SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ महाकवि दण्डीना समयनो हिंदुसमाज * लेखक - श्रीयुत चंद्रमणिशंकर जेठालाल पंडित, સંસ્કૃત ગ્રંથોની ઉપયોગિતા. ‘દુશકુમારચરિત’કવિ દણ્ડીનું સંસ્કૃત ભાષામાં રચેલું દશકુમારોના ચરિત્રનું રોમાંચક ગદ્યકાવ્ય છે. કર્તાએ તેમાં જે વિવિધ પ્રકારનાં વર્ણનો આપ્યાં છે તેનાથી તેના સમયની સામાજિક સ્થિતિ અને હિંદુ સંસ્કૃતિપર સારો પ્રકાશ પડે છે. આપણા પ્રાચીન હિંદુ ગ્રંથોની એ ખાસ વિશિષ્ટતા છે કે તેઓ સમાજ અને સંસ્કૃતિનો સાચો અને સારો ઇતિહાસ પૂરો પાડે છે. આપણા સંસ્કૃત સાહિત્યના વિદ્વાન અભ્યાસી અને પ્રખર ચિંતક સ્વ. રમેશચંદ્ર દત્ત એમના “Civilization in Ancient Tndia' નામના ગ્રંથમાં આ વસ્તુ અહુ સારી રીતે સમજાવે છે. તેઓ કહે છે કે પ્રાચીન ઇજીપ્ત, આસિરિયા, માખીલોન, ચીન આદિ પ્રજાના ચિત્રલિપિ અને સાંકેતિક ચિત્રોના લેખો તે તે પ્રજાઓના રાજાઓ, રાજવંશો, યુદ્ધો, વગેરેની ઐતિહાસિક બીનાઓ આપે છે પણ માનવ પ્રતિ અને સંસ્કૃતિ વિષે તે મૌન સેવે છે, જ્યારે આપણા પ્રાચીન હિંદુ ગ્રંથો ઐતિહાસિક વસ્તુ અને તેનાં વર્ણનોથી વિમુખ હોવા છતાં હિંદુ સંસ્કૃતિની પ્રગતિ અને મનુષ્યની વિચારસરણીની વૃદ્ધિ વિષે સંપૂર્ણ, સંયુક્ત અને સત્ય હેવાલ રજુ કરે છે. વાસ્તવિક રીતે કહીએ તો સંસ્કૃત ગ્રંથો જે જે કાળમાં તે લખાએલા હોય છે તે તે કાળની સામાજિક સ્થિતિની આરસીનું કામ કરે છે. “The literature of each period is a perfect picture - a photograph if we may call itof the Hindu civilization of that period......'' પ્રત્યેક કાળનું સાહિત્ય તે કાળની હિંદુ સંસ્કૃતિનું સંપૂર્ણ ચિત્ર-બલ્કે તેનો ફોટોગ્રાફ છે... ’એ એમનું કથન સંસ્કૃત ગ્રંથોની સત્ય સ્થિતિ રજુ કરતું હોઈ આ પુસ્તકને પણ લાગુ પડે છે, તેથી તે દૃષ્ટિએ જોતાં આ પુસ્તક ઉપયોગી અને રસપ્રદ હોઈ એમાંથી આપણને ઘણું જાણવાનું મળે છે. . વૈદિકધર્મનું સ્થાન પૌરાણિક ધર્મ લીધું હતું. કવિ દીના કાળમાં, એટલે ઇસવી સન છઠ્ઠા અને સાતમા સૈકાના આરંભમાં, કે જે ફાળને અત્યાર સુધીના ઉપલબ્ધ પ્રમાણાનુસાર એના કાળ તરીકે નક્કી કરવામાં આવ્યો છે તે સમયે અને તે પહેલાં, હિંદુ ધર્મપર ઔદ્ધ ધર્મની અસર પૂરેપૂરી થઈ ચૂકી હતી. ઔદ્ધ ધર્મની ત્રિપુટી-યુદ્ધ, ધર્મ અને સંઘ-નું સ્થાન હિંદુ ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રે લીધું હતું. ઔદ્ધ ધર્મના પહેલાના કાળમાં જે વૈદિક ધર્મ પ્રચલિત હતો તેને સ્થાને પૌરાણિક ધર્મ સ્થપાઈ ચૂક્યો હતો. બૌદ્ધ ધર્મની અસર તરીકે મૂર્તિપૂજા, દેવમંદિરો અને યાત્રાનાં સ્થળો અસ્તિત્વમાં આવ્યાં હતાં. વળી, દડી પહેલાના એટલે ચંદ્રગુપ્તના અને અશોકના કાળમાં, તથા ત્યાર પછીના એટલે કદાચ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy