SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ 2] महाकवि दण्डीना समयनो हिंदुसमाज [१०९ લગભગ એના સમકાલીન શ્રીહર્ષના કાળમાં જે આદર્શરૂપ સમાજનાં વર્ણનો પરદેશી પ્રવાસીઓએ કરેલાં છે તેનું તે સમયે કેટલેક અંશે નિતિક અધઃપતન થઈ ગયું જણાય છે. દેશની સમૃદ્ધિ કેટલી વિપુલ હતી તેનું ગ્રંથના આરંભમાં પુષ્યપુરી નગરીનું વર્ણન સારું દ્રષ્ટાંત આપે છે. વળી, રાજાઓની અને શ્રેષ્ઠીજનોની સમૃદ્ધિનાં વર્ણનો પણ સ્થળે સ્થળે આવે છે, તેમ જ નગરોમાં ધનારા લોકો મોટી સંખ્યામાં વસતા હોવાને નિર્દેશ કરવામાં આવેલો છે. સામાન્ય જનસમાજ એકંદરે સુખી અને પ્રવૃત્તિમય જણાય છે અને તે ચાતુર્વર્યમાં વિભક્ત થયેલો છે. આદિવાસી તરીકે કિરાત, શબર, ભિલ, પુલિંદ વગેરે જાતિઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. હિંદ અનેક સબળ રાજ્યોમાં વિભક્ત થયેલો છે અને તેમાં મગધરાજ રાજહંસ પ્રભાવશાળી અને બળવાન હોઈ એના રાજકુમાર - આ વાર્તાના નાયક-રાજવાહનને દિગ્વિજય કરવા મોકલી સાર્વભૌમપદ પ્રાપ્ત કરવા તેના દ્વારા બીજાઓ સાથે યુદ્ધ કરે છે, અને તે રાજકુમાર અનેક મિત્ર રાજકુમારીની સહાયથી સાહસકમ કરીને તે રાજાઓ પર વિજય મેળવે છે. સાર્વભૌમત્વ પ્રાપ્ત થયા પછી રાજહંસ વાનપ્રસ્થાશ્રમ સ્વીકારી અરણ્યવાસ કરે છે અને તેના કુમાર રાજવાહનને રાજગાદી સુપરત થયાથી તે ચક્રવર્તી રાજા થાય છે. રાજકુમાર રાજવાહન અને તેના સહાયક કુમારોનાં સાહસોનું “દશકુમારચરિતમાં વર્ણન છે. કવિ દાક્ષિણાય હતો, “દશકમારચરિતમાં શાસનકર્તા અને સામાન્ય જનનું ચિત્ર ઠીક દોરવામાં આવ્યું છે, અને તે પ્રમાણસર અને યથાયોગ્ય છે. “દશકુમાર'ને લેખક કવિ દાક્ષિણાત્ય હતો એમ જણાય છે. આ ગ્રંથમાં એણે કૂકડાઓની લડાઈનું જે રમુજી અને આબેહુબ વર્ણન આપ્યું છે તે એ વાતનું સમર્થન કરે છે. તદુપરાંત કવેરી તીર્થપ્રદેશનાં સ્થળો, કલિગ અને આંધ્ર દેશનો નિર્દેશ તથા ગેમિનીની વાર્તામાં ગૃહવધૂની કરકસરનું જે. ઉત્તમ વર્ણન કવિ આપે છે તે પૂરેપૂરું હાલના સમય સુધી દક્ષિણ હિંદને લાગુ પડતું હોઈ કવિ તે પ્રદેશને રહેવાશી હતો એ માન્યતાને પુષ્ટિ આપે છે. પછીથી કવિએ ઉત્તરના પ્રદેશોમાં ભ્રમણ કરી ત્યાં કોઈ સ્થળે વાસ કર્યો હોય એ બનવા જોગ છે. કૌટિલ્યના “અર્થશાસ્ત્રનો અને વાસ્યાયનના કામસૂત્ર'નો કવિએ ઉત્તમ અભ્યાસ કરેલો જણાય છે. હિંદુધર્મ પર બૌદ્ધધર્મની અસર. આપણે અગાઉ જણાવી ગયા તે પ્રમાણે બૌદ્ધ ધર્મની અસરથી મૂર્તિપૂજા પ્રચલિત થઈ ચૂકી હતી. બ્રહ્મા, વિષ્ણુ અને શિવે ઇષ્ટ દેવતાઓનું સ્થાન લીધું હતું અને તેમની મૂર્તિઓનું પૂજન થતું હતું. ઉજજયિનીના મહાકાળેશ્વર અને વિંધ્યવાસિની દેવીનો મહિમા મોટો ગણાતો હતો. દેવદેવીઓ ભક્તોને સ્વમમાં દર્શન દઈ ઈષ્ટફલપ્રાપ્તિનો માર્ગ બતાવતા હતા; અને ઈષ્ટપ્રાપ્તિને અર્થે તેમની તુષ્ટિ કરવામાં આવતી હતી. નરનારાયણના અચેનથી મગધરાજ રાજહંસને પુત્ર પ્રાપ્તિ થાય છે અને માલવપતિ માનસાર રાજહંસપર વિજય મેળવવા તપથી મહાદેવજીને પ્રસન્ન કરી શત્રમર્દનને વર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy