SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ અંદ૨] હેમચંદ્ર અને વિદ્યા [શરૂ એવી બન્ને ધર્મની માન્યતા છે. વળી, તે બેઉ પુનર્જન્મ, તથા કર્માનુસારી ફળની માન્યતા સ્વીકારે છે, અને વિશ્વના સકળ આત્માઓ એ બ્રહ્મમાં વિલીન થઈ જશે એમ દ્રઢતાથી કહે છે. વૈદિક ધર્મના આ મહાન સિદ્ધાંતમાંથી કોઈનું લેશ પણ પરિવર્તન યાને ખલન થયું નથી. બુદ્ધ ધર્મને અંગે મૂર્તિપૂજા અને ઉત્સવો તથા યાત્રાઓએ જે સ્થાન ધર્મમાં લીધું તેમાં સમાએલા આનંદદાયક અને ભવ્ય સમારંભોએ મનુષ્યોના દિલ પર જબરી સત્તા જમાવી. આના પરિણામે પુરાણી વિચારસરણીને અનુશીલ અને અનુષંગી હિંદુધર્મનું નવું સ્વરૂપ સર્જાયું, પણ તેની સાથે બૌદ્ધ ધર્મને આ દેશમાંથી દેશવટો મળ્યો. આમ જે ધર્મ સર્જાયો તે સામાન્ય જનસમૂહને ધર્મ- બલકે ઉત્સવો, સમારંભો અને મૂર્તિમૂનાને ધર્મ-બન્યો. हेमचंद्र अने विरहाङ्क સ્ટેટ –ો. રિવર્લ્ડમ માયાળ, . . કોઈ પણ મૃત ભાષાના પ્રામાણિક વ્યાકરણની રચના કરવાનું જેણે હાથ ધર્યું હોય તેની આગળ પોતે ઘડેલા વ્યાકરણનિયમોના સમર્થનમાં ટાંકવાનાં ઉદાહરણો મેળવવા માટે બે જ માર્ગ હોય છેઃ પૂર્વના પ્રમાણભૂત વૈયાકરણોએ વીણીવીણીને સંઘરેલાં પરંપરાગત ઉદાહરણોનો ઉપયોગ કરવો અથવા તો ઉપલબ્ધ સાહિત્યમાંથી પોતે સ્વતંત્રપણે સૂત્રપોષક ઉદાહરણો પસંદ કરવા. હેમચંદ્ર પોતાના પ્રાકૃત વ્યાકરણમાં કેટલેક અંશે અપભ્રંશ વિભાગ માટે તે તે વેળા પ્રચલિત અપભ્રંશ સાહિત્યને આધાર લીધો હોવાનું હવે આપણે સપ્રમાણ કહી શકીએ તેમ છીએ. અને તેવી જ રીતે પ્રાકૃત વિભાગ માટે પણ પોતાને સુપરિચિત પ્રાકૃત સાહિત્યમાંથી તેણે ઉદાહરણ પસંદ કર્યો હોવાનું સૂત્ર ૧, ૮૦ની વૃત્તિમાં ઇદુના ઘરમHપાયુમાંથી લીધેલું ને સૂત્ર ૧, ૨૧૧ની વૃત્તિમાં હાલની હાસત્તમાંથી લીધેલું ટાંચણ પુરવાર કરે છે. વધારે પ્રાકૃત સાહિત્ય પ્રકાશમાં આવતાં ને તેનું પષણ વધતાં બીજાં ઉદાહરણોનું પગેરું પણ ખોલી શકાશે એ હકીકત વિરહાહૂના વૃત્તાતિસમુચ્ચય ગ્રંથ પરથી સાબિત થાય છે. એ પ્રાકૃત છંદોગ્રંથ અધ્યાપક એચ.ડી. વેલણકરે સંપાદિત કરી પ્રસિદ્ધ કરેલ છે (માત્રાવૃત્તવાળા વિભાગ * આ લેખના આધારભૂત ગ્રંથો - ૧. વાયુમારચરિત' (આંતરભાગનું મંથન). ૨. સૃષ્ટટન્મા 3. R. C. Dutt's Civilization in Ancient India.' ૪. R, C. Dutt's “Epochs of Indian History.” 4. Weber's History of Indian Literature.' $. Macdonell's 'Sanskrit Literature. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy