SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ९४ ] भारतीय विद्या [ વર્ષે રૂ સુન્નતનીતિજ્જોજિની રચી છે. જેને શત્રુંજય ઉપર વસ્તુપાળે બંધાવેલ ઇંદ્રમંડપમાં શિલાપૃષ્ઠપર (પથ્થરમાં) કોતરવામાં આવી હતી. તે હકીકત આગળ પણ આપી ગયા છીએ. આ બન્ને ગ્રન્થો ઉપરાંત ઉદયપ્રભસૂરિએ જ્યોતિષ વિષયક આર્મસિદ્ધિ ગ્રંથ, સંત નેમિનાથ ચરિત્ર, ષઙરીતિ અને ધર્મસ્તવ ઉપર ટિપ્પણ, ધર્મદાસગણીકૃત ૩૫રામાહા ઉપર ઉદ્દેશમાાનિંગ નામક ટીકા વગેરે ગ્રન્થો લખ્યા છે. આ મહાકાવ્ય તેમણે મલધારી ગચ્છીય નરચંદ્ર મુનિ પાસે સંશોધાવ્યું હતું, તેની નોંધ લઈ અંતમાં આ ધર્મસંહિતા ચિરકાળ સુધી વિદ્વજ્જનોના હૃદયકમળમાં ધર્મની સૌરભ પ્રકટાવો એવો આશિર્વાદ આપતાં સૂરિ શ્રી ગ્રન્થની ઇતિશ્રી કરે છે. આવી જ પ્રશસ્તિઓ આ ગ્રન્થકારે સ્વરચિત ખીજા ગ્રન્થોમાં પણ મુકી હશે. પરંતુ તે બધા ગ્રંથો મેળવી તેની પૂરતી તપાસ કરવાનો લાભ મળી શક્યો નથી. અનુમાનથી લાગે છે કે તે બધામાં આવી જ હકીકતો જુદા જુદા સ્વરૂપે અલંકારપ્રચુર ભાષામાં ગુંથવામાં આવી હશે. रचनाकाळ આ ગ્રન્થ ક્યારે રચાયો તે માટે ગ્રન્થકારે કાંઈ પણ ઉલ્લેખ કર્યો નથી. વસ્તુપાળે શત્રુંજયની અનેક યાત્રાઓ કરી હતી તેમાં આ કઈ યાત્રાનું વર્ણન છે તે પણ સ્પષ્ટ નથી. પરંતુ આ ગ્રન્થ ક્યારે લખાયો તેની નોંધ ગ્રન્થ પ્રશસ્તિના અંતમાં લેવાઈ છે. તેમાં તે સંવત ૧૨૯૦ના ચૈત્ર સુદિ ૧૧ને વાર રવિના દિવસે સ્તંભતીર્થમાં (ખંભાતમાં) આ મહાકાવ્ય વસ્તુપાલે લખાવ્યું એવો સ્પષ્ટ ઉલ્લેખ છે.૪૪ આથી આ ગ્રન્થ તે અગાઉ રચાયો હતો એમ ચોકસ લાગે છે. વસ્તુપાળની અનેક યાત્રાઓ કરતાં આ યાત્રાનું વર્ણન એક કરતાં વધુ વિદ્વાનોએ આલેખ્યું છે. તેથી બધી યાત્રાઓમાં આ તીર્થયાત્રા અનનુભૂત હશે તેમાં શંકા નહી, અર્થાત્ તે મહાયાત્રા હશે એમ માનું છું. પ્રવંધ ચિંતામણિમાં વસ્તુપાળે મહાયાત્રાનો પ્રારંભ સંવત ૧૭૭માં કર્યો હતો એમ જણાવ્યું છે.૪૫ આ હકીકતને ગિરનારના સંવત ૧૨૯૩ના શિલાલેખથી પુષ્ટિ મળે છે તેમાં પણ વસ્તુપાળે સંવત ૧૨૭૭માં સંઘપતિ અની યાત્રા કર્યાંનું સૂચવ્યું છે. આથી વસ્તુપાળે સંવત્ ૧૨૭૭માં મહાયાત્રા કરી હતી એમ લાગે છે. આ તીર્થયાત્રામાંથી આવ્યા બાદ થોડાક વખત પછી આ ગ્રન્થની રચના કરવામાં આવી હોવી જોઇએ એટલે તે સંવત ૧૨૭૭ થી ૯૦ સુધીમાં રચાઈ ગયો હતો એમાં શક નહી. અને તે પ્રમાણે ધર્માંત્યુદ્ય કાવ્યની રચના સંવત ૧૨૭૯–૮૦માં થઈ હશે એવું અનુમાન થાય છે. આ અનુમાન કરવાનું ખાસ કારણ તેના માટે સીધે સીધા પ્રમાણોના અભાવને લઈને છે. છતાં તે ૧૨૯૦માં લખાયો હતો એવો સ્પષ્ટ પુરાવો મળતો હોવાથી તે વસ્તુપાળના સમકાળમાં સંવત્ ૧૨૯૦ પહેલાં રચાયો હતો એમ સ્પષ્ટ રીતે સાખીત થાય છે. * * ४४ सं० १२९० वर्षे चैत्र शु० ११ रवौ स्तम्भतीर्थवेलाकूलमनुपालयता महं० श्रीवस्तुपालेन श्रीधर्माभ्युदयमहाकाव्य पुस्तकमिदमलेखि ॥ ४५ अथ सं० १२७७ वर्षे सरस्वतीकण्ठाभरणलघुभोजराज महाकविमहामात्य श्रीवस्तुपालेन --ાવયવિન્તાનળિ, પા॰ ૬ર, શ્રી વુ. . શાસ્ત્રિ સંવાવિત, महायात्रा प्रारेमे || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy