈન લાયબ્રેરીમાં મોજુદ છે. પરંતુ શ્રી નાહટાના કથનાનુસાર, જેસલમેરના ભંડારની મૂળ પ્રતિ, તે પછી ગમે ત્યારે, ત્યાંથી ચોરાઈ જવા પામી છે. અને તેથી તેમણે પિતાના તે લેખના આધાર તરીકે વડોદરાવાળી નવી પ્રતિને ઉપયોગ કર્યો છે. વડોદરાની આ પ્રતિ ખૂબ શુદ્ધ અને સંપૂર્ણ છે. પ્રતિલિપિ લહિયા પાસે કરાવી હોવા છતાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy