SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શૈલીનું પૃથફ અસ્તિત્વ અને તેમાં જ્યાં જ્યાં જે માપનાં ચિત્રો દોરવાનાં હોય તેટલી જગ્યા કલાત્મક રીતે તેમ જ નક્કી કરેલા માપમાં/ઘાટમાં ખાલી રાખવામાં આવતી, અને તે સિવાયના ભાગમાં કલાત્મક રીતે અક્ષર લખાતાં, અને તે પછી તે પૂરી લખાયેલી પ્રત ચિત્રકારને ચિત્રાંકન તથા હાંસિયા-બોર્ડરનાં સુશોભન ) માટે સેંપવામાં આવતી. ( પ્રસંગોપાત્ત, અહીં એ જાણવું રસપ્રદ બનશે કે કેટલીક વખત ગ્રંથ લખાવનાર સાધુ અથવા તો લખનાર સાધુ કે લેખક અથવા તો ચિત્રશાલા (school) ને મુખ્ય ચિત્રકાર ( Master ) એ ગ્રંથના હાંસિયામાં, એ પૃષ્ઠમાં જેવું ચિત્ર આલેખવાનું હોય તે ચિત્રને રેખામયઆલેખ (outline), પીળી શાહીથી આલેખી આપતા, અને તેના આધારે ચિત્રકાર તે પૃષ્ઠમાં રખાયેલી ખાલી જગ્યામાં પૂરા કદનું લઘુચિત્ર વિવિધ રંગોમાં આલેખતા. પાછળથી આ પ્રથામાં પરિવર્તન આવ્યું હતું, અને હાંસિયામાં ચિત્રો આલેખ નહિ, પણ આલેખ્ય ચિત્રને વર્ણનાત્મક પરિચય થડાક શબ્દોમાં લખવામાં આવતો અને તેના આધારે ચિત્રો દોરાતાં.) આવી પ્રતોમાં ઘણે ભાગે મૂળ પ્રતનાં પૃષ્ઠોમાં જ ચિત્રો દોરાતાં, તો કયારેક જુદા–તે માપના-કાગળ ઉપર ચિત્રો દોરીને તે ચિત્રો, જે તે ખાલી સ્થાન પર ચડવામાં આવતાં. (ગ્રંથ પૂરે લખાઈ ગયું હોય ને ચિત્રાંકનો માટે સ્થાન છોડવામાં આવ્યાં હોય, પણ ગમે તે કારણસર ચિત્રકાર્ય ન થઈ શકયું હોય તેવી, અને ચિત્રોનો ખાકે ( કાચ કે રસ સ્કેચ-ખરડો ) જ થયો હોય કે અધૂરું ચિત્રકાર્ય થયું હોય તેવી પિથીઓ પણ જ્ઞાનભંડારમાં જોવા મળે છે.) આ ઉપરથી એ વાત પણ ફલિત થાય છે–અને એ હકીકત પણ છે જ-કે જે સ્થાનમાં પોથી લખાઈ હોય, તે જ સ્થાનના ચિત્રકારે તેને ચિત્રમંડિત કરી હોય એવો એકાંત નથી. એવું બનતું કે લેખક એક ગામ કે પ્રદેશને હોય ને તેના હાથે લખાયેલી પોથીમાં અન્ય ગામ કે પ્રદેશના ચિત્રકારે ચિત્રો આલેખ્યાં હોય. આચાર્યે પોતે પણ કયાંક પિોથી લખાવી રાખે, ને પછી વિહારમાં ફરતાં ફરતાં કયાંક કોઈ જાણીતો કે સારે ચિતારે મળે તે તેની પાસે ચિત્રકાર્ય કરાવી લે. તથ્ય એ છે કે પોથી લખનાર લહિયે નાગોર કે તેવા અન્ય સ્થળનો વતની હોય, તેણે પાટણમાં બેસીને પિથી લખી હોય, ને વળી તે પિોથીનાં ચિત્રો કેઈકે આગ્રામાં ચિતર્યા હોય, એવું બનતું. - આ એક પરંપરા ( Tradition ) છે, જે આજે પણ પ્રચલિત છે. આજે પણ જૈન સાધુઓ કાગળ કાશમીરથી કે પાંડિચેરીથી મંગાવે છે. લહિયા નાગોર, બીકાનેર કે જયપુરથી કે પાટણથી બોલાવે છે. પુસ્તકલેખન પાટણ કે અમદાવાદમાં થાય છે, અને પુસ્તકમાં ચિત્રો તેમ જ બર્ડ રે મુંબઈ કે જયપુર-ઉદયપુરમાં દોરાવે છે. અને પ્રશસ્તિમાં પુસ્તકલેખન તથા ચિત્રાંકનને ખરચ ભેગવનાર ગૃહસ્થ મકાસને નિવાસી હોય તો તેનું ને તેના વતનનું નામ પણ લખાય છે. આથી થયું એવું કે આ ચિત્રકલાને, અન્ય ચિત્ર-શૈલીઓની જેમ, કઈ પણ સ્થળવિશેષ કે પ્રદેશવિશેષની મર્યાદાનું બંધન ન રહ્યું. એક જ કૈલીનાં કલ્પસૂત્રીય ચિત્રો આગ્રામાં, પાટણમાં, ખંભાતમાં, જોનપુરમાં, માંમાં, તેમ જ અન્યાન્ય સ્થળોમાં દોરાયેલાં સમાનરૂપે મળી આવ્યાં છે, તેનું પણ આ જ કારણ છે. આપણે ત્યાં પુસ્તકની પ્રશસ્તિઓ અને પુષિકાઓમાં વધુમાં વધુમાં ફકત લહિયાનું જ નામ કલેખાયેલ જોવા મળે છે. ગણ્યાગાંઠયા દાખલા બાદ કરતાં, ચિત્રકારનું નામ કયાંય મળતું નથી. Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy