SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ११६ ] भारतीय विद्या [ ક રૂ કામપાલ સાથે ચિતાગમન કરવા પ્રવૃત્ત થાય છે એ દ્રષ્ટાંતોથી સતી થવાની રૂઢિ પ્રચલિત થઈ હોય એમ જણાય છે. ગણિકાઓનો ધર્મ, ગણિકાઓને પિતાને કુટુંબધર્મ પાળવો પડતો અને પોતાના સંદર્યવિયથી ધનપાર્જન કરવું પડતું, કેમ કે કુલધર્માનુસાર વર્તનાર (પછી ભલેને તે ગણિકાનો ધંધો હોય તો પણ)ને સ્વર્ગપ્રાપ્તિ થાય છે એવી માન્યતા હતી. સતીત્વના માર્ગે જવા ઈચ્છતી ગણિકા માટે સન્માર્ગ કષ્ટસાધ્ય હતો, કારણ કે તે તેની માતા અને માતામહીની ઈચ્છાનું ઉલ્લંઘન કરી શકતી નહિ. છતાં પણ તેમનામાંથી કવચિત કોઈ રાગમંજરી જેવી વસંતસેનાને ઉદ્દભવ થતો. તેમને અનેકાનેક વિદ્યાઓમાં અને કળાઓમાં નિપુણતા મેળવવી પડતી. તેમનાં શારીરિક સૌંદર્ય અને પુષ્ટિ પ્રત્યે ખાસ ધ્યાન અપાતું, અને કામશાસ્ત્ર, જુદા જુદા પ્રકારની રમતો અને ધૃતકળામાં તેમને પ્રવીણતા પ્રાપ્ત કરવી પડતી. જાહેર જલસાઓમાં અને ઉત્સવમાં તેમને સંભાળથી શણગારી લોકોની દ્રષ્ટિએ પાડવામાં આવતી, તેમ જ પંચવરોષ (town-hall)માં તેઓ સંગીત અને નૃત્યના જલસા કરતી. ચાકુડા, ભાંડે અને આર્જઓની મારફત લોકોમાં તેમના સૌંદર્યનું પ્રકાશન કરાવવામાં આવતું. વેશવાટ અથવા વેશ્યાવાડ નગરમાં અલગ રાખવામાં આવતો. વાણિજ્યની ઉત્તમ સ્થિતિ. વાણિજ્ય ઉત્તમ સ્થિતિમાં હતું. વણજારાઓની ટોળીઓ માલની પોઠો સાથે વનમામાં અને શહેરોમાં પ્રવાસ કરતી. વહેપારીઓ પોતાનાં મહાજનો સ્થાપતા અને તેઓ વ્યાપારીઓના રક્ષણનો પ્રબંધ કરતા. વ્યાપારાર્થે સમુદ્રગમન કરવામાં આવતું. પોદ્ધવ પ્રધાનને પુત્ર રદ્ધવ વ્યાપારાર્થ કાળયવન દ્વીપમાં (જંગબારમાં) જાય છે અને ત્યાં રહે છે. તે કાળમાં નૌકાઓનો ઉપયોગ ઠીક પ્રમાણમાં થતો. આંધ્રપતિ જયસિંહ કલિંગ રાજાની સાથે લડવા નૌકા દ્વારા સૈન્ય લાવી તેના પર હુમલો કરે છે. નૌકાયુદ્ધમાં પણ તેઓ પાવરધા હતા, અને મદુ (યુદ્ધનૌકા-battle-ship)નો ઉપયોગ કરતા. તે મદુ, “૩નરિવૃતઃ' અર્થાત અનેક નૌકાઓથી વીંટાએલી રહેતી, તે ખાસ ધ્યાનમાં લેવા જેવું છે. સૌરાષ્ટ્રમાં વલભીના અતિધનવાન નાવિકપતિ ગૃહગુણની વાર્તા પરથી વલભી નૌકાનું મોટું ધામ હોવું જોઈએ એમ લાગે છે. યવનોનાં વહાણે અરબસ્તાનના કિનારા પરથી સમુદ્રયાત્રાએ આવતાં. અર્થપ્રાપ્તિનાં સાધન તરીકે કૃષિકાર્ય, પશુપાલન, વાણિજ્ય, સંધિ અને વિગ્રહ મુખ્ય ગણાતાં. ન્યાયાધીશ અને ગુનેગારો. ન્યાયાધીશ ન્યાય આપવાનું કાર્ય કરતા અને ચોકિયાતો રાતદિવસ નગરપર્યટન કરી નગરરક્ષણનું અને અપરાધીઓને પકડવાનું કાર્ય કરતા. ગુનેગારોને દરોગાઓના કબજામાં સોંપવામાં આવતા, અને તે ગુનેગારોના શરીરપર ગુના કબૂલ કરાવવા જાતજાતની (અઢાર પ્રકારની) યાતનાઓ ગુજારતા. તેમને ચિત્રવધ અર્થાત હાથીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy