SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ अंक १] प्राचीन गुजराती साहित्यमा 'गुजरात'ना उल्लेखो [९७ છે. તે લખે છે કે અણહિલવાડની દક્ષિણે લગભગ ૧૭૦ માઈલ (૪ર ફરસાખ) લાદેશ આવેલો છે, જેમાં ભરૂચ (Bihroj) અને રાંદેર (Rihanjur) એ બે મુખ્ય શહેરો છે. આ વર્ણન બતાવી આપે છે કે વિક્રમના અગીયારમા સૈકાના પ્રારંભમાં ઓછામાં છું અત્યારના ઉત્તર તથા મધ્ય ગુજરાતને તે “ગુજરાત” નામ મળી ચૂક્યું હતું. હવે પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં “ગુજરાત'ના ઉલ્લેખો તપાસીએ. ૧૦ પાહણકૃત “આબુરાસ (સં. ૧૨૮૯) સૌથી જૂનો અને ઘણો જ મહત્ત્વનો ઉલ્લેખ સં. ૧૨૮૯માં પાહણ નામે કવિએ લખેલ આબુરાસનો છે. આબુ ઉપર મંત્રી વસ્તુપાલ-તેજપાલે સં. ૧૨૮૬માં બંધાવેલ સુપ્રસિદ્ધ મન્દિરો સંબંધી વૃત્તાન્ત ૫૫ કડીના આ ટૂંકા રાસમાં આપેલો છે. તેની ૧૧મી કડીમાં નીચે પ્રમાણે ગુજરાતનો પ્રયોગ છે सोळंकिय कुळ संभमिउ सूरउ जगि जस वाउ । गूजरात धुर समुधरणु राणउ लूणपसाउ ॥ માર્કોપોલોથી કેટલાંક વર્ષ પૂર્વે આ રાસ રચાયેલો છે. પરદેશી મુસાફરની નોંધમાં તેમ જ પાહિણની આ કૃતિમાં “ગુજરાત’ નામ છે, તે એ શબ્દપ્રયોગની સારી એવી વ્યાપતા પૂરવાર કરે છે. બીજું, ઉપલા અવતરણમાં ધોળકાના રાણુ લવણપ્રસાદને ગુજરાતના ઉદ્ધારક તરીકે વર્ણવ્યો છે, એ પણ બતાવે છે કે હવે માત્ર ઉત્તર ગુજરાત નહીં, પણ આખો પ્રાન્ત “ગુજરાત' તરીકે ઓળખાતો હતે. વળી એ જ રાસમાંથી “ગુજર દેસ” પ્રયોગ પણ મળે છે गूजरदेसह मज्झि पहाणं, चंद्रावती नयरि वक्खाणं । वावि सरोवर सुरहि सुणीजइ, बहु यारामिहि ऊपम दीजह ॥२॥ ગુજરાતની પ્રાચીનતમ રાસકૃતિઓ સં. ૧૨૪૧માં રચાયેલ શાલિભદ્રસૂરિકૃત ભરતેશ્વર બાહુબલી રાસ તથા એ અરસામાં લખાયેલ એ જ કવિનો “બુદ્ધિરાસ' છે. એ જોતાં સં. ૧૨૮૯નો “આબુરાસ' તથા તેમને “ગુજરાતનો ઉલ્લેખ ખાસ મહત્ત્વનાં લેખાવાં જોઈએ. 8 Dr. Edward Sachau: Alberuni's India, Vol. I, p. 205 4 Linguistic Survey of India, Vol. IX, pt. 11, p. 333 ૬ કલકત્તાની રાજસ્થાન રિસર્ચ સોસાયટીના હિન્દી મુખપત્ર “રાજસ્થાની ના ભાગ ૩, અંક ૧માં આ રાસ છપાયેલ છે. તેની ૫૪મી કડીમાં નીચે પ્રમાણે રચ્યા સાલ છે बार संवच्छरि नवमासीए वसंतमासु रंभाउळु दीहे । एहु राम विसतारिहिं जाए, राखइ सयळसंघ अंबाए॥ કર્તાનું નામ પ૩મી કડીના ઉત્તરાર્ધમાં છે केवि चडावळि नेमि नमीजइ, ए सु-वयणु पाल्हण पुज कीजह ॥ ૭ રાસની મુદ્રિત આવૃત્તિમાં અહીં તથા બીજે સ્થળે ૪ છાપેલો છે, તેથી મૂળ હાથપ્રતમાં ૪ લખેલો છે, એમ સમજવાનું નથી. “રાજસ્થાની ના ઉપર્યુક્ત અંકમાં છપાયેલા “રાજસ્થાની વર્ણમાલા” નામના લેખમાં “૪-૪=૪ વ મૂર્ધન્ય સારા ( ગુઝરાતી મરાઠી િ૨)એમ જણાવેલું છે. એટલે આ સ્થળોએ હાથમતમાં ૪ હોવો જોઈએ, જેને સંપાદકો ૪ અથવા રુ તરીકે છાપે છે, ૨.૧.૧૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy