SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ अंक १] धर्माभ्युदय महाकाव्य अने महामात्य वस्तुपाल-तेजपाल [८७ આદિનાથની અષ્ટપ્રકારી પૂજા રચી પ્રશંસનીય ચીનવસ્ત્ર (ચીની રેશમ)નું વજારોપણ કર્યું હતું એમ નોંધે છે. પરંતુ અરિસિંહ તે ધર્મગુરયના કથન મુજબ વસ્તુ પાલે શત્રુંજય ઉપર જઈ પદિયક્ષનું પૂજન કરીને ભગવાન આદિનાથનો મહામહેસવ કર્યો હતો એમ કહે છે. તેમાં વસંતઋાસ પ્રમાણે પાદલિપ્તપુરની હકીક્ત જોવામાં આવતી નથી. આથી પણ ઉદયપ્રભ અને અરિસિંહનાં યાત્રાવર્ણનો એક જ સંઘના વિવેચનો હોવાનું સ્પષ્ટ જણાય છે. મંત્રીશ્વરે અહીં વિવિધ પ્રકારી સ્ત્રોત્રમસવ ભવ્યરીતે કર્યો હતો તેનું રસિક વર્ણન ધર્માલ્યુદયકારે અહીં ત્રણ લોકોમાં વિસ્તારવડે રચ્યું છે. તે દાનવીરે ત્યાં અનેક પ્રકારે દાનધર્મો અને પૂજામહોત્સવો રચ્યા હતા. સંઘ આઠ દિવસ રહ્યો ત્યાં સુધી અષ્ટાહિકા મહોત્સવ ભારે દબદબા સાથે કર્યો. આદિનાથ ભગવાનના મંદિર પાસે નૃત્ય ગાન કરવા માટે મંત્રીવરે ઇદ્રમંડપ બંધાવ્યો હતો તેની નોંધ વસંતવિલાસમાં પણ લેવાઈ છે." અનન્યભક્તિ વડે જિનેશનાં પૂજન, અર્ચન કરી વસ્તુપાળે સંઘ સહ પર્વત ઉપરથી અવરોહણ કરી અજાહરા (અજારા) તરફ પ્રયાણ આદર્યું. ત્યાંના અજયપાલ નૃપતિએ સંઘનો સુંદર સત્કાર કયો અને તે રાજવીથી વંઘમાન ત્યાંના પાર્શ્વપ્રભુનું પૂજન કરી સંઘ કોડીનાર ગયો એમ ઉદયપ્રભસૂરિએ જણાવ્યું છે. જ્યારે વસંતવિશ્વાસનો કર્તા સંઘને શત્રુંજયથી એકદમ પ્રભાસમાં લાવે છે જે કે ઉદયપ્રભનું સંઘયાત્રાવન વર્ષાવિજાતના કરતાં ટુંકમાં છે પણ તેમાં જે હકીકત નોંધાઈ છે તે પ્રામાણિકતાની પરાકાષ્ટા રજુ કરે છે તેટલું જ નહીં પણ કેટલીક નકકર હકીકતો પૂરી પાડે છે. કોડીનારથી સંઘ દેવપાટણ (પ્રભાસ) ગયો ત્યાં ઇંદ્રાદિદેવોથી સંતૂયમાન (સ્તવન કરાયેલા) અમૃતાંશુલાંછનવાળા કાલારિ ભગવાન પિનાકપાણિ સોમનાથ મહાદેવનું વસ્તુપાળે સારી રીતે યજન કર્યું. સર્વ ધર્મ ઉપર સહિષ્ણુભાવવાળા અને વાડાબંધીના મિથ્યાભેદોને નહીં માનનારા તે મહાનુભાવે જિનેશને યાત્રા માર્ગમાં આવનાર સોમનાથ ભગવાનનું વિના સંકોચે યજન કરી જૈન અને જૈનેતરોને સાંપ્રદાયિક અસહિષ્ણુ માનસનો ત્યાગ કરવા આદર્શ દ્રષ્ટાંત રજુ કર્યું. તેજ હકીક્ત સુતલંવર્તનમાં પણ આપી છે. વસંતવિત્રાસનો કર્તા વધુમાં અહીં વસ્તુપાળે પ્રિયમેલક તીર્થમાં સ્નાન કરી સુવર્ણ અને જવાહરનાં દાન બ્રાહ્મણને આપ્યાં હતા તેમજ ચંદ્રપ્રભ પ્રભુનું પૂર્ણ ભક્તિવડે યજન કર્યું હતું એટલી નવીન હકીક્ત મુકે છે. આ હકીકત બીજા કોઈ યાત્રાવર્ણન કરનાર ગ્રંથકારે લીધી નથી. આથી પણ વહેતવિસાતમાં આલેખાયેલ યાત્રાવર્ણન ધન્યુ વગેરે ગ્રન્થમાં જણ ૨૩ જુઓ વસંત વિલાસ, સ ૧૦, શ્લોક ૫૮ થી ૮૩ ૨૪ સુકૃત સંકીર્તન, લોક ૧૨ થી ૪૪ २५ प्रेक्षणक्षणमथो विचक्षणस्तीर्घभर्तुरथमग्रतो व्यधात् । नर्तकीकुचतटत्रुटन्मणिस्रग्मणिप्रकरयुञ्जितावनी ॥ ८४ ।। वसन्तविलास महाकाव्य, सर्गः १० २६ अंजाहराख्ये नगरे च पार्श्वपादानजापालनृपालपूज्यान् । अभ्यर्चयन्नेष पुरे च कोडीनारे स्फुरत्कीर्तिकदम्बमम्बाम् ॥ १२॥ __ धर्माभ्युदयमहाकाव्य, सर्ग १५ ૨૭ વસંતવિજાત વાગ્ય, સર્ગ ૧૧, લોક ૭૦ થી ૭૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy