SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાન્તિનાથચરિત્ર-ચિત્રપટ્ટિકા જૈન શૈલી ની ગ્રન્થસ્થ ચિત્રકલા એ ભારતીય ચિત્રકલાના પ્રાચીન (૧૦ મી શતાબ્દી સુધીના) અને અર્વાચીન (૧૮મી શતાબ્દી પછીના) ઇતિહાસને જડી આપતી, શંખલારૂપ ચિત્રકલા છે. ૫ એક તરફ આ ચિત્રશૈલીએ પ્રાચીન ગુફાચિત્રોની પરંપરાને એક નવું અને વિશિષ્ટ સ્વરૂપ આપીને તેને જીવંત અને અવિચ્છિન્ન રાખી, તો બીજી તરફ મોગલ અને રાજપૂત કલારૌલીઓને એણે મહત્ત્વપૂર્ણ અને પ્રગતિશીલ કલાતને વારસે પણ સોંપે. સામાન્યત: આ ગ્રંથચિત્રોના બે વિભાગ પડી શકે : એક, તાડપત્રીય ગ્રંથચિત્રો; બે, કાગળ ઉપરનાં ચિત્રો. પહેલા વિભાગનાં ચિત્રોનો સમયગાળો ૧૨માથી ૧૫મા સૈકાના પૂર્વાર્ધ સુધીને છે; અને બીજા વિભાગનાં ચિત્રોને સમય, મહદંશે, ૧૫મે, ૧૬ અને ૧૭મો સંકે રહ્યો છે.19 જો કે એ પછીના સમયમાં પણ કેટલાંક ચિત્રો રચાયાં છે, પણ તે બહુ જુજ છે. અલબત્ત, આ વહેંચણી કે વ્યવસ્થા, અત્યારે ઉપલબ્ધ થતી સચિત્ર હસ્તપ્રતિઓના આધારે જ નક્કી થઈ છે. - આ ઉપરાંત, જેનો ઉપયોગ તાડપત્રીય પ્રતિઓનાં વેન તરીકે એટલે કે પ્રતની પાટલી તરીકે કરવામાં આવતો, તેવી કાષ્ઠની સચિત્ર પાટલીઓ-કાષ્ઠાદિકાઓને સમાવેશ પણ આ બે પૈકી પહેલા વિભાગમાં જ થાય છે. મારી સમજ મુજબ, અત્યાર સુધીમાં, આવી ૨૩ સચિત્ર કાષ્ઠપટ્ટિકાઓ પ્રકાશમાં આવી ગઈ છે અને તે તમામ પટિકાઓ વિક્રમના ૧૧મા શતકથી માંડીને ૧૫મા શતકના ગાળામાં સર્જાઈ હોવાનું નક્કી થયું છે. અલબત્ત, કાષ્ઠપટ્ટિકાઓની અહીં નોંધેલી સંખ્યા તે “જૈનશૈલીની અને જૈન ધર્મ સાથે સંબંધ ધરાવતા વિષયોનાં ચિત્રકામવાળી કાષ્ઠપટ્ટિકાઓની સંખ્યા સમજવાની છે. બાકી, જેનેતર–બૌદ્ધ અને હિન્દુ-શૈલીઓ કે વિષય સાથે સંકળાયેલી બીજી પણ કેટલીક કાષ્ઠપટિકાઓ છે. અહીં જેનું સચિત્ર વિવરણ રજુ થયું છે તે કાષ્ઠપટ્ટિકાની જોડી, તાજેતરમાં જ પ્રકાશમાં આવી છે. આ કાષ્ઠપટિકાઓ ઉપર, સોળમા જેન તીર્થકર ભગવાન શાન્તિનાથનું, તેમના પૂર્વના ૧૧ ભવોના વિગતો સહિતનું, સંપૂર્ણ જીવન આલેખાયેલું છે. આ અને કાઠપટિકાઓની પ્રથમ અવલોકને જ તરી આવતી વિશેષતા એ છે કે, એ પટ્ટિકાઓને એટલી સરસ રીતે સાચવવામાં આવી છે કે જાણે તે હમણાં જ ચિતરવામાં આવી હોય, એવું લાગે છે. આ પદિકા, અમદાવાદની આચાર્ય શ્રીવિજયનેમિસૂરીશ્વર જ્ઞાનશાળાના ગ્રંથભંડારમાંની “શ્રાવણઝારા' નામના ગ્રંથની તાડપત્રીય હસ્તપ્રતિના વેષ્ટનરૂપે, સચવાઈ છે, એ પ્રતનાં પાનાં અને આ પહિકાઓ–બનેનાં દોરી પરવવાનાં છિદ્ધોની સમાનતા ઉપરથી સમજાય છે કે આ પત્રિકાઓ, અસલથી જ, આ પ્રતના વેઝન માટે જ બનાવવામાં અને ગોઠવવામાં આવી છે. અમદાવાદના નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈ એ, પિતાના–નગરશેઠના ગ્રંથભંડારમાંથી કેટલાક ગ્રંથ અને પુસ્તકે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy