SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ છૂક ] મારતીય વિદ્યા [ વર્ષ રૂ ફેરવે છે, અને અમિલિત લોચન સાથે ક્ષણવાર ઊભો રહે છે. પછી તે પુષ્કળ અને તીત્ર વિષ વમન કરતા, ફણાથી અલંકૃત થએલા તથા સર્વે દિશાઓમાં રત્નોથી પ્રકાશ ફેલાવતા સોં દેખાડે છે. વળી, અભિનયદ્વારા દૈત્યપતિ હિરણ્યકશિપુનો નાશ થતો તાવવામાં આવે છે. છેવટે તે રાજકુમાર રાજવાહનનો કુમારી અતિસુંદરી સાથે સાચો પણ રાજાને મન કૃત્રિમ હસ્તમેળાપ કરી અતાવે છે. વિશેષમાં, આવી મહેફિલોમાં ગવૈયાઓ અને ચારણોના જલસા થતા અને નર્તિકાઓનાં નૃત્યો કરાવવામાં આવતાં. રાજકુમારોને સર્વ શાસ્ત્રો અને કળાઓ શીખવી પડતી. ભવિષ્યમાં રાજા થવા નિર્માણ થએલા રાજકુમારોને વિવિધ પ્રકારની વિદ્યાઓ શીખી તેમાં પ્રવીણતા મેળવવી પડતી, અને તે શીખ્યા પછી દિગ્વિજય અર્થે પ્રયાણ કરવું પડતું. વળી, તેમને જન્મસંસ્કાર, તથા ચૌલ, ઉપનયન આદિ સંસ્કારો યથાકાળે યથાવિધિ આપવામાં આવતા, તેમ જ તેઓ સંધ્યા, આચમન, સૂર્યપૂજા, દેવાચન વગેરે નિત્ય કર્મો કરતા. તેઓ મોટે ભાગે ગાંધર્વ વિધિથી અને વૈદિક વિધિથી પરણતા, જો કે અનુલોમ અને પ્રતિલોમ લગ્નોનો વ્યવહાર ચાલુ હોય એમ જણાય છે. તેઓ સઘળી લિપિઓનું જ્ઞાન, જુદા જુદા દેશોની ભાષાઓમાં પાંડિત્ય, ષડંગ સહિત વેદોનું અધ્યયન, કાવ્યો, નાટકો, ઇતિહાસો, આખ્યાયિકાઓ, વાર્તાઓ, રમ્ય કથાઓ અને પુરાણોમાં નિપુણતા, ધર્મશાસ્ત્ર, વ્યાકરણ, જ્યોતિષશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, મીમાંસા અને રાજ્યનીતિમાં કૌશલ્ય, વીણાદિ વાદ્યોમાં દક્ષતા, સંગીત, સાહિત્ય અને ચિત્રકળામાં નૈપુણ્ય; મણિમંત્ર, ઔષધિ અને કપટપ્રબંધમાં પ્રવીણતા, હાથી વગેરે વાહનોની સવારીમાં ચપળતા, અને વિવિધ પ્રકારના શસ્ત્રોના ઉપયોગમાં દક્ષતા સંપાદન કરતા. વળી, ચૌર્ય, દ્યૂત વગેરે કપટકળાઓ પણ તેમને શીખવી પડતી. આ સઘળી વિદ્યાઓનું જ્ઞાન કુમારોને બહુ ઉપયોગી નીવડતું. દા. ત. વિપ્ર પાંચાલશમાં કુમાર પ્રતિને ધર્મવર્ધન રાજા પાસે ન્યાસ તરીકે મૂકેલી કહેવાતી કન્યાના વર, એક બ્રાહ્મણકુમાર તરીકે રાજા પાસે રજી કરે છે ત્યારે તેણે આ સઘળી વિદ્યાઓમાં પ્રવીણતા મેળવેલી હોવાનું જણાવે છે, જે હકીકત વાસ્તવિક હોવા વિના તે જણાવી શકત નહિ. વળી, માર મંત્રગુપ્ત તિના વેશમાં આંધ્રદેશની રાજધાનીમાં કનકલેખાને આન્ધ્રપતિ જયસિંહ પાસેથી છોડાવવા જાય છે ત્યારે પોતાનામાં આસ્થા ઉપાવવાને પોતે આ બધી વિદ્યાઓમાં નિષ્ણાત હોવાની વાત યથાર્થ રીતે નગરમાં બધે પ્રગટ કરાવે છે. ચૌર્ય, દ્યૂત વગેરે કપટકળાઓનો કેટલેક સ્થળે નિષેધ થએલો હોવા છતાં આ કુમારોને તેનું જ્ઞાન અપાએલું હોવાથી તેમને તે કળાઓનો ઉપયોગ કે દુરુપયોગ કરતા આપણે સ્થળે સ્થળે જોઈ એ છીએ. કુમાર અપહારવાં ચંપા નગરીમાં રાગમંજરીને અને અંબાલિકાને મેળવવા માટે તથા પોતાના મિત્ર ધનમત્રને મદદ કરવા માટે ચોરીનો, દ્યૂતનો તથા અન્ય કપટ કળાઓનો ઉપયોગ કરે છે, અને તે પોતાને એક અ ંગ ચોર અને ધૃતકાર તરીકે પૂરવાર કરે છે. કુમાર અપહારવાં પણ કલ્પસુંદરીની પ્રાપ્તિ અર્થે અનેક કપટકળાઓ અજમાવે છે અને રાજમહેલના અંતઃપુરમાં પ્રવેશ કરે છે. આમ જુદા જુદા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy