SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ચં] કાન ગુજરાતી સાહિત્યમાં “ગુજરાતના જો [૨૨ સં. ૧૩૬૧માં “પ્રબન્ધચિન્તામણિ લખ્યો તેમાં રાણકદેવીના દૂહા મળે છે, પણ સૌ કોઈ સ્વીકારે છે કે એ દૂહાઓ લોકસાહિત્યમાં તે એ પૂર્વે પ્રચલિત હોવા જોઈએ. હવે એ જ દૂહા સં. ૧૨૯૦ની આ જિનભદ્રની કૃતિમાં ઉદ્ધત થયેલા મળે છે, એટલે ત્યારે પહેલાં લોકજીભે ચડ્યા હેવા જોઈએ. સિદ્ધરાજે સોરઠ ઉપર સં. ૧૧૭૦માં વિજય મેળવ્યો હતો, એ સિદ્ધ હકીકત છે, એટલે ત્યાર પછીનાં વર્ષોમાં લોકકવિઓએ આ દૂહાઓ જનતામાં વહેતા મૂક્યા હશે. એટલે શતાબ્દીઓ થયાં ગુજરાતે પોતાની મૃતિમાં જાળવી રાખેલા આ માર્મિક શોકકવિતાનો સમય વિક્રમના તેરમા સૈકાના આરંભમાં માનીએ તો જરાયે વધારે પડતું નથી. એ જોતાં, ઉપર ટકેલો “ગુજરાતનો ઉલ્લેખ પણ એ સમયનો ગણવો જોઈએ. આમ “ગુજરાત”નો આ પ્રયોગ સં. ૧૨૮ના આબુરાસની પૂર્વનો છે. સં. ૧૨૯૦માં રચાયેલા ગ્રન્થમાંથી તે મળે છે માટે જ તેને “આબુરાસ’ની પછી મૂક્યો છે. સાહિત્યમાં “ગુજરાતનો પ્રયોગ થવા લાગ્યો ત્યાર પહેલાં એ નામ લોસમાજમાં પ્રચલિત થઈ ચૂકેલું, તેનો આ પણ એક પૂરાવો છે. ૩ પ્રભાચન્દ્રસૂરિકૃત “પ્રભાવક ચરિત' (સં. ૧૩૩૪) ગુજરાતનો ત્રીજો મહત્ત્વનો ઉલ્લેખ પ્રભાચન્દ્રસૂરિકૃત “પ્રભાવચરિત'માં મળે છે. ગુજરાતના મધ્યકાલીન સાંસ્કૃતિક ઇતિહાસ માટે અતિ મહત્વનો આ ઐતિહાસિક સંસ્કૃત ચરિત્ર ગ્રન્થ સં. ૧૩૩૪માં એટલે કે સારંગદેવ વાઘેલાના રાજ્યકાળમાં રચાયેલ છે. એમાં બપ્પભદિસૂરિચરિત'માં કનોજનો આમ રાજા બપ્પભદિસૂરિના ચારિત્ર્યની પરીક્ષા કરવા માટે તેમના ઉપાશ્રયમાં એક ગણિકાને મોકલે છે. પરંતુ ગણિકાને આ કાર્યમાં નિષ્ફળતા સાંપડતાં તે રાજા પાસે આવીને નીચે પ્રમાણે એક અપભ્રંશ દૂ બોલે છે : गयवर केरइ सत्थरइ पाय पसारिउ सुत्त । निचोरि गुजरात जिम्व नाह न केणइ भुत्त ॥ અર્થાત ગજવર (બપ્પભદિસૂરિનું “ગજવર” એવું બિરુદ હતું)ના સાથરામાં પગ પસારીને સુતેલા તે નાથ નિચ્ચોરી (2) ગુજરાતની જેમ કોઈનાથી ભોગવાયા નહીં. આ ઉલ્લેખ સં. ૧૩૩૪નો એટલે કે ગુજરાતના સ્વતંત્ર હિન્દુ રાજ્યને અંત આવ્યો તે સમયથી ૨૬ વર્ષ પૂર્વેનો છે. વળી ‘પ્રભાવકચરિત”ના મંગલાચરણમાં જ તેના કર્તા પ્રભાચન્દ્રસૂરિ લખે છે કે “બહુશ્રત મુનિઓ પાસેથી સાંભળીને તેમ જ પ્રાચીન ગ્રન્થોમાંથી એકત્ર કરીને આ ઈતિવૃત્તો હું વર્ણવું છું.” અર્થાત સંસ્કૃત ગ્રન્થમાં ઉતારેલો આ અપભ્રંશ દૂહો સં. ૧૩૩૪ પૂર્વેનો જ છે એમાં શંકા રહેતી નથી. સંસ્કૃત કાવ્યો કે પ્રબન્ધમાં લોકોક્તિરૂપ અપભ્રંશ કે જૂના ગુજરાતી દૂહાઓ આપવાની એક જૂની પરંપરા જૈન સાહિત્યમાં છે. બપ્પભદ્રિસૂરિનો જીવનકાળ “પ્રભાવક્યરિતીમાં જણાવ્યા પ્રમાણે વિક્રમની નવમી શતાબ્દી છે. આ દૂહ પણ તેના મૂળ સ્વરૂપે એટલે પ્રાચીન હશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે, પણ “પ્રભાવક ચરિત'ના રચના સમયથી ઘણા કાળ અહીં પણ “ગુજરાતીસિંગમાં છે. આ વિષયની વધુ ચર્ચા માટે આગળ જુઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy