SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્ર ૬ ] महाकवि दण्डीना समयनो हिंदुसमाज [ ११९ કૂતરાં છોડી મૂકાવતો. આમ પૈસા ન આપનાર પર અનેક પ્રકારની યાતનાઓ ગુજારવામાં આવતી. ‘દશકુમારચરિત’માં પાસા ફેંકવાની તથા ચલાવવાની ઉસ્તાદી વગેરે દ્યૂતની સાથે સંબંધ ધરાવતી પચીસ કળાઓ હોવાનું જણાવ્યું છે. તેનાથી થતા લાભમાં દ્રવ્યના ત્યાગમાં રહેલી ચિત્તની ઉદારતા, જયપરાજયની અસ્થિરતાને લીધે હર્ષશોકનો અભાવ, પૌરુષના એક જ કારણરૂપ કોઈથી ન દબાવાના ગુણની વૃદ્ધિ, પાસા ચલાવવાના ગૂઢ દાવપેચના નિરીક્ષણને લીધે અતિશય બુદ્ધિચાતુર્ય, એક વિષયમાં પરોવેલા મનની આશ્ચર્યકારક એકાગ્રતા, ઉદ્યમસાતત્યના ગુણની અનુષંગી સાહસકર્મો પ્રત્યે અભિરુચિ, કર્કશ લોકો સાથે ખાકરી માંધવાને લીધે પરાજય નહિ પામવાનો ગુણ, સ્વમાન વિષે દૃઢ નિશ્ચય, અને પ્રતિષ્ઠા સાથે જીવનયાત્રા, એટલા ગુણો ગણાવવામાં આવ્યા છે. પ્રેમકથાઓ અને પ્રેમકાર્યમાં કપટકળા. પ્રેમકાર્યમાં કપટપ્રબંધનો સ્થળે સ્થળે છૂટથી ઉપયોગ થતો. કન્યાઓના અંતઃપુરમાં યુવાનોને પ્રવેશ કરાવવામાં આવતો, તથા કુમારી કન્યાઓ સાથે તેમનો સમાગમ થતો. વળી, એવી રીતે સમાગમ થએલી સ્ત્રીને પ્રસૂતિ થતી, અને પ્રસૂત ખાળકને જીવાડવામાં આવતું. કાંતિમતીની બાબતમાં આવી ઘટના બની હતી, તેમાંથી તેની ભત્રીજી મણિકર્ણિકાને બચાવવા કાંતિમતીનો ભાઈ ચંડઘોષ પોતાની પુત્રીને વર્ષો સુધી ભૂગર્ભના પ્રાસાદમાં પૂરી રાખે છે. આ દાખલા પરથી તેમ જ પાંચાલશમાં બ્રાહ્મણ પોતાની વેષધારી કન્યાનું શીલ સાચવવા રાજા ધર્મવર્ધન પાસે તેને ન્યાસ તરીકે મૂકી જાય છે તે પરથી અમુક સંજોગોમાં કન્યાઓનું શીલ સાચવવા કેવા માર્ગ લેવાતા એ માલૂમ પડે છે. કુમાર ઉપહારવમાં પોતાની અર્થસિદ્ધિ અર્થે પોતાના કાકાના દીકરા વિકટવર્માની પત્ની પ્રિયંવદા સાથે સંગમન કરવા પ્રવૃત્ત થાય છે. એનો અંતરાત્મા એ દુષ્કૃત્ય સામે વાંધો ઉઠાવે છે એટલે તે કાર્ય સહેતુ અર્થે તેને કરવું પડે છે અને ગત જન્મમાં તે સ્ત્રી પોતાની પત્ની હતી અને અમુક શાપને અંગે આમ બનવું નિર્માણ થએલું છે એવા સયુક્તિક અચાવથી તે પોતાના મનનું સમાધાન કરે છે. આખા પુસ્તકમાં પ્રેમકથાઓનાં અનેક વર્ણનો છે, અને પ્રેમકાર્યોમાં ‘માલતીમાધવ’ની કામંદકીની જેમ બુદ્ધ ભિક્ષુકીઓ અને જૈન સાધ્વીઓનો દૂતી તરીકે ઉપયોગ થતો જોવામાં આવે છે. કેટલીક માન્યતાઓ. કાનૈતિકો કિંવા જ્યોતિષિઓ પ્રત્યે લોકો સારી શ્રદ્ધા ધરાવતા. તેઓ સામુદ્રિક ચિહ્નો જોઈ ને મનુષ્યનું ભાગ્યકથન કરતા. અનારોગ્યાદિ અનિષ્ટો દુષ્ટ ગ્રહની અસરથી અથવા પાછલા જન્મનાં કૃત્યનાં ફળરૂપે ઉત્પન્ન થએલાં મનાતાં. લોકોની પુનર્જન્મ વિષે દૃઢ માન્યતા હતી, અને તદનુસાર મનુષ્યોને પાપનાં અને પુણ્યનાં ફળ ખીજા જન્મમાં ભોગવવા પડતાં. પાપની શિક્ષા તરીકે પાપીઓને જમપુરીમાં નરકયાતનાઓ સહન કરવી પડતી. યમરાજા પોતાના અમાત્ય ચિત્રગુપ્તદ્વારા સૌ સૌના પાપ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy