SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ અંશ ૨ ] प्राचीन गुजराती साहित्यमां 'गुजरात' ना उल्लेख [ १०५ પ્રસિદ્ધ કવિ લાવણ્યસમયના ગુરુ સમયરલના ગુરુ હતા. પટ્ટાલિઓ ઉપરથી જણાય છે કે તેમનો જન્મ સં. ૧૪૭૪માં થયો હતો, તથા તેમને સૂરિપદ સં. ૧૫૦૮માં અને ગચ્છનાયકપદ સં. ૧૫૧૭માં મળ્યું હતું. ‘વિમલપ્રમન્ધ'ની પ્રશસ્તિમાં જણાવ્યા મુજબ, સં. ૧૫૨૧માં લક્ષ્મીસાગરસૂરિએ લાવણ્યસમયને દીક્ષા આપી હતી. તેમનું અવસાન સં. ૧૫૩૭માં થયાનું મનાય છે, પણ એ સાલ શંકાસ્પદ છે. ગમે તેમ, પણ ‘ વસ્તુપાલ – તેજ પાલરાસ ’ એ તેમને સૂરિપદ મળ્યા પછીની એટલે કે સં. ૧૫૦૮ પછીની રચના છે એ ચોક્કસ. એ રાસ સં. ૧૫૧૨ પછી રચાયો હોય તો કાન્હડદે પ્રબન્ધથી આ તરફનો ગણાય. એની બીજી કડી નીચે પ્રમાણે છે ' वस्तुपाल तेजिग तणउ अम्हे बोलिस रासो । भरहषेत्र धुरि गूजरात अणहिलनिवासो ॥ ૧૨. દેપાલકૃત ‘જંબુસ્વામી પંચભવચરિત્ર' (સં. ૧૫૨૨) ભોજક કવિ દેપાલે સં. ૧પરરમાં ‘જંષુસ્વામી પંચભવચરિત્ર' લખ્યું છે. તેની ૧૩૫મી કડી નીચે પ્રમાણે છે गंगा जल ऊरेवी, गूजरात किम आंबा पीइ । जीव मरीन चिह्नगति भमइ, जे विस षाइ ते पुण मरइ ॥ ‘ત્રિભુવનદીપક’માંની આગળ ઉતારેલી પંક્તિઓ જ દેપાલે થોડાક પાઢાન્તર સાથે લીધી છે. અથવા કદાચ એમ પણ હોય કે આ પંક્તિઓ એક કહેવતના રૂપમાં પ્રચલિત અની ગઈ હોય, જેનો ઉપયોગ દેપાલે કર્યો હોય. જો એમ હોય તો તે ‘ગુજરાત’ શબ્દપ્રયોગની વ્યાપકતા સૂચવે છે. ઉપસંહાર ૧૮ આ પછીના સમયના સાહિત્યમાં ‘ગુજરાત'નો પ્રયોગ તપાસવાની જરૂર મને લાગતી નથી, કારણ કે વિક્રમના સોળમા શતકના પૂર્વાર્ધ સુધીનું સાહિત્ય પણ એ શબ્દપ્રયોગની વ્યાપકતા બતાવી આપે છે. બીજું, અહીં રજુ કરેલાં પ્રમાણો એ પણ ૧૭ મારા મિત્ર પ્. અમૃતલાલ મોહનલાલ ભોજક પાસેની સં. ૧૫૬૦માં લખાયેલી હાથપ્રતનો મેં ઉપયોગ કર્યો છે. કાવ્ય હુછ અપ્રસિદ્ધ છે. દેપાલ કવિ માટે જુઓ ‘જૈન ગૂર્જર કવિઓ' ભાગ ૧, પૃ. ૩૭-૪૨ ૧૮ ઉપર્યુક્ત વિ દેપાલની પછી થયેલા-અથવા સંભવતઃ એના સમકાલીન માંડણ અંધારા કૃત પ્રબોધબત્રીશીમાં– ‘નણેશિાં તુ યમ કહિ ચડી, ગૂજરાત શેરી સાંકડી’ (કી પર) એ પ્રમાણે ‘ગુજરાત’નો ઉલ્લેખ છે. ‘પ્રબોધબત્રીશી'ના કર્તાની એક પ્રતિજ્ઞા તત્કાલીન કહેવતોનો સંગ્રહ કરવાની છે; પ્રસ્તુત સ્થળે ‘ગૂજરાત શેરી સાંકડી’નો પ્રયોગ સ્પષ્ટ રૂપે કહેવત તરીકે જ થયો છે. જનસ માજના સર્વસામાન્ય ઉક્તિભંડોળમાં પ્રવેશ પામેલાં આવાં વાકયો સામાન્યતઃ ઘણાં જૂનાં હોય છે, અને તેમની પાછળ ઘણીયે વાર પ્રજાજીવનના કંઈ કંઈ રહસ્યો છુપાયેલાં હોય છે. પ્રસ્તુત ઉક્તિ ગુજરાતનાં જાના રાહેરોની રચના પરત્વે સુશ્લિષ્ટ સંક્ષેપમાં એક ઐતિહાસિક સત્ય રજુ કરે છે, એ ભાગ્યે જ કહેવું પડે તેમ છે. માંડણ વિક્રમના સોળમા સૈકામાં થઈ ગયો, એટલે તેણે પોતાના કાવ્યમાં વણી લીધેલો, તેના જ શબ્દોમાં કહીએ તો આ ‘ઉખાણો’ તેના સમય કરતાં સહેજે એ ત્રણ સૈકા જેટલો જૂનો હશે, એમ માનવામાં ઐતિહાસિક સત્યોની અવગણના નહીં થાય. રૂ.૧,૧૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy