SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ९६] भारतीय विद्या [ છે (બકે કોઈ રીતે કાન્હડદે પ્રબંધ' કરતાં જૂને તો નથી જ) અને તેમના પોતાના જ મત મુજબ ઈસવી સનના ચૌદમા સૈકાના ઉત્તરાર્ધથી જૂનો લેઈ શકે નહીં (પૃ. ૨૧), તેમાં મળતા “ગુજરાતના ઉલ્લેખને તેઓ સૌથી જૂનો ઉલ્લેખ શી રીતે ગણે છે, એ બરાબર સમજાતું નથી. શ્રી. નરસિંહરાવે તેમનાં વ્યાખ્યાનોમાં “વસ્તુપાલ-તેજપાલ રાસ', “સમરરાસ” અને “કાન્હડદે પ્રબન્ધ માંથી ગુજરાતના પ્રયોગ તારવી બતાવ્યા છે. આપણે આ તેમ જ આ ઉપરાંત નવા મળેલા સંખ્યાબંધ પ્રયોગો તપાસીશું. કોઈ સંસ્કૃત શિલાલેખ કે તામ્રપત્રમાં અથવા સંસ્કૃત સાહિત્યમાં ગુજરાતનો ઉલ્લેખ મળતું નથી. પરન્તુ પરદેશી લેખકોનાં લખાણોમાંથી “ગુજરાતના બે ઘણા જૂના તથા અગત્યની ઉલ્લેખો મળે છે. અલ બિરુની (ઈ.સ. ૯૭૦ થી ૧૦૩૧—વિ. સં. ૧૦૨૬ થી ૧૦૮૭) એ હિન્દુસ્તાન વિષેના પોતાના અરબી ગ્રન્થમાં તેની પૂર્વના કેટલાક મુસાફરોની જેમ જીજ” (Juzr) નહીં, પણ “ગુજરાત” (Guarat) એવું નામ આપ્યું છે. ગુજરાતની રાજધાનીનું શહેર બઝાન અથવા નારાયણ હતું અને તે કનોજથી એંશી માઈલ અગ્નિખૂણે આવેલું છે, એમ તેણે કહ્યું છે. અલ બિસનીના સમય પૂર્વે જ નારાયણ ભાંગી ગયું હતું, અને ત્યાંના વતનીઓ બીજે સ્થળે રહેવા ગયા હતા, એમ પણ જાણવા મળે છે. આ શહેર તે જયપુર પાસેનું નારાયણ છે, એમ સિદ્ધ થયું છે. વિશેષમાં અલ બિસનીએ નારાયણના નૈઋત્ય ખણે લગભગ ૨૪૦ માઈલ (૪૨ ફરસાખ) દૂર આવેલ અણહિલવાડનો તથા સૌરાષ્ટ્રના દરિયા કાંઠે આવેલા સોમનાથનો નિર્દેશ કર્યો ૧ નૈષધીયચરિતની નિયસાગરની આવૃત્તિના સંપાદક પં. શિવદત્ત શાસ્ત્રીએ પોતાની સંસ્કૃત પ્રસ્તાવનામાં “રાવતો ગ્રન્થવષે પ્રસન્તોડવા-નૈવીયસ્ય પ્રથમં પુતલં ફરિહો ગતિ રહ્યાં વયવનામનિ નિ વસુમતી સત્યાનચત્ત” ” (સાતમી આવૃત્તિની પ્રસ્તાવના, પૃ. ૯) એ પ્રમાણે લખ્યું છે. નરસિંહરાવભાઈએ આ અવતરણ લીધું છે (Vol. II, p. 197). રાજશેખરે પોતાનો “પ્રબન્ધકોશ' સં. ૧૪૦૫માં રચ્યો છે, એટલે આમાંના “ગુજરાતના પ્રયોગને તેમણે નિઃશંક રીતે એ કાળનો ગણ્યો છે. પણ વાસ્તવિક રીતે એમ નથી. રાજશેખરના ઉપર્યુક્ત ગ્રન્થમાં ગુજરાત એવો પ્રયોગ તો કયાંય મળતો નથી. એમાંનો “હરિહરપ્રબન્ધ” કે જેમાં “નૈષધીયચરિત” ગુજરાતમાં લાવ્યાની વાત આવે છે તેમાં પણ શ્રીર્ષવો રિહરઃ હે સિદ્ધસરસ્વતઃ સ રઘરાં પ્રત્યવાહી. એ પ્રમાણે “ગૂર્જરધરાનો પ્રયોગ માત્ર એકવાર મળે છે (ફા. ગુ. સભાની આવૃત્તિ, પૃ. ૧૧૯)-ગુજરાતનો નહીં. અર્થાત . શિવદત્તે પોતાની પ્રસ્તાવનામાં રાજશેખરમાંથી શબ્દશઃ અવતરણ આપ્યું નથી, પણ “હરિહરપ્રબન્ધ”માંના તેના કથનનો પોતાની ભાષામાં માત્ર સારોદ્ધાર આપ્યો છે. એટલે એમાંનો “ગુજરાત” શબ્દ રાજશેખરનો નહીં, પણ પં. શિવદત્તનો છે. ગર્ગ સંહિતામાં ગુર્જર શબ્દનો પ્રયોગ મળે છે. જુઓ-પ્રશ્નોઇ મહાવી નિત્ય માહિષ્મતીપતિમ્ વિર્ષન મહત સેનાં ગુનરાટે સમય 1 (ગર્ગસંહિતા, વિશ્વજિત ખંડ, ૭મો અધ્યાય, લોક ૧) તથા પુરાણાાિં વીકૃષ્ણનામ મરમ્ | તેના વારિતુચાર્દિ યથા વિરમ્ (એ જ લોક ૨). આમાંનો “ગુર્જરાટ” શબ્દ એ લોકપ્રચલિત “ગુજરાત” શબ્દનું સંસ્કૃત રૂપાન્તર છે એમાં શંકા નથી. આમ હોવા છતાં સંસ્કૃત સાહિત્યમાં “ગુજરાતનો પ્રયોગ મળતો નથી, એ મત અબાધિત રહે છે. Dr. Edward Sachau : Alberuni's India, Vol. I, p. 202 3 Bombay Gazetteer, Vol. I, pt. 1; p. 520 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy