SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ १०० ] भारतीय विद्या [ વર્ષ ૨ પૂર્વે તે દૂહો લોકોમાં—ખાસ કરીને પ્રભાચન્દ્રસૂરિ જેમનો નિર્દેશ કરે છે તેવા · બહુશ્રુત મુનિઓ’માં પ્રચલિત થઈ ચૂક્યો હશે એમાં શંકા નથી. ૪. અંદેવસૂરિષ્કૃત ‘સમરાસ’ (સં. ૧૯૭૧) આ પછી, સં. ૧૩૭૧માં લખાયેલો અંખદેવસૂરિષ્કૃત ‘સમરરાસ' આવે છે. શ્રી. ચિમનલાલ દલાલ સંપાદિત પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ'માં તે છપાયો છે. શ્રી. નરસિંહરાવે . તેમનાં વ્યાખ્યાનોના બીજા ભાગમાં (પૃ. ૧૯૭) આ રાસની રચ્યાસાલ સ. ૧૪૭૧ આપી છે, તે શરત ચૂક લાગે છે. સં. ૧૩૬૯માં પાટણના સુખા અલફખાને શત્રુંજય ઉપરના મંત્રી માહડે બંધાવેલા જૈન મન્દિરને તોડી નાંખ્યું હતું. આથી પાટણના એક ધનિક ઓસવાલ સમરસિંહે અલક્ખાન પાસે જઈ જૈન સંઘની લાગણી દર્શાવી, તથા માં દેવસ્થાનોને ભ્રષ્ટ કરવામાં ન આવે એ માટેનું ફરમાન કઢાવ્યું. સમરસિંહે શત્રુંજયના મન્દિરનો જીર્ણો દ્વાર કરવાની પરવાનગી મેળવી એ વર્ષમાં તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો તથા પાટણથી એક મોટો સંઘ લઈ તે શત્રુંજય ગયો તથા ત્યાંનાં મન્દિર અને મૂર્તિની પ્રતિષ્ઠા કરી, એ ઐતિહાસિક પ્રસંગ આ કાવ્યમાં વર્ણવેલો છે. તેની બારમી ભાષાની ચોથી કડીમાં નીચે પ્રમાણે ‘ગુજરાત’નો ઉલ્લેખ છે www सोहग ऊपर मंजरिय बीजीय सेत्रुजि उधारि । ..ठिय ए समरऊ ए समरउ ए आविउ गुजरात ॥ અહીં ઝુઝરાતનો પ્રયોગ સોરઠ સંબંધી વર્ણન કરતાં થયેલો છે, એ ખાસ નોંધ માગી લે છે. ૫. ધર્મકલશમુનિકૃત ‘જિનકુશલસૂરિ –પટ્ટાભિષેકરાસ’ (સં. ૧૭૭૭) આ પછી ધર્મકલશમુનિકૃત · જિનકુશલસૂરિ – પટ્ટાભિષેકરાસ' આવે છે. શ્રી. અગરચંદ નાહટા તથા સઁવરલાલ નાહટા સંપાદિત ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ ’માં આ રાસ પ્રસિદ્ધ થયેલો છે. ખરતર ગચ્છના મહાન પ્રભાવક આચાર્ય જિનકુશલસૂરિ (જેમનું દીક્ષિત નામ કુશલકીત્તું હતું)નો પટ્ટાભિષેક મહોત્સવ પાટણમાં સં. ૧૩૭૦ના જ્યેષ્ઠ વદ અગીઆરના દિવસે ઓસવાલ શેઠ તેજપાલ તથા તેના ભાઈ રુદ્રપાલે ભારે ધામધૂમથી કરાવ્યો હતો અને પદસ્થાપના રાજેન્દ્રચન્દ્રસૂરિના હસ્તે કરવામાં આવી હતી, એ પ્રસંગનું વિસ્તૃત અને છટાદાર વર્ણન આ કાવ્યમાં છે. જૈન ગૂર્જર સાહિત્યમાં આ પ્રકારનાં સંખ્યાબંધ કાવ્યો લખાયેલાં છે. સામાન્ય રીતે આવાં કાવ્યો જે તે પ્રસંગ વીતી ગયા પછી તુરત જ, ઘણુંખરૂં તો એ પ્રસંગ નજરે જોનાર કવિની કલમે જ લખાય છે; એટલે આ પટ્ટાભિષેક – રાસ પણ ધર્મકલશે સં. ૧૩૭૭માં અથવા તે પછી તુરત જ રચ્યો હશે, એમ માનવું યોગ્ય છે. આ કાવ્યની આવીસમી કડીમાં નીચે પ્રમાણે ‘ગુજરાત’નો પ્રયોગ છે – सयल संघह सयल संघह केलि आवासु । अणहिलपुर वर नयर गुजरातधरमुखह मंडणू । देसदेसंतरि तहि मिलिय सयल संघ वरिसंत जिम घणु । Jain Education International ..... 4 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy