SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ११८] भारतीय विद्या ખાતર કેવી રીતે પાડવું તેનું શાસ્ત્રીય વિવેચન કરી, કળામય આકૃતિમાં ખાતર પાડવા સંબંધમાં તે કહે છે, पमव्याकोशं भास्कर बालचन्द्र वापी विस्तीर्ण स्वस्तिकं पूर्णकुम्भम् । तत्कस्मिन्देशे दर्शयाम्यात्मशिल्पम् दृष्ट्वा श्वोयं यद्विस्मयं यान्ति पौराः ॥ ચોરી કરવાના ઉપકરણોમાં અદ્રશ્યતા અને ત્રણમુક્તિ પ્રાપ્ત કરી આપનાર યોગરોચનાનું જાદુઈ મલમ, અંતર માપવાનું (પ્રમાણ) સૂત્ર, ઘરમાં મનુષ્યો જાગે છે કે ઊંઘે છે તે નક્કી કરવાને પ્રથમ ઘરમાં દાખલ કરવા પ્રતિપુરુષ, દ્રવ્યનું અસ્તિત્વ નક્કી કરવા યાને નિધિસ્થળ જાણવાને માટે જમીન પર પાણી સિંચી, નાખવાથી ફૂટે તો તે સ્થળે તે હોવાને નિર્ણય કરી આપનાર બીજ, વગેરે વસ્તુઓ જણાવવામાં આવી છે. શલિક પાસે તે સમયે પ્રમાણુસૂત્ર (માપવાની દોરી) હાજર નહિ હોવાથી તે કાર્યમાં તે યજ્ઞોપવીતનો ઉપયોગ કરે છે. યજ્ઞોપવીત હોવાના લાભ તે નીચે પ્રમાણે દર્શાવે છે. एतेन मापयति भित्तिषु कर्ममार्ग-- मेतेन भोचयति भूषणसंप्रयोगात् ।। उद्धारको भवति यन्त्रहढे कपाटे, दष्टस्य कीटभुजगैः परिवेष्टनं च ॥ વળી, ચૌર્યકાર્ય કરનારાનું નીતિશાસ્ત્ર પણ છે. તદનુસાર ચોરે સ્ત્રીઓના નિવાસમાં ખાતર પાડવું નહિ, સ્ત્રીને મારવી નહિ, તથા પરમાથી દરિદ્રી ગૃહસ્થના ઘરમાં ચોરી કરવી નહિ. “દશકુમાર ચરિત’માં કુમાર અપહારવર્મા ચોરી કરવા જાય છે ત્યારે ચોરી કરવાનાં સાધનો તરીકે નીચેની વસ્તુઓ સાથે લઈ જાય છે. પ્રથમ તે તે કાર્ય માટે તે અતિશય કાળી રાત્રિ પસંદ કરે છે, અને શરીર પર કાળો અંધેરપછેડો ઓઢી લે છે. પછી સાથે તીણ તલવાર, બોદવા માટે સર્ષની ફેણ જેવો પળો, સિસોટી, સાણસી, ઘરમાં મનુષ્યો જાગે છે કે ઊંઘે છે તે જાણવા માટે બનાવટી માથું, “મૃ૦ ક”ની યોગરોચના સમાન જાદુઈ ભૂકી, મનુષ્યોને નિદ્રામાં નાખવા અને ધન દ્રષ્ટિએ પડે એટલા માટે જાદુઈ દિવેટ, માપવાની દોરી, ઉપર ચઢવા માટે પેચ (હક) ને દોરડું, ફાનસ, ઘરમાં બળતો દીવો હોલવી નાખવા વાંદાની દાબડી, એટલી વસ્તુઓ લઈ જાય છે. ઘૂતાગારનો અધ્યક્ષ સભિક “મૃછકટિક'ના વર્ણન અનુસાર ધ્રુત રમનારાની છતમાંથી અમુક ભાગ પડાવતો. (૧૦૦ ટકાથી ઓછા મળતરપર તે પાંચ ટકા લેતો, અને વિશેષ મળતર પર દસ ટકા લેતો). તે જીતનારાના પૈસા વસુલ કરાવી આપતો. જે મનુષ્ય પૈસા ન આપે તેને વ્રતકર મંડળીના નામે પકડાવી શકતો, અને તેને પગેથી લટકાવડાવતો, અથવા તેના બરડાની ખાલ ઉતારી નંખાવતો, અગર તો તેની પાછળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy