SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ अंक १] धर्माभ्युदय महाकाव्य अने महामात्य वस्तुपाल- तेजपाल [ ९३ સિદ્ધરાજની રાજસભામાં વાદિઓને પરાસ્ત કર્યાં હતા. તેથી રાજાધિરાજ સિદ્ધરાજે અન્નેને વ્યાઘ્રશિશુ અને સિંશિશુ બિરુદો આપ્યાં હતાં. ઉદયપ્રભસૂરિ અને તેમના પૂર્વાચાર્યોનો આવો જ પરિચય સુતરીતિથ્યોજિની અને મુશ્રૃતસંકીર્તનમાં આપવામાં આવ્યો છે.” આજ અમરચંદ્રે સિદ્ધાંતાર્ણવ નામક મહાગ્રન્થ રચ્યો હતો એવું અનુમાન છે. કારણ તત્ત્વચિંતામણિમાં તાર્કિક ગંગેશ ઉપાધ્યાયે સિંહવ્યાઘ્ર લક્ષણો મુક્યાં છે જે આ બન્ને માટે હશે એમ ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણ માને છે. ૪૧ તેમની પછી ધર્મગાદી ઉપર શ્રીહરિભદ્રસૂરિ આરૂઢ થયા જે સચ્ચારિત્ર અને ખીા પ્રશસ્ય ગુણોને લઈ કલિકાલ ગૌતમથી ખ્યાતકીતિ થયા. તેમના શિષ્ય વિજયસેનસૂરિ થયા જે અગણિત ગુણોના ભંડાર સમાન અને વ્યાખ્યાન વાચસ્પતિ હતા. તેમના સદ્ધર્મ પ્રેરક વ્યાખ્યાનો માનવહૃદયને સચોટ અસર કરતાં. તેમની પુનિત પાવન વ્યાખ્યાનગંગા વનરાજવિહારતીર્થરૂપ અણહિલપુર પાટણના પંચાસર મંદિરમાં વહન કરતી હતી. આ મુનિરાજ વસ્તુપાળના પરમગુરુ હતા. વસ્તુપાળે કરેલાં દાનો, ધર્મકાર્યો અને યાત્રાઓની મુખ્ય પ્રેરણા ધર્મોદ્ધારક આ મહાન આચાર્ય પાસેથી જ મળી હતી એમ અનેક ગ્રન્થકારોયે નોધ્યું છે. વસ્તુપાળે સ્થાપિત કરેલા કેટલાંક જિનબિંબોના સ્થાપક પણ આજ વિજયસેનસૂરિ હતા એમ તે ભિંમોની નીચેની પ્રશસ્તિઓ ઉપરથી જ્ઞાત થાય છે. તેમણે કોઈ ગ્રન્થો લખ્યા હશે કે કેમ? તે સંબંધી વધુ માહિતી મળી શકી નથી. તેમના વિદ્વાન શિષ્ય ઉદયપ્રભસૂરિ થયા જે આ મહાકાવ્યના પ્રણેતા હતા. તેઓ ઉચ્ચ કોટીના વિદ્વાન હતા એમ તેમણે રચેલા અનેક ગ્રન્થો ઉપરથી માલમ પડે છે. આ મહાકાવ્ય તેમણે ગુરૂ શ્રીવિજયસેનસૂરિના આદેશથી રચ્યું હતું. તેની સર્વ નોંધ ગ્રન્થપ્રશસ્તિમાં લીધી છે. આ સિવાય શત્રુંજય યાત્રાનું વિવરણ કરતી ઐતિહાસિક હકીકતોથી સભર સંસ્કૃત કાવ્ય પ્રશસ્તિ 34 अस्ताघवाङ्मयपयोनिधिमन्दराद्रिमुद्राजुषोः किमनयोः स्तुमहे महिम्नः । बाल्येऽषि निर्दलितवादिगजी जगाद यौ व्याघ्र - सिंहशिशुकाबिति सिद्धराजः ॥ ४ - धर्माभ्युदयकाव्य अंत्य प्रशस्ति । ૪૦ (૧) સુશ્રુતીતિછોહિની, શ્લોક ૧૫૪ (ગા.ઓ.સી.ના જૂનીમમર્ટૂન નાદસાથે છપાયેલ) (२) शैशवेऽपि मदमत्तवाद विद्दारवारण निवारणक्षमौ । यौ जगाद जयसिंहभूपतिर्व्याघ्रिसिंहशिशुकाविति स्वयम् ॥ २० ॥ ૪૧ જુઓ ‘જૈન સાહિયનો સંક્ષિપ્ત', ઇતિહાસ પો. ૨૫૦ ૪૨ આજીના સિંહ વસહિકામાંની નેમિનાથ પ્રભુની સ્થાપના વિજયસેનસૂરિએ કરી હતી એસ તેની પ્રશસ્તિ ઉપરથી જણાય છે. જુઓ ‘પ્રાચીન જૈન લેખ સંગ્રહ’માંની તેની પ્રશસ્તિ, તારંગા ઉપર વસ્તુપાળે અજિતવામિ ચૈત્યમાં આદિનાથ ભગવાનના જિનબિંખનો ગોખલો બંધાવ્યો હતો તેમાં આદિનાથની પ્રતિષ્ઠા કરાવનાર વિજયસેનસૂરિ હતા એમ ત્યાંના સંવત ૧૨૮૫ના શિલાલેખ ઉપરથી જણાય છે. જુઓ ‘પ્રાચીન જૈન લેખસંગ્રહ'માં તે લેખ. ૪૩ इत्युक्त्वा गतयोस्तयोरथ पथो द्रष्टे प्रभावक्षणे, विज्ञाप्य स्वगुरोः पुरः सविनयं नम्रीभवन्मौलिना । प्राप्याssदेशममुं प्रभोविरचयामासे समासेदुषा, प्रागल्भीमुदयप्रभेण चरितं निस्यन्दरूपं गिराम् ॥ १२ ॥ Jain Education International सुकृतसंकीर्तन, सर्ग ४ धर्माभ्युदयमहाकाव्ये अंत्यप्रशस्ति. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy