SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૪) ભોજપ્રબંધ ભાષાંતર. ત્યારપછી મયૂર કવિ બોલ્યા કે –“જે કાવ્યની રચના કરે છે, અને જેઓની કી િકાવ્યમાં ગવાય છે, તે મહાત્માઓ જ આ જગતમાં વંઘ છે, અને તેઓને જ યશ લેકમાં સ્થિર છે.” પછી બાણ કવિ બોલ્યા કે –“પદની સ્પષ્ટતાવડે કવિઓના હૃદયમાં આનંદની સ્પષ્ટતા કરનારા કવિઓના માર્ગમાં કેવળ વિદ્વાનની બુદ્ધિ ચાલતી નથી. લાના આવેશના દુ:ખને જણાવનાર જે કુળવધૂના કટાક્ષને માગે તે ગણિકાઓથી અજા જ છે.” ત્યારપછી ફરીથી કાળીદાસ બોલ્યા-“કવિની વાણુ અદાતારના મનને કદાપિ સ્પર્શ કરતી નથી. યુવતી સ્ત્રીએ કરેલા વિલાસે અતિવૃદ્ધ પુરૂષને દુ:ખ આપનારા જ થાય છે. વળી–કીતિ રહિત અને કૃપણ એવો પુરૂષ કવિતાને સાંભળતો જ નથી. કદાચ મૃગનેત્રવાળી પાસે રહી હોય તોપણ નપુંસક પુરૂષ તેને શું કરે?” આ પ્રમાણે સાંભળી રાજાએ તે દરેક પંડિતને લાખ લાખ દ્રવ્ય આપ્યું. એકદા સમસ્તકવિસમૂહમાં અધિકગુણવાળાકાળીદાસને આવતા જોઈ ભેજરાજા હર્ષ પામ્યા, પરંતુ તે વેશ્યામાં આસક્ત હતા, તેથી રાજાના મનમાં કાંઈક ખેદ થયે. તે તેમનો અભિપ્રાય જાણી પ્રતીહારે રાજાને કહ્યું કે-“હે દેવ ! ગુણવાન જનમાં એકાદ દોષ દેખ્યા છતાં પણ ગુણરાગી પુરૂષે ખેદ પામતા નથી. ચંદ્રમાં પડેલા કલંકને પણ લેકે પ્રીતિથી જ જુએ છે.” તે સાંભળી રાજા પ્રસન્ન થયે; પરંતુ તેણે પહેલાની જેમ કાળીદાસનું બહુમાન કર્યું નહીં. કાળીદાસે રાજાને અભિપ્રાય જાણું કહ્યું કે “હે મૂખ તુલા (ત્રાજવા)! પ્રમાણની-તોળવાની પદવી પામવાથી તું ગર્વિષ્ટ કેમ થાય છે? તું તો ગુરૂ પદાર્થને નીચો કરે છે અને હલકાને ઉચો કરે છે, એટલે તારામાં કદર જ ક્યાં છે?” તથા– “જેની સર્વત્ર ગતિ છે તે સ્વદેશપરના રાગે કરીને શા માટે નાશ પામશે ? આ બાપ દાદાને ફ છે એમ કહીને મૂખ માણસો જ તેનું ખારું પાણી પીને બેસી રહેશે. આ પ્રમાણે કથનના પ્રસંગથી પોતે કરેલી અવજ્ઞા કાળીદાસ જાણી ગયા એમ સમજી મનમાં દુ:ખી થયેલા રાજા રાત્રીએ એકલા જ આવાસગૃહમાં બેઠા બેઠા વિચારવા લાગ્યા કે “ અવજ્ઞાથી જે પ્રેમ તુટ્યો તેને ન કરવા કેણ સમર્થ હેાય ? કુટેલું મિતી ફરી લાખથી સાંધી શકાતું નથી. આ પ્રમાણે વિચારતા રાજાને ખેદયુક્ત જોઈ લીલાવતી રાણુએ ખેદનું કારણ પૂછયું, ત્યારે રાજાએ તેની પાસે સર્વ વૃત્તાંત ૧ માત્ર ભણ્યા હોય પણ ગણ્યા ન હોય તેવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy