SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૪) ભેજપ્રબંધ ભાષાંતર. જ હેય છે.”હે રાજન ! વિદ્યા અને ગુણેજ લેકેની પ્રતિષ્ઠાનું કારણ છે, કેવળ સંપદા પ્રતિષ્ઠા આપી શકતી નથી. હે દેવ ! શાસ્ત્રમાં કહ્યું છે કે-ગુણનો સમૂહ પ્રાપ્ત કરે તે પોતાના સ્વાધીનની વાત છે, તેથી જે ગુણ રહિતપણું હોય તો તે નિંદ્ય છે; પરંતુ ધનની પ્રાપ્તિ તે દેવાધીન હોવાથી તેની પ્રાપ્તિમાં પુરૂષની નિંદા શી રીતે થાય ? હે દેવ ! મંત્રનું આરાધન કરવાથી મનુષ્ય પોતે અપ્રતિહત શક્તિવાળો થાય છે, અને શાસ્ત્રના અભ્યાસવડે કવિ થાય છે.” તે સાંભળી રાજાએ કહ્યું– “તમારી પાસેના મંત્રની શક્તિ શું છે ?” વિપ્ર બોલ્યો–“હે રાજન! તમને કોસુક હોય તે જુએ. હું આપની આજ્ઞાથી જેના મસ્તક પર હાથ મૂકું તે માણસ સરસ્વતીના પ્રસાદથી વિદ્યાના વિલાસમાં અખલિત ગતિવાળે થઈ જાય છે. તે સાંભળી રાજાએ કહ્યું કે –“હે કવીશ્વર ! તેવી શક્તિ હોય તે તે તમારી તે દેવશક્તિ ઘણી શ્રેષ્ઠ કહેવાય.” પછી રાજાએ કેઈ અભણ દાસીને બોલાવી તે બ્રાહ્મણને કહ્યું કે “હે વિદ્વાન ! આના મસ્તક પર તમારે હસ્તકમળ મૂકે.” ત્યારે તે બ્રાહ્મણ પિતાના ઇષ્ટદેવના સ્મરણપૂર્વક તેણીના મસ્તક પર હાથ મૂકી બોલ્યો કે–“હે દેવી! જે કઈ વિષયમાં બોલવાની રાજા આજ્ઞા આપે તે વિષયમાં તારા મુખકમળમાંથી નીકળેલી કવિતાએ કરીને મનહર રીતે બેલ.” પછી તે દાસીએ રાજાને કહ્યું કે–“હે શ્રી ભોજરાજા! હું અત્યારે સમગ્ર વાણુમય શાસૂસમૂહને હસ્તમાં રહેલા આમળાની જેમ જેઉં છું. તે હે દેવ ! આજ્ઞા આપો. શેનું વર્ણન કરૂં ? તે સાંભળી રાજાએ સ્વાભાવિકપણે વિચાર્યા વિના જ કહ્યું કે –“ મારા ખનું વર્ણન કર.” ત્યારે તે દાસી આવા અથવાળે કલેક બોલી કે– “હે નરેદ્ર! આ તમારે ખીરૂપી ધારાધર (મેઘ) શત્રુઓની સ્ત્રીઓનાં દ્વારા વરસે છે. (તેમના નેત્રમાંથી અશ્રુધારા વરસાવે છે, તે આશ્ચર્ય છે, તથા સંગ્રામમાં નિરંતર કોશ રહિત થયેલ આ ખ શત્રુરાજાઓના દારિદ્રયને ઉદય કરે છે, તે પણ આશ્ચર્ય છે.” તે સાંભળી આશ્ચર્ય પામેલા રાજાએ તે બ્રાહ્મણને રવડે ભરેલા પાંચ સુવર્ણકળશે આવ્યા. તે વિષે કેશાધિકારીએ ધમપત્રમાં લખ્યું કે – મંત્ર વિદ્યામાં પ્રસિદ્ધ થયેલા બ્રાહ્મણને ભેજરાજાએ રત્નોના ભરેલા પાંચ સુવર્ણકુંભ આચા.” ઈતિ માંત્રિક કવિ પ્રબંધ. ૧ જેની શક્તિ હણાતી નથી એવ. ૨ માન. બીજો અર્થ ખજાને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy