SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ प्राचीन गुजराती साहित्यमा 'गुजरात'ना उल्लेखो છે. – અધ્યા મોટા . સસરા, . . આપણા પ્રાન્તને અત્યારે સર્વસામાન્ય પ્રચારમાં છે તે ગુજરાત નામ ક્યારે મળ્યું એ એક વિવાદાસ્પદ પ્રશ્ન છે. સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યમાં, શિલાલેખો અને તામ્રપત્રોમાં અત્યારે મળતા પૂરાવાઓ જોતાં તો– નિરપવાદ રીતે, તેમ જ અપભ્રંશ અને પ્રારંભિક ગુજરાતીના સાહિત્યમાં સામાન્ય રીતે ગૂર્જરત્રામg, ગૂર્જરત્રામૂને, ગુજ્ઞरत्ता, गुजरतृ, गूर्जरत्रा, गूर्जरात्र, गुर्जराद, गुर्जरधरणि, गुजरदेश, गुर्जरभूमि, गुजरधर એવા જુદાં જુદાં નામો મળે છે. દશમા સૈકા સુધીના આરબ મુસાફરો “ઝુર્ગ” (Surz) તથા “ઝુજ” (Juzr) એવાં નામો આપે છે. અલબત, જે તે સ્થળોએ આ બધાં જ નામો અત્યારના ગુજરાતને અનુલક્ષીને આપવામાં આવ્યાં છે, એમ નથી. મૂળરાજ સોલંકીએ વિક્રમના દસમા સૈકાના અંતભાગમાં પાટણમાં પોતાનું રાજ્ય જમાવ્યું અને એ રાજ્યમાં “જ્ઞાનસંસ્કારની પરબો” બેસાડવાનો પ્રયાસ કર્યો ત્યાર પહેલાંનું “ગૂર્જરત્રામંડલ” હાલના ગુજરાતની ઉત્તરે ભિન્નમાલ તથા જયપુર પાસેના નારાયણની આસપાસ આવેલું હતું. વિક્રમના દશમા શતક સુધી હાલના મધ્ય ગુજરાત માટે ગુજરાત કે એને મળતું ગુર્જરત્રા કે ગુર્જરદેશ જેવું નામ પ્રચારમાં નહોતું આવ્યું, એમ શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રી માને છે. અત્યારનું દક્ષિણ ગુજરાત અથવા લાટ તે પછી પણ ઘણા સમય સુધી તળ ગુજરાતથી ભિન્ન ગણાતું હતું. પણ ગુજરાતની સીમાઓમાં થએલાં આ ઐતિહાસિક પરિવર્તન સાથે અત્યારે આપણને સંબંધ નથી. આપણું પ્રાન્તનું “ગુજરાત'એ નામ કેટલું જૂનું છે, તે જ પ્રાપ્ત થતાં સાધનો ઉપરથી – ખાસ કરીને પ્રાચીન ગુજરાતી સાહિત્યમાંથી મળતા ઉલ્લેખોના પ્રકાશમાં–તપાસવાનો આ નિબંધનો ઉદ્દેશ છે. સ્વ. નરસિંહરાવ દિવેટિયા એમના Gujarati Language and Literature (Wilson Philological Lectures), Vol. TI, p. 198 માં આ વિષયની ચર્ચા કરતાં લખે છેઃ “This much, however, is certain, that the name Gujarat did not come into free use till after the Mahomedan conquest; and the first riliable mention of that specific name for our province and our literature is to be found in the Kānhadade - Prabandh.” અર્થાત્ “ગુજરાત” નામ મુસ્લીમ રાજ્યકાળ પહેલાં સર્વસાધારણ પ્રચારમાં નહોતું અને એ નામનો પહેલો વિશ્વાસપાત્ર પ્રયોગ આપણા સાહિત્યમાં ‘કાન્હડદે પ્રબધ’માંથી મળે છે, એવો શ્રી. નરસિંહરાવનો મત છે. જો કે “કાન્હડદે પ્રબન્ધ” પૂર્વેના “સમરારાસ’માંથી તેમણે “ગુજરાતનો ઉલ્લેખ રજુ કર્યો છે (પૃ. ૧૯૭). આમ છતાં વસ્તુપાલ-તેજપાલરાસ કે જે સંભવતઃ “કાન્હડદે પ્રબંધ કરતાં પણ અર્વાચીન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy