SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ કાં ? ] महाकवि दण्डीना समयनो हिंदुसमाज [ ११५ સમયે જુદા જુદા કુમારોને આ વિદ્યાઓ તેમની સમર્થસિદ્ધિમાં ઉપયોગી બની બહુ ઉપકારક નીવડે છે. મામાફઈનાં બાળકોનાં લગ્ન થતાં, રાજકુળમાં મામા ફોઈનાં પુત્રપુત્રીઓનાં લગ્ન સામાન્ય હતાં એમ જણાય છે. દર્યસારની પુત્રી અવંતિસુંદરીને તેનો ભાણેજ ચડવર્મા પરણવા ઈચ્છે છે, જો કે તે લગ્ન પાર પડતું નથી. રાજ્ઞી કાંતિમતી વૃતમાં પોતાના ભાઈ ચડઘોષની પુત્રી મણિકર્ણિકાને પિતાના પુત્ર અપાળ માટે જીતે છે, અને આખરે તેમનું લગ્ન થાય છે. વળી, કુમાર વિકૃત અને વિદર્ભની રાણી વસુંધરાનાં ચાનુક્રમે બાપના અને માતાના માતામહ એક થાય એટલે તે મામાઈનાં થયાં. વસુંધરાની પુત્રી મનુવાદિનીને વિશ્રુત પરણે છે, સ્ત્રીઓ લલિત કળાઓ શીખતી. સ્ત્રીઓ લલિત કળાઓમાં પ્રવીણતા મેળવતી, અને રાજકન્યાઓ ચિત્ર, સંગીત, નૃત્ય આદિ કળાઓમાં નિપુણ્ય દાખવતી. આ ચિત્રકળાનું પ્રાવીણ્ય રાજકન્યાઓને અને રાજકુમારોને બહુ ઉપકારક નીવડતું, કેમ કે તેના થકી તેઓ પોતાના સુહૃદ અને દાસદાસીઓને અજ્ઞાત છતાં જેમની સાથે પોતાનો પ્રેમ જોડેલો છે એવા કામુકનો પરિચય કરાવી શકતાં. કન્યાઓ સામાન્ય રમત તરીકે અગર તે દેવ-દેવીની તુષ્ટિ અર્થે નૃત્ય કરતી, જેમ કે કંદુકાવતીનું સમાપીડાદેવી સમક્ષ નૃત્ય, અને કાન્તિમતીનું શિવની આરાધના અર્થે પ્રમદાવનમાં કરેલું નૃત્ય. કંદુકાવતી કંદુક નૃત્ય કરતાં અસાધારણ કૌશલ્ય દર્શાવે છે અને ગીત માર્ગનો ઠેકો મારે છે, એટલે કે પડતા દડાને ઝીલવાને દસ પગલાં ઠેકીને આગળ આવે છે, અને દડાની ગતિ અનુસાર આગળ પાછળ કૂદકા મારી (ચૂર્ણપદથી) એની ગતિ સમજવામાં નિપુણતા દર્શાવે છે. વળી, પરિત્યક્તા રસવતી પોતાના રાષ્ટ્રપતિ બલભદ્રને લલચાવવા પોતાની સખી કનકાવતીના વેશમાં દડાની રમત રમે છે. સામાન્ય રીતે રાજકુટુંબની સ્ત્રીઓને લોકોની દૃષ્ટિએ પડવાની મનાઈ હોય એમ લાગે છે, કેમ કે કંકોત્સવ સમયે રાજકન્યા કંદુકાવતીને દર્શનનો નિષેધ કરવામાં આવ્યો નથી એમ તેની સખી જણાવે છે, એટલે તેઓ બનતા સુધી લોકોની દ્રષ્ટિએ નહિ પડતી હોય એમ પ્રતીત થાય છે. વળી, સ્ત્રીઓ સામાન્યતઃ પુરુષોની સાથે ફરે એ પણ ઠીક નહિ ગણાતું હોય, કેમ કે પોતાના પુત્રસમ કુમાર પ્રમતિને સાથે લઈ શ્રાવસ્તીમાં યંબક મહાદેવના ઉત્સવ સમારંભમાં જવામાં, “હું કેવી રીતે આ યુવાનની સાથે મેળામાં જઈશ”, એ શબ્દોથી તારાવલી લોકાપવાદનું સૂચન કરે છે. સ્ત્રીઓ સતીત્વનું મૂલ્ય બહુ ઊંચું આંકતી, અને પતિની અવકૃપામાં રહેવું એ તેમને મન જીવતાં મોત સમાન લેખાતું. પતિવિયોગ અનુભવતી સ્ત્રી કેશની એક જ વેણી રાખતી અને નીલવર્ગનાં વસ્ત્ર અને કંચુકી પહેરતી. પતિવ્રતા સ્ત્રી પતિને દેવતુલ્ય કિંવા પિતાનું દૈવત ગણતી, અને પિતાની સપતી પ્રત્યે સમભાવ દર્શાવતી. સતીત્વની પરીક્ષા માટે ચમત્કારિક પારખાં (દિવ્ય)નો આશ્રય લેવાતો. વસુમતી રાણું રાજહંસના કપેલા મરણ પાછળ સતી થવાનો વિચાર કરે છે, તથા કાંતિમતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy