SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) ભોજપ્રબંધ ભાષાંતર, સાક્ષાત કામદેવ હાય તેવા કુમારને જોઈ મુંજરાજાએ તેને આદરપૂર્વક આલિંગન કર્યું, અને તે જ વખતે વાજિંત્રના નાદપૂર્વક અનેક રાજાઓને એકઠા કરી નગરીમાં દરેક ઘેર તેણે બંધાવી મોટા ઉત્સવથી ભેજકુમારને યુવરાજ પદ આપ્યું. આ સવ ભેજકુમારે મોકલેલા સુભાષિતને જ પ્રભાવ છે. કહ્યું છે કે-“સમયેચિત કહેવાયેલું સુભાષિત ખેદ પામેલાના ખેદનો નાશ કરે છે. તાપ પામેલાને શીતળ કરે છે, મુંઝાયેલાને બોધ આપે છે અને વ્યાકુળ થયેલા ચિત્તને સ્થિર કરે છે.” એકદા કર્ણાટકના રાજા કે જે પ્રથમ સાત વાર સંગ્રામમાંથી ભાગી ગયો હતો. તેને ફરી આઠમી વાર આવતો જાણી “કવિ ભાલસ્થળને ભયંકર કરતો શ્રીમુંજરાજભેજ યુવરાજને રાજ્ય સોંપી ચતુરંગ સૈન્યને સાથે લઈ તેના તરફ ચાલ્યો. આગમાં ઘણાં અપશુકનો થયાંતોષણ તે પાછો વળ્યો નહીં. ‘ભાવભાવને અન્યથા કરવા કેઈ સમર્થ નથી.” કહ્યું છે કે-“નાળિયેરની અંદર જળ થાય છે તેની જેમ જે થવાનું હોય છે તે થાય જ છે અને હાથીએ ખાધેલા કેકાનાફળમાંથી રસ ચુસાઈ જાય છે તેની જેમ જે જવાનું હોય છે તે જાય જ છે.” “કદાચ મેરૂ પર્વત પણ ચલાયમાન થાય, અગ્નિ પણ શીતળતાને પામે, સૂર્ય પણ પશ્ચિમ દિશામાં ઉગે અને કદાચ પર્વતના શિખર પર (શીલા ઉપર) કમળ પણ થશે. તે પણ જારી કર્મની રેખા કદાપિ ચળાયમાન થતી નથી–અન્યથા થતી નથી. ” “ ઇંદ્ર પરસ્ત્રીનું હરણ કરવામાં પાપ છે એમ નહેાતા જાણવા, છતાં કેમ કર્યું ? વનમાં સુવર્ણન મૃગ સંભવ નથી એમ શું રામના જાણવામાં નહોતું, છતાં તે લેવા કેમ દોડ્યા ? તથા યુધિષ્ઠિર પાસાની ફીડા મહા અનર્થકારી છે એમ નહોતા જાણતા. છતાં કેમ કીડા કરી અને અનર્થ પ્રાપ્ત કર્યો ? આ સર્વનું કારણ એ છે કે વિપત્તિ નજીક આવવાથી જેમનું મન મૂઠ થઈ ગયું હોય છે તેની બુદ્ધિ પણ પ્રાયે નષ્ટ થાય છે.” - મુંજરાજ પણ ભાવીની પ્રબળતાને લીધે પાછો નહીં વળતાં અનુક્રમે કર્ણાટક દરની નજીક જઈ પહોંચ્યો. કર્ણાટકને સ્વામી તૈલપદેવ પણ સન્મુખ આવ્યું. અને સન્ય વચ્ચે તુમુલ યુદ્ધ પ્રવત્યું. તેમાં હાથીની સામે હાથી, રથની સામે રથ, અશ્વારની સામે અધાઅને પાયદળની સામે પાયદળ-એ પ્રમાણે યુદ્ધ થવા માંડ્યું. તેમાં ક્ષણવારમાં જ મુંજરાજા પરાજય પામ્યો, એટલે તૈલપદેવે તેને બાંધી લઈને કરાગ્રહમાં નાંખે. કેટલાક દિવસ પછી કારાગૃહમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy