SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર જ છે. (૧૧૩) ભોજરાજાને પ્રતાપરૂપી અગ્નિ રાજાઓની યુદ્ધભૂમિમાં અપૂર્વ રીતે જાગૃત છે કે જે (અગ્નિ) ને પ્રવેશ થવાથી શત્રરાજાઓના ઘરના આંગણામાં ઘાસ ઉગે છે.” તે સાંભળી રાજાએ પ્રસન્ન થઈ તે વૃદ્ધાને રનોને ભરેલે સુવર્ણ કળશ આયો. તે બાબત કેશાધિકારીએ ધર્મપત્રમાં લખ્યું કે- વૃદ્ધા બ્રાહ્મણીએ રાજસભામાં રાજાના પ્રતાપની સ્તુતિ કરી તેથી પ્રસન્ન થઇ રાજાએ તેને મણિથી ભરેલે સુવર્ણકળશ આપે.” એકદા ભોજરાજા કીડાદ્યાનમાં કીડા કરવા ગયા. ત્યાં ચિરકાળ સુધી કીડા કરીને થાકી જવાથી કેઇક આમ્રવૃક્ષની નીચે વિશ્રાંતિ લેવા બેઠા. ત્યાં આમ્રવૃક્ષની નીચે રત્નકંબલ પર બેઠેલા રાજાને જોઈ મલ્ફિનાથ નામના કવિએ ત્યાં આવી આવા અથવાળ લેક કહ્યો– સેંકડો શાખાઓ વડે આકાશમાં વ્યાપી જનારા ઘણું વૃો વનમાં હોય છે, પરંતુ સુગંધના સમૂહને લીધે એકઠા થયેલા ભમરાઓના સમૂહે જેનાં પાંદડાં નષ્ટ કર્યા હોય એવાં વૃક્ષો વિરલા જ હોય છે.” તે સાંભળી હર્ષિત થયેલા રાજાએ તેને પિતાના હસ્તનું કંકણ આપ્યું. તે કવિને હસ્તકંકણ આપ્યું જાણી કેશાધિકારીએ ધર્મ પત્રમાં લખ્યું કે–“આમ્રવૃક્ષની નીચે બેઠેલા રાજાએ વૃક્ષનું વર્ણન કરનાર મલ્લિનાથ કવિને હાથનું વલય આપ્યું. ત્યારપછી તેજ આમ્રવૃક્ષની નીચે બેઠેલા રાજા પાસે કે બીજા વિદ્વાને આવી કહ્યું કે હે રાજન ! અમે પૂર્વસમુદ્ર કિનારે રહેલા શ્રીમાન ઉલશ જગનાથના દેશમાંથી આવીએ છીએ. તે સાંભળી રાજાએ કહ્યું“મને તમારી જેવા તીર્થનિવાસીઓનાં દર્શન ભાગ્ય વિના કયાંથી થાય? ” બ્રાહ્મણે કહ્યું –“હે દેવ ! અમે કેવળ તીથવાસી છીએ, એટલું જ નહીં પરંતુ માંત્રિક પણ છીએ.” રાજાએ કહ્યું બ્રાહ્મણ જાતિમાં સર્વ કાંઈ સંભવે છે; પરંતુ હે વિપ્ર ! જેમ મંત્રવિદ્યાથી પરેલમાં ફળની પ્રાપ્તિ થાય છે તેમ આ લોકમાં તેનું કાંઈપણ ફળ પ્રાપ્ત થાય છે કે નહીં?” વિપ્ર બે કે –“હે રાજન ! સરસ્વતીના ચરણકમળ આરાધવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે એ વાત જગતમાં પ્રસિદ્ધ છે, પરંતુ ધનની પ્રાપ્તિ થવી એ તો ભાગ્યઆધીન છે. કહ્યું છે કે જે ગુણો છે તે તો ગુણે જ છે, તે ગુણે કાંઇ વૈભવનું કારણે થતા નથી. ધનપ્રાપ્તિને કરનારું ભાગ્ય તો જુદું ૧ મંત્રવિદ્યાવાળા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy