SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ १०६ ] भारतीय विद्या [ વર્ષ રૂ બતાવી આપશે કે, “આપણા પ્રાન્તનું ‘ગુજરાત’ એ નામ મુસ્લીમ રાજ્યકાળ પહેલાં સર્વસામાન્ય પ્રચારમાં નહોતું, અને એ નામનો પહેલો વિશ્વાસપાત્ર પ્રયોગ આપણા સાહિત્યમાં ‘કાન્હડદે પ્રબન્ધ'માંથી મળે છે '' – એ મત હવે સાધાર ગણી શકાય એમ નથી. વિક્રમના અગીઆરમા સૈકાનો લેખક અલ બિરુની ‘ગુજરાતનો ઉલ્લેખ કરે છે, એટલું જ નહીં પણ લાટદેશ અણહિલવાડની દક્ષિણે ૧૭૦ માઈલ દૂર આવેલો છે, એમ જણાવે છે; વિક્રમના તેરમા સૈકામાં રચાયેલા ‘આબુરાસ’માં તથા સં. ૧૨૮૦ પૂર્વેના રાણકદેવીના લોકદૂહામાં પણ ‘ગુજરાત'નો પ્રયોગ છે; વિક્રમના ચૌદમા સૈકાના પૂર્વાર્ધમાં રચાયેલ ‘પ્રભાવકચરિત’માં ઉદ્ધૃત થયેલા અપભ્રંશ દૂહામાં પણ ‘ ગુજરાત ’નો પ્રયોગ છે તથા એ જ સમયનો ઇટાલિયન મુસાફર માર્કો પોલો પોતાના પ્રવાસવર્ણનમાં ‘ગુજરાત’ની નોંધ લે છે. આ ચારે ઉલ્લેખો મુસ્લીમ રાજ્યકાળ પૂર્વેના છે; ‘સમરા રાસ' તથા ‘જિનકુશલસૂરિ – પટ્ટાભિષેક રાસ'માં મળેલા ‘ગુજરાત’ના ઉલ્લેખો મુસ્લીમ રાજ્યકાળ પછી તુરતના જ છે. અલ બિરુની અને માર્કો પોલો જેવા પરદેશીઓએ તો તે કાળની જીવતી ભાષામાંનો પ્રચલિત પ્રયોગ જ સાંભળીને નોંધ્યો હોવો જોઈ એ. પરદેશીઓની નોંધમાં તેમ જ તત્કાલીન દેશભાષાના શિષ્ટસાહિત્ય તેમ જ લોકસાહિત્યમાં પણ ‘ગુજરાત’ શબ્દનો પ્રયોગ છે. એમાં સૌથી પહેલો અલ બિરુનીનો ઉલ્લેખ ધ્યાનમાં લેતાં, આપણા પ્રાન્ત માટે – ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાત માટે ‘ગુજરાત’ એ નામ વિક્રમના અગીઆરમા શતકમાં મૂળરાજ સોલંકીના રાજ્યકાળ દરમ્યાન પ્રચારમાં આવ્યું હોવું જોઈએ. સંસ્કૃત – પ્રાકૃત ' ૧ , ૧૯ અહીં એક આનુષંગિક પ્રશ્ન ઊભો થાય છે – આ પ્રાન્તની ભાષાને ‘ગુજરાતી ’ નામ કયારે મળ્યું ? ઈસવી સનની અઢારમી સદીની અધવચમાં આપણી ભાષાને આ નામ મળ્યું એમ શ્રી. નરસિંહરાવ માને છે. અલબત, તેમણે બતાવ્યું છે તે પ્રમાણે, વિક્રમના અઢારમા સૈકાના ઉત્તરાર્ધમાં લખાયેલા પ્રેમાનંદના ‘નાગદમણ માં અને ઈ. સ. ૧૭૩૧ ( સં. ૧૭૮૭)માં લા કોઅે નામે જર્મનની નોંધપોથીમાં આપણી ભાષા માટે ગુજરાતી નામ પહેલી વાર વપરાયેલું મળે છે. પણ અગીઆરમા–બારમા સૈકામાં આ પ્રાન્તને માટે ગુજરાત' નામ પ્રચારમાં આવ્યા પછી ભાષાને ‘ગુજરાતી’નામ મળતાં બીજા પાંચ-છ સૈકા વીતી નય એ શું શકય અને સ્વાભાવિક છે? પ્રેમાનંદ પૂર્વેના સાહિત્યમાંથી આપણી ભાષા માટે ‘અપભ્રષ્ટ ગિરા’(નરસિંહ મહેતો ), ‘ પ્રાકૃત ' ( પદ્મનાભ અને અખો ), ‘અપબ્રેરા ’ અને ‘ ગૂર્જર ભાષા” ( ભાલણ ) એવાં નામ અત્યાર સુધીમાં મળ્યાં છે, પણ તેથી શું પૂરવાર થઈ શકે કે જનસમાજમાં એ વખતે ‘ગુજરાતી' નામ નહીં જ બોલાતું હોય ? - તવારિખે ફરિશ્તા’( ઈ સ. ૧૬૧૦=સં. ૧૬૬૬) અને ‘મિરાતે સિકંદરી’(ઈ. સ. ૧૬૧૧=સ. ૧૬૬૭) એ મુસ્લીમ તવારિષ્ઠોના લેખકો અમદાવાદના સુલ્તાનોને અહમદશાહ ગુજરાતી ' · મહમ્મદશાહ ગુજરાતી' એવાં નામથી ઓળખાવે છે. બીજી રીતે પણ ‘મિરાતે સિકંદરી'નો લેખક ગુજરાતવાસી લોકોને ‘ગુજરાતી’ નામ આપે છે. સૂરજ સોરઠીબાં માસ ફાટ્યાં નાન અપાર (૧-૧૭૯) એ ‘કાન્હડદે પ્રબન્ધ ? ( ૨. સં. ૧૫૧૨ )ના ઉલ્લેખમાં વૃનતનો અર્થે ‘ગુજરાતી ’–ગુજરાતના વતની એવો છે, એ સ્પષ્ટ છે. મધુસ્કન વ્યારાકૃત ‘હંસાવતી વિક્રમાØિ વિવાહ ’(૨. સં. ૧૬૦૬ )ના ત્રંત્રસેન યુરાતિ રાય ( કંડી ૬૦૬ ) એ ઉલ્લેખમાં પણ યુઝરાતનો પ્રયોગ વિશેષણ તરીકે થયો હોય એ અશક્ય નથી. વળી પુષ્ઠિમાર્ગીય કવિ માહવદાસકૃત ગોકુલનાથજીનો વિવાહ” (૨. સં. ૧૬૨૪) એ કાવ્યમાં ગુજરાતી સાય’, હાઢો વલો ગુજરાતિનો’, ‘ગુજરાતિય લોક' એવા પ્રયોગ મળે છે (તુઓ ફાર્બસ સભાનાં હસ્તલિખિત પુસ્તકોની નામાવલિ, ભાગ ૨, પૃ. ૨૫૯). મુનિ શ્રીવિજયજી પાસે કૃષ્ણજીવનને લગતા કોઈ જૈન રાસાની એક તૂટક હાથપ્રતનાં માત્ર ૮ થી ૧૧ સુધીનાં ચાર પાનાં છે. આદિ-અંત મળતાં નથી એટલે < Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy