SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન રશૈલીનું પૃથક્ અસ્તિત્વ એટલું જ નહિ, લેખકનું વતન પણ ભાગ્યે જ નોંધવામાં આવે છે. પ્રતને અંતે મળતાં સ્થળનામાથી તા એ પ્રત જે સ્થળે લખાઈ હોય તે સ્થળના નિર્દેશ સમજવાના હેાય છે. અને આમ છતાં, આપણા કલામ ના ( Art historians ) તા લેખનના સ્થળને જ લેખનનું અને ચિત્રકનું ને ચિત્રકારનું પણ સ્થાન માનીને જ ચાલે છે, એ કેટલું બધું વિચિત્ર છે ! શ્રી કા ખડાલાવાલાએ એક સ્થળે નાંધ્યું છે કે — पन्द्रहवीं शताब्दी के मध्य माण्डू में चित्रकारोंके विभिन्न समूह क्रियाशील थे जिनमें से कुछ सामान्य गुजराती शैलीमें काम कर रहे थे तथा कुछ चित्रकारोंने कुछ अधिक प्रगतिशील होनेके कारण किन्हीं ऐसी विशेषताओंको विकसित किया जिन्हें माण्डूकी निजी शैली कहा जा सकता है। इन विशेषताओंको सन् १४३९ के रचे कल्पसूत्र में देखा जा सकता है ।" " "6 આ વિધાન સાથે માટા ભાગના કલાવિદ્યા સહુમત હોય એવું અને, પરતુ ઉપર નોંધેલી પર્ પરા ( Tradition ) ને જો લક્ષ્યમાં લીધી હોત, તેા કલાવિદ્યા કદાચ આવા અભિપ્રાય પર ન આવ્યા હેાત. વસ્તુત: માંડૂ કે જૌનપુરમાં ચિત્રિત ( રચિત નહિ ) કલ્પસૂત્રનાં ચિત્રામાં પ્રાદેશિક, શૈલીગત કે કલમગત કે ર્ંગમિલાવટ ઇત્યાદિને લગતી કેટલીક વિભિન્નતા/વિશેષતા જરૂર જોવા મળે છે. પરંતુ અ મધુ' છતાં, ‘જૈન શૈલીનાં ચિત્રાની મુખ્ય ને મૌલિક લાક્ષણિકતાઓ-ઢાઢ આંખ, નુકીલી નાસિકા, અત્યધિક પાતળો કઢિપ્રદેશ અને રેખાઓની પ્રધાનતા વગેરે-છે, તે તેા પાઢણ કે તેવા અન્ય સ્થળે ચિતરાયેલાં કલ્પસૂત્ર-ચિત્રાની જેમ જ આ ચિત્રામાં પણ સમાનપણે મળી રહે છે. અને આમ બનવાનુ ખરૂ કારણ એ જ છે કે આ ચિત્રા જૈન ધર્માચાર્યાની સીધી રૃખભાળ અને રાહુબરી હેઠળ તૈયાર થયાં છે, રંગ મિલાવટના કે શૈલીગત કેટલાક ફેરફારો પણ જોવા મળે છે તેના કારણમાં, માંડૂ, જૌનપુર વગેરે સ્થળોમાં જૂના કે રોજિંદા ચિત્રકાર કાઈ કારણસર મલવા પડયા હોય, અથવા તા જે તે સ્થળના સ્થાનિક ઉત્તમ ચિત્રકારના ઉપયોગ કરવાનુ નક્કી થયું હોય, અને તેથી તે નવા ચિત્રકારે કલ્પસૂત્રનાં ચિત્રાની નકલ કરવા જતાં તેમાં પાતાના કલાકસબ ઉમેર્યા હોય અને એ રીતે પોતાની શૈલીની અસરો પણ એમાં તેણે ઉમેરી હાય એવી સંભાવના, તથ્યની વધુ નિકટ જણાય છે. જો કે શ્રી ખ’ડાલાવાલાનુ ઉપર નાંધેલું વિધાન કે તેવાં અન્ય વિધાના મહુરો તા અનુમાન કે સભાવના ઉપર જ આધારિત હોય છે, તેમ છતાં, અહીં મેં નિર્દેશેલી સંભાવનામાં કાઈને તર્કસંગતિ ન પણ લાગે, પરંતુ પરંપરાગત ( Traditional) તથ્યને ઉવેખવાનું બહુ સહેલું નથી એ આપણે ન ભૂલવુ... જોઈ અ. પરપરાથી અજાણ વ્યક્તિ જ તર્કસંગતિના નામે પરપરાને ઉવેખવાનું સાહસ કરી શકે. જો કે ‘ખરી રીતે કાઇ પણ ચિત્રશૈલીને પ્રદેશનુ નામ અપાય તે જ ચેાગ્ય' એવા કલાવિદ્યાના મત સાથે હું અસમ્મત નથી. આમ છતાં, ઉપર ચચ્ચુ છે તેમ, પ્રસ્તુત ( · જૈન ’) શૈલીને લાગેવળગે છે ત્યાં સુધી, આ શૈલીનાં ચિત્રા મુખ્યત્વે જૈન ગ્રંથામાં છે અને એ ગ્રંથાનાં લેખન અને ચિત્રાંકનના ખરા આધાર જૈન આચાર્યા પર રહેતા. ઉપર નાંધ્યું તેમ, તેઓ દેરોદેશ વિચરતા, દેશેદેશના લેખક પાસે, પાતે નિશ્ચિત કરેલા ધારણની લિપિ—જે જૈનલિપિ તરીકે પ્રખ્યાત છે તે-માં ગ્રંથા લખાવતા, ને ચિત્રકારો પાસે પાતે સ્વીકારેલા ધારણનાં ચિત્રા દ્વારાવતા. આથી, તે લેખક ગમે તે દેશના, Jain Education International For Personal & Private Use Only www.jainelllbrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy