SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ જૈન શૈલીનું પૃથક અસ્તિત્વ એ સમાજમાં કાવ્યો રચાતાં, ગ્રંથ સર્જાતા, શિહપ ને સ્થાપત્યો નિર્માતા, ચિત્રો આલેખાતાં અને એવી અનેકવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થતી, પણ તે તમામનું કેન્દ્રબિન્દુ ધર્મસાધના, ધર્મોન્નતિ ને ધર્મ સેવા, સીધી કે આડકતરી રીતે પણ, રહેતું, એમ આપણે કહી શકીએ. વસ્તુત: તે આ બધું ધર્મના નેજા હેઠળ જ થતું રહ્યું હતું, એમ કહી શકાય. અને તેથી જ તો આપણે ત્યાં, જૈન ચિત્રકલા અને શિ૯૫કલાની માફક જ, શ્રીનાથદ્વારાની ચિત્રકલા અને પુષ્ટિમાર્ગની વિશિષ્ટ સંગીતકલા (હવેલી સંગીત) જેવાં રુચિકર તો વિકસ્યાં છે અને કયાં છે. આમ, આ દષ્ટિબિન્દુથી વિચાર કરતાં પ્રસ્તુત ચિત્રશૈલીને “જૈન શૈલી? એવું નામ આપવામાં કેઈ નાનમ વર્તાતી નથી. બલકે, મુઘલ બાદશાહના રાજ્યાશ્રયે પાંગરેલી ચિત્રકલાને “મુઘલ કલા” તેમ જ “ઇમ્પીરીયલ મુઘલ આર્ટ ? અને પોપ્યુલર મુઘલ આર્ટ' જેવાં નામોથી ઓળખાવી અને નવાજી શકાતી હોય તે તેની જેમ, જેનો દ્વારા પાંગરેલી અને સચવાયેલી આ શૈલીને “જેન શૈલી નામ અપાય, તો તેમાં ન્યાય અને તર્કસંગતિ-બને છે. કેટલીક વખત આવી સાંપ્રદાયિકતાનું પણ આગવું મૂલ્ય હોય છે, એ ન ભૂલવું જોઈએ. મેં ઉપર નિર્ટહ્યું કે આ શૈલી ને દ્વારા વિકસેલી ને સચવાયેલી છે; આ મુદ્દો જરા ઊંડાણથી તપાસવા જેવો છે.. વાત એમ છે કે મધ્યકાલીન જન ગ્રંથપથીઓમાં મળતી ચિત્રકલાનો મુખ્ય સ્ત્રોત કે પ્રેરકબળ જેન આચાર્યો/ધર્મગુરુઓ છે. એ ચિત્રો તેઓના સીધા માર્ગદર્શન હેઠળ ચિતરવામાં આવ્યા હોય છે, એમ કહેવું વધુ યોગ્ય ગણાશે, જેન ધર્મગુરુઓ પિતાના વ્રત અનુસાર, જીવનભર, ભારતના પૂર્વ પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ એમ ચારેય દિશાઓના અન્યાન્ય પ્રદેશમાં પાદવિહાર દ્વારા પર્યટન કરતા રહેતા. આ પર્યટન અને વચમાં આવતા ચાતુર્માસિક સ્થિરવાસ દરમિયાન, તેઓને જ્યારે જ્યારે કેઈ ધર્મગ્રંથની જરૂર જણાતી કે કઈક શ્રાવકને કે સંઘને પોતાના માટે કે ધર્મગુરુઓને અર્પણ કરવા માટે ધર્મગ્રંથની જરૂર પડતી, ત્યારે તે ધર્મગુરુઓ તેમ જ શ્રાવકે, જે તે પ્રદેશમાં કે અન્યત્ર વસતા વિખ્યાત કે અ૫ખ્યાત લેખક (લહિયા) ને તેમ જ ચિત્રકારને બોલાવતા, અને તેની પાસે જરૂરના ગ્રંથ લખાવતા તથા તેમાં ચિત્રો ચિતરાવતા. આ લેખક અને ચિત્રકાર સ્થાનિક પણ રહેતા અને બહારગામથી આવેલા કે બોલાવેલા પણ હોય. પરિચિત પણ હોય અને અપરિચિત પણ હોય. એટલું જ નહિ, પણ દરેક ગ્રંથ, દરેક વખતે, દરક સાધુઓ લેખક પાસે જ લખાવે તેવું પણ નહિ; તેઓ સ્વયં લખે એવું પણ બનતું. પણ ઘણ ભાગે લહિયાઓનો ઉપયોગ થતો. આ લેખકે તેમ જ ચિત્રકારોને, એમને બોલાવનાર અને કામ આપનાર આચાર્યો/સાધુએ પૂરું માર્ગદર્શન (Guide line) આપતા, અને એ માર્ગદર્શનને બરાબર લક્ષ્યમાં લઈને પછી એ લેખક અને ગ્રંથકાર એ ગ્રંથ લખતા તેમ જ તેમાં ચિત્રો દોરતા, એ લખાણ તથા ચિત્રો તૈયાર થયા પછી એ આચાર્યાદિ તેને તપાસી લેતા અને તેમાં પોતાના સંપ્રદાયના સિદ્ધાન્ત, હકીકત કે બીજી કઈ બાબતો વિશે ખામી જણાય તો તે સુધરાવી લેતા. હાથપોથીઓમાં થતાં ચિત્રાંકન અંગે એવી પદ્ધતિ હતી કે પહેલાં આખી પિથી લખાતી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy