SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ મં ? ] महाकवि दण्डीना समयनो हिंदुसमाज [ ११७ પગનીચે છૂંદાવવાની, આંખો ફોડવાની વગેરે અતિશય ઘાતકી વ્યથાઓ કરાવવામાં આવતી અને તેમના જીવનનો અંત લાવવામાં આવતો. ચોરી માટે ગુનેગારને મોતની શિક્ષા કરવામાં આવતી, તથા તેના બે હાથ ચીનના ગુનેગારોની જેમ લાકડાના ઢીમચામાં નાખવામાં આવતા. બ્રાહ્મણને રાજદ્રોહ માટે કષ્ટદાયક શિક્ષા કરી મારી નાખ્॰ વામાં આવતો, અને વણિકને ચોરીના ગુના માટે એનું સર્વસ્વ હરણ કરી લઈ દેશપાર કરવામાં આવતો. ડાકિની સ્ત્રીને ગ્રામવાસીઓનું પંચદેશપારની શિક્ષા કરતું. પાખંડધર્મ અને વૈદિક યજ્ઞનો ઉપહાસ, યતિઓને જનસમાજના ઉપકારક ગણવામાં આવતા. તેઓ શાસ્ત્રો શીખવતા, તેમની ચરણરજથી રોગનો નાશ થતો અને તેમની કૃપાથી ગ્રહોનું નડતર દૂર થતું. જૈનધર્મને પાખંડી અર્થાત્ પાખંડી ધર્મ તરીકે ગળેલો છે. મનુષ્યને માટે નિંદવાયોગ્ય વેશવાળો, અતિશય દુઃખથી ભરેલો, વિષ્ણુ, બ્રહ્મા અને મહાદેવ વગેરે દેવતાઓની નિંદા સતત સાંભળવાથી મૃત્યુ પછી નરકનું ફળ આપનારો, કોઈ પણ પ્રકારના સારા ફળ વિનાનો અને વંચનાયુક્ત ધર્મ તરીકે તેની ગણના થતી. વળી, પત્ની, છોકરાં વગેરે સર્વસ્વનો ત્યાગ કરાવનાર ધર્મ તરીકે પણ તેની હાંસી કરાવી છે. વેદવિહિત અગ્નિસ્તોમ યજ્ઞનો, યજમાનના શિરનું મુંડન કરાવી, તેને દર્ભના દોરડાથી બાંધી, ચર્મથી તેનું શરીર ઢાંકી, માખણ ચોપડી ખવડાવ્યા વિના સુબાડી, ખીજા જન્મમાં સુખ મળવાની આશાએ સર્વ સંપત્તિનો ત્યાગ કરાવનાર વિધિ તરીકે નિર્દેશ કરી તેનો ઉપહાસ કરવામાં આવ્યો છે. આમ કરીને વૈદિક યજ્ઞને ઉતારી પાડ્યો છે. તે કાળનું નૈતિક અધ:પતન તે કાળમાં લોકનીતિનું અધઃપતન થવા માંડ્યું હતું તે પ્રથમ જણાવવામાં આવ્યું છે. નગરમાં લોભિયા ધનવાન મનુષ્યો વસતા અને ધૂર્ત લોકો એમના ધનનું કોઈ પણ રસ્તે, મુખ્યત્વે કરીને ચોરી અને જુગારથી હરણ કરતા. ચૌર્ય અને દ્યૂતની કળામાં ગણના થતી, એ આપણે કહી ગયા છીએ. ચૌર્યકાર્યનો અધિષ્ઠાતા દેવ કણિસ્ત અથવા મૂળદેવ હતો, અને ધૃતાગારનો સંચાલક અથવા અધ્યક્ષ સભિક કહેવાતો. સભિક ધૃતકાર્યપર દેખરેખ રાખતો અને એને રમનારાઓની આવકમાંથી અમુક ભાગ મળતો. ચોરી કરવાનાં ઉપકરણોનું અને દ્યૂતની રમતની ઉસ્તાદીનું ‘મૃચ્છકટિક ’ની જેમ આમાં ઠીક વર્ણન આપવામાં આવ્યું છે, અને તે પરથી તે ધંધાના અનુયાયીઓ વિપુલ સંખ્યામાં હોવા જોઈ એ એમ લાગે છે. મૃચ્છકટિક’ના નાટકની જેમ આમાં દ્યૂત અને ચૌર્યકાર્યનું શાસ્ત્રીય કળાઓ તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. તે એની સરખામણી અસ્થાને નહિ ગણાય, કેમ કે એ એનું કેટલું સામ્ય છે તે આથી જણાશે. પૃચ્છકટિક’નો ચોરી કરનાર પાત્ર શર્વલિક ચૌર્યકાર્ય માટે રાત્રિના સમયની પ્રશંસા કરે છે, અને ચૌર્યકાર્યની સ્તુતિ કરતાં કહે છેઃ- * कामं नीचमिदं वदन्ति पुरुषाः स्वमे च यद्वर्धते विश्वस्तेषु च वञ्चना परिभवश्चौर्य न शौर्य हि तत् । स्वाधीना वचनीयतापि हि वरं बद्धो न सेवाञ्जलि - र्गो ह्येष नरेन्द्रसौप्तिकवधे पूर्व कृतं द्रौणिना ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy