SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ १२२ ] भारतीय विद्या [ વર્ષે રૂ નાનાં પાટલકુસુમોથી અને વિકસિત કમળોથી સુગંધિત કરેલું પાણી ધાર કરીને આપ્યું. જળકણોથી એની આંખોનાં પોપચાં છંટાઈ ને રતાશવાળાં બન્યાં, ધારાના ધ્વનિથી કર્ણને આનંદ થયો, સ્પર્શના સુખથી કઠણ કપોળપ્રદેશ રોમાંચિત અન્યો, તેની ઘટ્ટ સુગંધના પ્રસરવાથી નસ્કોરા ફૂલ્યાં અને જળના અતિશય માધુર્યથી જીસને પરમ તૃપ્તિ થઈ. આવું સ્વચ્છ પાણી તેણે ચાળીને મોંએ અરાડી ધરાઈને પીધું. પછી કન્યાએ તેને બીજા પાત્રમાંથી આચમન આપ્યું. પેલી વૃદ્ધાએ એઠું ઊઠાવી લીધું અને લીલા છાણથી એ ફરસબંધીપર લીંપ્યું, એટલે પોતાનું ઉત્તરીય વસ્ત્ર તેનાપર પાથરી ક્ષણવાર તે ત્યાં સૂઈ ગયો. આથી અતિશય સંતુષ્ટ થઈ વિધિસર એ કન્યાને પરણી તેને પોતાને ઘેર લઈ ગયો. ઉપસંહાર: હિંદુસમાજની રૂઢિચુસ્તતા અને સ્થિતિસ્થાપકતા. દડીના દશકુમાર ચરિતમાં આલેખેલા હિંદુ સમાજનું આપણે વિહંગાવલોકન કર્યું. અતિશય સમૃદ્ધિના અનુષંગી ભોગવિલાસોના પરિણામે તેનું તે સમયે નૈતિક અધઃપતન થવા માંડ્યું હતું. હિંદુસમાજનું એ ખાસ લક્ષણ છે કે અનેક કાળો આવે છે અને જાય છે, છતાં તેના રીતરિવાજો, તેની માન્યતાઓ અને તેનાં બાહ્ય સ્વરૂપોમાં ઝાઝો ફેરફાર પડેલો જણાતો નથી. સૈકાનાં સૈકાઓ સુધી તે લગભગ એક જ સ્થિતિમાં રહેલો જણાય છે. તે કાળના રિવાજોમાં પ્રધાનપદે અનેક પક્ષીઓ કરવાનો રિવાજ, મૂર્તિપૂજા, યાત્રોત્સવો, ગૃહવ્યવસ્થાની રીતો, ધાર્મિક વિધિઓ વગેરે વિના રૂપાન્તરે આગળ ચાલ્યા આવે છે. પુનર્જન્મ, કર્માંનુસાર ફળ, સ્વર્ગ ને નરક, શાપો, સ્વપ્રો, શકુનો, ભૂતપ્રેતો, જાદુઈ ઉપચારો વગેરેની માન્યતાઓ એવી ને એવી દૃઢ રહેલી માલૂમ પડે છે. વેદના કાળમાં અવિભક્ત અને આ સમય પહેલાં ચાતુર્વણ્યમાં વિભક્ત થએલો જનસમાજ જે આગળ જતાં વિવિધ પેટાભાગોમાં વહેંચાય છે તે થોડા અથવા વત્તા પ્રમાણમાં એક સ્વરૂપે દેખા દે છે. વળી, ધર્મમાં પરિવર્તન થયું જણાય પણ તે માત્ર બાહ્ય સ્વરૂપમાં થએલું છે. બુદ્ધ ધર્મે મૂર્તિપૂજા, દેવમંદિરો, ઉત્સવ સમારંભો અને તીર્થયાત્રાઓને જન્મ આપ્યો પણ મનુના કાળ સુધી ત્રિમૂર્તિનો સ્વીકાર થયો નથી, તેમ જ મૂર્તિપૂજ઼ પ્રશંસનીય ગણાઈ નથી. વળી, બુદ્ધ ધર્મના લીધે ધર્મના સ્વરૂપમાં જે પરિવર્તન થયું તેના પરિણામે યજ્ઞો લગભગ બંધ જેવા થઈ ગયા, અને તેમનું સ્થાન મંદિરો અને યાત્રાઓના ભપકાબંધ સમારંભો અને ઉત્સવોએ લીધું. તેમ છતાં એકરીતે હિંદુસમાજ એટલો રૂઢિચુસ્ત અને સ્થિતિસ્થાપક છે કે આ પરિવર્તન માત્ર બાહ્ય સ્વરૂપનું હતું, અને તત્ત્વતઃ હિંદુધર્મના વિચારો નવીન પરિસ્થિતિને બંધ એસતા આવે એવી રીતે એમના પ્રથમ સ્વરૂપમાં જળવાઈ રહ્યા. આમ થવાથી જો કે બુદ્ધ ધર્મની અસરથી ધર્મનું પરિવર્તન થએલું જણાય છે, છતાં વૈદિક અને પૌરાણિક ધર્મ વાસ્તવિક રીતે એક જ રહ્યા. ં સદ્ગિા વદુધા યન્તિ એવો વેદ અને ઉપનિ ષદનો મહાન ઈશ્વર, વૈવાન્તેપુ યમાટ્ટુરેપુરામ્ એવો સર્વ સ્થળે વ્યાપી રહેલો એક પરમાત્મા, અને સર્વે વિવું હ્ય એવો સર્વવ્યાપી એકાકાર બ્રહ્મ, એ મતોનો તે અન્ને ધર્મો સ્વીકાર કરે છે. સકલ વિશ્વ એનાથી ઉદ્ભવ્યું છે અને તેમાં તે લય પામશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy